ટોપ ન્યૂઝ

વાત વકરીઃ ભારતે કેનેડાની વિઝા સર્વિસ હાલ પૂરતી સસ્પેન્ડ કરી


ખાલીસ્તાની નેતા હરદીપ સિંગ નિજ્જરની હત્યા મામલે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપો બાદ ભારત અને કેનેડા વચ્ચે ઊભા થયેલા તણાવ વચ્ચે ભારત સરકારે મોટું પગલું ભર્યું છે અને કેનેડામાં ભારતના વિઝા આપતી સેવા હાલ પૂરતી બંધ કરી દીધી છે.
સોશિયલ મીડિયા પર મળેલી ધમકીઓના પગલે ભારતમાં સ્ટાફ એડજસ્ટ કરવા માટે આ નિર્ણય લેવાયાનું જણાવાયું હતું.
આ માટેની કોઈ ઔપચારિક જાહેરાત થઈ નથી. બીએલએસ ઈન્ટરનેશનલ, જે કેનેડામાં વિઝા એપ્લીકેશન સેન્ટર ધરાવે છે, તેમણે પોતાની કેને઼ડિયન સાઈટ પર સંદેશો પોસ્ટ કર્યો છે. જેમાં લખ્યું છે કે ગુરુવાર, 21 સપ્ટેમ્બર,2023થી ભારતીય વિઝા સેવા અનિશ્ચિત મુદત માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. આ માટે ઓપરેશનલ રીઝન હોવાનું જણાવવામાં આવ્યું છે. કોરોના મહામારી બાદ પહેલીવાર આ રીતે વિઝા સર્વિસ સસ્પેન્ડ કરવામાં આવી છે. ગઈકાલે ભારતીય વિદેશી બાબતોના ખાતાએ કેનેડા રહેતા ભારતીયોને સાવચેત રહેવા માટે એડવાઈઝરી બહાર પાડી હતી.
જોકે બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવયુક્ત વાતાવરણને લીધે ત્યાં અભ્યાસ કરતા અને ત્યાં જઈ અભ્યાસ કરવા જવા ઈચ્છતા અને વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા ચિંતામાં આવી ગયા છે. આ સાથે ટ્રેડ ઈન્ડ્સ્ટ્રી પણ ચિંતા અનુભવે છે કારણ કે બન્ને દેશો વચ્ચે વિવિધ વેપાર-ધંધા વિકસેલા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button