ટોપ ન્યૂઝનેશનલ

બુધવારે પીએમ મોદી ઝારખંડની મુલાકાતે, 40 એકલવ્ય શાળાનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજી ઑક્ટોબર 2024ના રોજ ઝારખંડની મુલાકાત લેશે. બુધવારે બપોરે લગભગ 2 વાગ્યે તેઓ ઝારખંડના હજારીબાગમાં રૂ. 83,300 કરોડથી વધુ મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે.

સમગ્ર દેશમાં આદિવાસી સમુદાયોના વ્યાપક અને સર્વગ્રાહી વિકાસની ખાતરી કરવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ પીએમ મોદી કુલ રૂ. 79,150 કરોડથી વધુના ખર્ચ સાથે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરશે. આ અભિયાન 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 549 જિલ્લાઓ અને 2,740 બ્લોક્સમાં 5 કરોડથી વધુ આદિવાસી લોકોને લાભ આપતા લગભગ 63,000 ગામોને આવરી લેશે.

ભારત સરકારના વિવિધ 17 મંત્રાલય અને વિભાગો દ્વારા અમલમાં મુકવામાં આવેલા 25 હસ્તક્ષેપો દ્વારા સામાજિક માળખાકીય સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ, આજીવિકામાં નિર્ણાયક અવકાશને સંતૃપ્ત કરવાનો તેનો હેતુ છે.

આદિવાસી સમુદાયો માટે શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે પીએમ મોદી 40 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (ઈએમઆરએસ)નું ઉદ્ઘાટન કરશે અને રૂ. 2,800 કરોડથી વધુની કિંમતની 25 ઈએમઆરએસ માટે શિલાન્યાસ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 1360 કરોડ રૂપિયાથી વધુના વડા પ્રધાન જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જેએએનએમએન) હેઠળ બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેમાં 1380 કિલોમીટરથી વધુ રોડ, 120 આંગણવાડી, 250 બહુહેતુક કેન્દ્રો અને 10 શાળા છાત્રાલયોનો સમાવેશ થાય છે.

Show More

Related Articles

Back to top button
48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા