ટોપ ન્યૂઝનેશનલ

Vaishno Devi જતા શ્રદ્ધાળુઓ પર આતંકી હુમલા કેસમાં NIAએ કરી મોટી કાર્યવાહી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રિયાસી વિસ્તારમાં ગત જૂનમાં વૈષ્ણો દેવી જતા શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો થયો હતો. આ આતંકવાદી ઘટનામાં 9 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા. હવે એનઆઇએ (NIA) એ આ મામલે મોટી કાર્યવાહી કરી છે. માહિતી અનુસાર, એનઆઇએએ ટેરર ​​ફંડિંગના મામલે રાજ્યમાં 7 સ્થળો પર દરોડા પાડ્યા છે. જેમાં શિવ ખોડી મંદિરથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદી હુમલાનો મામલો પણ સામેલ છે.

રાજૌરી અને રિયાસી જિલ્લામાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા

એનઆઇએએ શુક્રવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને રિયાસી જિલ્લામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ કહ્યું છે કે શિવ ખોડી આતંકી હુમલાના સંદર્ભમાં શુક્રવાર સવારથી રાજૌરી અને રિયાસી જિલ્લામાં અનેક ટીમો દરોડા પાડી રહી છે. તેમણે કહ્યું કે NIAનું ઓપરેશન હજુ ચાલુ છે અને આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

શું છે સમગ્ર મામલો?

9 જૂને આતંકવાદીઓએ વૈષ્ણોદેવી જઈ રહેલા ભક્તોથી ભરેલી બસ પર હુમલો કરીને ગોળીબાર કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં સાત શ્રદ્ધાળુઓ સહિત નવ લોકો માર્યા ગયા હતા અને 41 અન્ય ઘાયલ થયા હતા. શિવ ઘોડી મંદિરથી કટરા જતી બસ અંધાધૂંધ ગોળીબારના કારણે રિયાસીના પૌની વિસ્તારના તેરાયથ ગામ પાસે રોડ પરથી લપસી ગઈ અને ઊંડી ખાઈમાં પડી ગઈ. ગૃહમંત્રી અમિત શાહે 17 જૂને આ આતંકી હુમલાની તપાસની જવાબદારી NIAને સોંપી હતી.

આતંકવાદીઓના મદદગારની ધરપકડ

અત્યાર સુધી રાજૌરીના એક વ્યક્તિ હકમ ખાન જેણે કથિત રીતે આતંકવાદીઓને ભોજન, આશ્રયસ્થાન અને લોજિસ્ટિક્સ પૂરા પાડ્યા હતા અને હુમલા પહેલા વિસ્તારની જાસૂસીમાં મદદ કરી હતી.તેની રિયાસીમાં યાત્રાળુઓની બસ પર આતંકવાદી હુમલાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે.

અગાઉ પણ દરોડા પાડવામાં આવ્યા હતા

અગાઉ 30 જૂને NIAએ રાજૌરીમાં હાઇબ્રિડ આતંકવાદીઓ અને તેમની મદદગાર લોકોના પાંચ સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા. હાઇબ્રિડ આતંકવાદીઓને શોધવા મુશ્કેલ છે કારણ કે તેઓ સામાન્ય લોકોમાં સામાન્ય જીવન જીવે છે અને તેમનો ગુનાહિત રેકોર્ડ નથી જ્યારે ઓવરગ્રાઉન્ડ વર્કર્સ તે વ્યક્તિઓ છે જે આતંકવાદી સંગઠનો માટે ગુપ્ત રીતે કામ કરે છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…