ટોપ ન્યૂઝનેશનલ

રાજસ્થાનમાં બાળલગ્ન થશે તો પંચ-સરપંચ જવાબદાર રહેશે, હાઈકોર્ટે સરકારને આપ્યો મોટો આદેશ

જયપુરઃ રાજસ્થાનમાં હજુ પણ ચાલી રહેલા બાળ લગ્ન અંગે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે કહ્યું છે કે જો રાજ્યના કોઈ પણ ગામમાં બાળ લગ્ન થશે તો તેના માટે તે ગામના પંચ અને સરપંચ જવાબદાર રહેશે. અક્ષય તૃતીયા પહેલા હાઇકોર્ટે રાજ્ય સરકારને એ સુક્ષિત કરવા આદેશ આપ્યો છે કે રાજ્યમાં કોઈ બાળ લગ્ન ના થાય, કારણ કે બાળલગ્નની ઘણી ઘટનાઓ મુખ્યત્વે અક્ષય તૃતીયા પર બને છે. આ વખતે 10 મેના રોજ અક્ષય તૃતીયા છે.

બાળ લગ્ન રોકવા માટે હસ્તક્ષેપની માંગણી કરતી પીઆઈએલની સુનાવણી કરતા હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે તેના આદેશમાં જણાવ્યું હતું કે બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 લાગુ કરવા છતાં રાજ્યમાં હજુ પણ બાળ લગ્ન થઈ રહ્યા છે. જો કે, સત્તાવાળાઓના પ્રયાસોના કારણે બાળ લગ્નની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ હજુ પણ ઘણું કરવાનો બાકી છે. અરજદારોના વકીલ આર પી સિંહે જણાવ્યું હતું કે કોર્ટને બાળ લગ્ન અને તેમની નિર્ધારિત તારીખોની વિગતો ધરાવતી યાદી પણ આપવામાં આવી હતી.

ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે રાજસ્થાન પંચાયતી રાજનીય 1996 મુજબ બાળ લગ્ન પ્રતિબંધ પર મુકવાની ફરજ સરપંચ પર નાખવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે વચગાળાના પગલા તરીકે અમે રાજ્યમાં બાળ લગ્ન રોકવા માટે હાથ ધરવામાં આવેલી તપાસ અંગેનો અહેવાલ પણ જે જાણવા માંગીશું અને પીઆઈએલ સાથે જોડાયેલી યાદી પર નજર રાખવા માટે રાજ્યને આદેશ આપીશું.

કોર્ટે જણાવ્યું હતું કે સરપંચ અને પંચે પણ આ મામલે સંવેદનશીલ બનવું જોઇએ અને તેમને એ પણ જાણ હોવી જોઇએ કે જો તેઓ તેઓ બાળ લગ્ન અટકાવવામાં નિષ્ફળ જશે તો તેઓ બાળ લગ્ન નિષેધ અધિનિયમ 2006ની કલમ 11 હેઠળ જવાબદાર રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…