ટોપ ન્યૂઝનેશનલ

PM મોદીએ ટ્રમ્પને સ્પષ્ટ કહ્યુંઃ ભારતને ‘ટ્રેડ ડીલ’નો લોભ નથી! આતંકવાદ મુદ્દે કોઈ સમાધાન નહીં

નવી દિલ્હી: ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનો જશ ખાટવાની હોડ વચ્ચે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પહેલી વખત વાતચીત થઈ હતી. 35 મિનિટની આ વાતચીતમાં વડા પ્રધાન મોદીએ આતંકવાદ મુદ્દે કડક વલણ અપનાવતા ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટપણે જણાવ્યું કે ભારતને અમેરિકા સાથે ટ્રેડ ડીલનો કોઈ લોભ નથી અને આતંકવાદ મુદ્દે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.

ભારત કોઈ પણ ‘ટ્રેડ ડીલ’નો સહારો નહીં લે

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું કે, આ વાતચીતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું કે, પાકિસ્તાનની ગોળીનો જવાબ ભારત ગોળાથી આપશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ‘ઓપરેશન સિંદૂર’ હજુ પણ યથાવત છે. પીએમ મોદીએ આતંકવાદ સામેની લડાઈમાં ટ્રમ્પને સ્પષ્ટપણે જણાવ્યું કે ભારત કોઈ પણ ટ્રેડ ડીલનો સહારો નહીં લે અને ભારતની આતંકવાદ સામેની લડાઈ ચાલુ રહેશે.

ટ્રમ્પે યુદ્ધવિરામનો જશ ખાટ્યો

ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલના પહલગામ આતંકી હુમલાનો બદલો લેવા અને સરહદ પારના આતંકવાદને ડામવા માટે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કરીને પાકિસ્તાનમાં રહેલા આતંકી ઠેકાણાઓને તબાહ કરી દીધા હતા. ત્યારબાદ 7 મેના રોજ પાકિસ્તાને ભયભીત થઈને ભારતના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો અને ભારતે પણ જવાબી કાર્યવાહી કરી હતી. 3-4 દિવસ ચાલેલી આ ટૂંકી લડાઈ બાદ પાકિસ્તાનની વિનંતી પર બંને દેશોએ સીઝફાયર કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર પોતે જ મધ્યસ્થી કરીને આ યુદ્ધવિરામ કરાવ્યું હોવાનો જશ ખાટ્યો હતો, જો કે ભારતે તેના આ દાવાને નકારી કાઢ્યો હતો.

આ પણ વાંચો -‏‏‎ મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો ઘેરાયા: ઈરાને કહ્યું જો અમેરિકાએ હસ્તક્ષેપ કર્યો હતો ‘પૂર્ણ યુદ્ધ’….

PM મોદીએ ટ્રમ્પને એ પણ સ્પષ્ટ કહ્યું કે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગ્રહ પર આજે બંને નેતાઓની tફોન પર વાત થઈ હતી. વાતચીત લગભગ 35 મિનિટ ચાલી હતી. વિક્રમ મિસરીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને એ પણ સ્પષ્ટ કહ્યું કે, ‘7-10 મેની વચ્ચે ન તો ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર વાત થઈ કે ન તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ માટે અમેરિકાની મધ્યસ્થી પર કોઈપણ સ્તરે કોઈ વાત થઈ.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button