ટોપ ન્યૂઝનેશનલ

Hathrasમાં હાહાકારઃ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ધા, ભોલેબાબા પર થઈ શકે છે એફઆઈઆર

નવી દિલ્હીઃ કંપારી છૂટે તેવા ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન નાસભાગમાં અત્યાર સુધીમાં 121 લોકોના મોત થયા છે. જ્યારે સીએમ યોગી આદિત્યનાથે ગુનેગારો સામે કાર્યવાહી કરવાની વાત કરી છે, પણ સત્સંગના આયોજકો અને સ્વયંભૂ સંત ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર હરિ હજુ પણ ગુમ છે. દરમિયાન હાથરસ નાસભાગનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

હાથરસમાં થયેલી નાસભાગને લઈને સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ 5 સભ્યોની નિષ્ણાત સમિતિ દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના પર યુપી સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટની માંગ કરવામાં આવી છે. અરજીમાં આ ઘટના માટે જવાબદાર લોકો અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. અરજીમાં આવા કાર્યક્રમોના આયોજન માટે માર્ગદર્શિકા બનાવવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ અરજી દાખલ કરી છે.

| Also Read: Hathrasમાં ઇજાગ્રસ્તોને મળ્યા સીએમ Yogi Adityanath, પરિસ્થિતિનો તાગ મેળવ્યો

હાથરસમાં નાસભાગને કારણે સેંકડો લોકોના મોતના મામલાને લઈને અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પણ એક પત્ર મોકલવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસને મોકલવામાં આવેલા પત્રમાં અકસ્માતની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે. એડવોકેટ ગૌરવ દ્વિવેદીએ ચીફ જસ્ટિસને પત્ર પિટિશન મોકલી છે.

બીજી બાજુ, સૂત્રોના જણાવ્યા અનુસાર, એવા સમાચાર પણ આવ્યા છે કે હાથરસ નાસભાગ કેસમાં ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર હરિનું નામ પણ ટૂંક સમયમાં એફઆઈઆરમાં જોડાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ બાબાનું નામ લઈને એફઆઈઆર નોંધી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો