ટોપ ન્યૂઝનેશનલ

JD(U)ના અધ્યક્ષપદેથી લલન સિંહનું રાજીનામું, CM નીતીશ કુમાર બનશે પાર્ટીના અધ્યક્ષ

પટણાઃ બિહારના રાજકારણમાં ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવ્યો છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા જનતા દળ (યુનાઈટેડ)માં મોટો ફેરફાર થયો છે. રાજધાની દિલ્હીમાં આયોજિત JD(U)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દરમિયાન JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ તેમણે પોતે જ પાર્ટીના નવા અધ્યક્ષ માટે નીતીશ કુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

રાજીનામુ આપતા પહેલા લલન સિંહ નીતીશકુમાર સાથે એક જ ગાડીમાં બેસીને બેઠકમાં પહોંચ્યા હતા. આ બેઠક પહેલા સમર્થકોએ નીતીશના પક્ષમાં નારા લગાવ્યા હતા. કાર્યકર્તાઓ નીતીશ કુમાર જિંદાબાદ…, નીતીશ કુમાર દેશના વડા પ્રધાન બને એવા નારા લગાવતા હતા.


બિહારની વિધાન સભામાં વિરોધ પક્ષના નેતા વિજય સિંહાએ જણાવ્યું હતું કે લલન સિંહની વિદાય બહુ જ અપમાનજનક રીતે થઇ છે. લલન સિંહે દુનિયા સામે પોતાની બદનામી કરાવી. લલન સિંહ માટે અમને પણ ઘણું ખરાબ લાગી રહ્યું છે એની સાથે બહુ ખરાબ થયું. લલન સિંહના રાજીનામા બાદ નીતીશ કુમારને ઇન્ડિયા ગઠબંધનના પક્ષો સાથે વાતચીત કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.


બિહાર સરકારના નેતા વિજય કુમાર ચૌધરીએ જણાવ્યું છે કે, “નીતીશ કુમારે પ્રમુખ પદ સ્વીકારી લીધું છે. હવે રાષ્ટ્રીય પરિષદની બેઠક થશે. જો પ્રસ્તાવ મંજૂર થશે તો સ્વાભાવિક રીતે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે. લલન સિંહે પોતે જ કહ્યું હતું. કે અગાઉ પણ તેમણે મુખ્ય પ્રધાનની સૂચનાથી જ આ પદ સ્વીકાર્યું હતું, હવે ચૂંટણી લડવા માટે તેમણે સતત બહાર રહેવું પડશે, તેથી તેમણે મુખ્ય પ્રધાનને આ પદ સ્વીકારવા વિનંતી કરી હતી.


લલન સિંહે પોતાના ભાષણમાં કહ્યું, ‘ચૂંટણીમાં મારી સક્રિયતાને જોતા હું અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું અને અધ્યક્ષ પદ માટે નીતીશ કુમારના નામનો પ્રસ્તાવ મૂકું છું.’


કહેવામાં આવી રહ્યું છે કે નીતીશને રાષ્ટ્રપતિ પદની જવાબદારી સોંપવાની સ્ક્રિપ્ટ લખી દેવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે લલન સિંહ નીતિશના નામનો પ્રસ્તાવ મૂકશે, જેના પર અન્ય નેતાઓ સર્વસંમતિથી સંમત થશે.
JDUની આ બેઠક રાજધાની દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં આયોજિત કરવામાં આવી રહી છે. બેઠકમાં હાજરી આપવા માટે અનેક નેતાઓ પહોંચી રહ્યા છે. જ્યારે બિહારના મંત્રી વિજય કુમાર ચૌધરીને પૂછવામાં આવ્યું કે શું તેઓ JD(U)ના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે? તેમણે કહ્યું, “મને આ વાત કહેનાર તમે પ્રથમ વ્યક્તિ છો… અમે એજન્ડામાં (મીટિંગમાં) ઉઠાવેલા મુદ્દા પર ચર્ચા કરીશું. હાલમાં, લલન સિંહ JD(U)ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે… જો તેઓ રાષ્ટ્રીય પ્રમુખ છે, તો પછી આવી વાત શા માટે આવશે… તેઓ બરાબર કામ કરી રહ્યા છે.”


જેડીયુના એક આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવી શકે છે, જેમાં કેટલાક નિર્ણયો છે…


1) નીતીશ કુમારને લોકસભા ચૂંટણી અને સંગઠનના તમામ નિર્ણયો લેવા માટે અધિકૃત કરવામાં આવશે.


2)પાર્ટી સંબંધિત તમામ સત્તાઓ નીતિશ કુમારને આપવાનો પ્રસ્તાવ છે અને ગઠબંધન અંગે નિર્ણય લેવા માટે

નીતિશ અધિકૃત હશે.

3) આ સિવાય નીતીશ કુમારને સીટ વહેંચણી અને ઉમેદવારીની પસંદગીની સત્તા પણ આપવામાં આવશે.


4) નીતીશને લોકસભા ચૂંટણીને લઈને સંગઠનમાં મોટા નિર્ણયો લેવા માટે પણ અધિકૃત કરવામાં આવશે. હવે નીતીશ કુમાર આગામી શું પગલા ભરશે એ જોવું રહ્યું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત