ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Nepalમાં ‘પ્રચંડ’ સરકારને પ્રચંડ ઝટકો : વિશ્વાસ મત ન મળતા પુષ્પ કમલ દહલની સરકાર ભાંગી

કાઠમંડુ: ભારતના પાડોશી દેશ નેપાળના રાજકારણમાં એક મોટો ભૂકંપ આવ્યો છે. પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્માના વડપણ હેઠળની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાલ (CPN-UML)એ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેતા પ્રચંડને વિશ્વાસ મત મેળવવાની ફરજ પડી હતી. CPN-UMLએ દ્વારા સરકારમાથી સમર્થન પાછું ખેંચી લેવાથી હવે પ્રચંડ પાસે વિકલ્પો મર્યાદિત હતા, જેના કારણે તેમને તાત્કાલિક પદ પરથી રાજીનામુ આપવું અથવા એક મહિનાની અંદર વિશ્વાસ મત રજૂ કરીને પોતાની સરકારને યથાવત રાખવાની હતી. જ્યારે આજે શુક્રવારે સંસદમાં વિશ્વાસ મત યોજાયો હતો, જેમાં તેઓ હારી ગયા હતા.

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ને એક મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, પ્રચંડ સરકાર હવે સંસદમાંથી વિશ્વાસ મત ગુમાવી ચૂકી છે. 19 મહિના સુધી સત્તામાં રહ્યા બાદ હવે તેમને પદ છોડવાની નોબત આવી છે. હકીકતમાં, ભૂતપૂર્વ વડા પ્રધાન કે. પી. શર્માની આગેવાની હેઠળના સીપીએન-યુએમએલ દ્વારા સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધા બાદ પ્રચંડને વિશ્વાસ મત મેળવવાની ફરજ પડી હતી. સીપીએન-યુએમએલએ સમર્થન પાછું ખેંચી લીધું હોવાથી, પ્રચંડના વિકલ્પો મર્યાદિત હતા, જેના કારણે તેમને તાત્કાલિક પદ છોડવું અથવા એક મહિનાની અંદર વિશ્વાસ મત રજૂ કરવાનો હતો. શુક્રવારે સંસદમાં વિશ્વાસ મત યોજાયો હતો, જેમાં તેઓ હારી ગયા હતા.

આ પણ વાંચો : નેપાળમાં મોટો અકસ્માત, બે બસો નદીમાં તણાઇ ગઇ, 7 ભારતીયના મૃત્યુ

લગભગ પાંચમી વખત પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ને સંસદમાં અવિશ્વાસ મતનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ પહેલાના ચાર વિશ્વાસ મતના પ્રસ્તાવમાં તેઓ સફળ રહ્યા હતા. દહલ સરકારના ગઠબંધનના સૌથી મોટા પાર્ટનર CPN-UMLએ 3 જુલાઈએ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. 25 ડિસેમ્બર, 2022થી વડાપ્રધાન બન્યા બાદ તેઓ અલ્પમત સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા અને તેમની આ સરકાર લગભગ 19 મહિના સુધી ચાલી હતી. પ્રચંડ સરકારને 275 સભ્યોની પ્રતિનિધિ સભામાંથી 63 મતો મળ્યા હતા જ્યારે પ્રસ્તાવના વિરોધમાં 194 મતો પડ્યા હતા. જો કે વિશ્વાસ પ્રસ્તાવ જીતવા માટે લગભગ 138 મતોની જરૂર હોય છે.

નેપાળના નીચલા ગૃહમાં સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસ સાથે સત્તા વહેંચણીને લઈને કરવામાં આવેલ સમજૂતી બાદ કેપી શર્માની પાર્ટીએ વર્તમાન સત્તાધારી પાર્ટીના ગઠબંધનમાંથી પોતાનો ટેકો પરત ખેંચી લીધો હતો. આથી વર્તમાનમાં, પ્રચંડની પાર્ટી પાસે માત્ર 32 બેઠકો છે, જ્યારે CPN-UML પાસે 78 બેઠકો છે અને નેપાળી કોંગ્રેસ પાસે 89 બેઠકો છે. NCA અને CPN-UML ગઠબંધન પાસે હવે 167 બેઠકોનું સંખ્યાબળ છે.

નેપાળના 275 સભ્યોથી બનતા નીચલા ગૃહમાં સરકાર બનાવવા માટે 138 સભ્યોની જરૂર છે, જ્યારે NC અને CPN-UML ગઠબંધન પાસે 167 સભ્યોની સંખ્યા છે, જે નીચલા ગૃહમાં બહુમતીના આંકડા કરતાં ઘણી વધારે છે. દેઉબા અને ઓલી ફરી સત્તામાં આવે તેવી અટકળો હાલ ચાલી રહી છે. નેપાળ કોંગ્રેસ અને CPN-UML વચ્ચે થયેલી સમજૂતી અનુસાર, ઓલી અને દેઉબા ત્રણ વર્ષ માટે અનુક્રમે પીએમ પદ સંભાળશે. નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબા પહેલાથી જ ઓલીને આગામી વડાપ્રધાન તરીકે સમર્થન આપી ચૂક્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…