ટોપ ન્યૂઝનેશનલ

મોહન, વિષ્ણુ અને ભજનલાલ ભાજપની 2024ની તૈયારી?

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ત્રણ રાજ્યોના મુખ્ય પ્રધાનની પસંદગી કરતી વખતે ભાજપે પોતાનો આંચકા પદ્ધતિ કાયમ રાખી છે અને ત્રણેય મુખ્ય પ્રધાનોના નામ જાહેર થયા બાદ તેનું અર્થઘટન કરતાં 2024ની લોકસભાની તૈયારી સાથે આને હવે સાંકળીને જોવામાં આવે છે. વસુંધરા રાજે, શિવરાજ સિંહ ચૌહાણ અને રમણ સિંહ જેવા મોટા અને અપેક્ષિત નામોને પડતા મૂકીને મોહન યાદવ, વિષ્ણુદેવ સાય અને ભજનલાલ શર્માની વરણી કરવામાં આવી તેને આંચકાજનક ગણવામાં આવતું હતું. સંપૂર્ણ રીતે નવા ચહેરાઓની પસંદગીને કારણે પક્ષની અંદરના લોકો તેમ જ રાજકીય નિરીક્ષકોનાં ભવાં ઉંચકાયા છે. પરંતુ આંતરિક વર્તુળો દ્વારા લોકસભાની ચૂંટણીમાં જ્વલંત વિજયને પાકો કરવા માટેની તૈયારી તરીકે આને જોવામાં આવી રહ્યું છે. આ બાબતને જાતી અને વર્ગના રાજકારણને સમતોલ કરવા માટેનો પ્રયાસ ગણવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button