ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

PM Modi સપ્ટેમ્બર માસમાં અમેરિકાની મુલાકાતે, ન્યૂયોર્કમાં 24 હજાર ભારતીયોને સંબોધશે…

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)સપ્ટેમ્બર માસમાં અમેરિકાના પ્રવાસે જશે. પીએમ મોદી ન્યુયોર્કમાં 22 સપ્ટેમ્બરે ભારતીય મૂળના અમેરિકન નાગરિકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમ માટે 24 હજારથી વધુ ભારતીય પ્રવાસીઓએ નામ નોંધાવ્યા છે. આ કાર્યક્રમને ‘મોદી એન્ડ યુએસ પ્રોગ્રેસ ટુગેધર’ નામ આપવામાં આવ્યું છે. જે નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમ ખાતે યોજાશે. આ ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી 26 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રને પણ સંબોધિત કરશે.

આ પણ વાંચો : શું યુક્રેનના રાષ્ટ્રપતિ PM Modiનું ભારત આવવાનું આમંત્રણ સ્વીકારશે, ઝેલેન્સકી આપ્યો આ જવાબ

42 રાજ્યોમાંથી ભારતીય પ્રવાસીઓ કાર્યક્રમમાં ભાગ લેશે

આ અંગે ઈન્ડો-અમેરિકન કોમ્યુનિટી ઓફ યુએસએ જણાવ્યું હતું કે અમેરિકાના 42 રાજ્યોમાંથી ભારતીય પ્રવાસીઓ આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે. અમે આ ઐતિહાસિક કાર્યક્રમમાં શક્ય તેટલા વધુ લોકો ભાગ લે તેમ ઈચ્છીએ છીએ. અમે બેઠક વ્યવસ્થા વધારવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ. અત્યાર સુધી આ કાર્યક્રમ માટે 24 હજારથી વધુ ભારતીય પ્રવાસીઓએ નામ નોંધાવ્યા છે.

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં ઉમેદવાર જાહેર કર્યાના કલાકોમાં PM Modiની રેલીનો માસ્ટરપ્લાન તૈયાર

કાર્યક્રમમાં વિશેષ વ્યવસ્થા

વડાપ્રધાન મોદીના સંબોધન ઉપરાંત આ કાર્યક્રમમાં વેપાર, વિજ્ઞાન, મનોરંજન અને કલાના ક્ષેત્રોમાં અગ્રણી ભારતીય-અમેરિકનો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન અને પ્રસ્તુતિઓ પણ દર્શાવવામાં આવશે.

Show More

Related Articles

Back to top button
Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે