રાજ્યમાં સૌરાષ્ટ્ર સિવાયના તમામ ઝોનમાં 60 ટકાથી વધુ વરસાદઃ 1 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ | મુંબઈ સમાચાર

રાજ્યમાં સૌરાષ્ટ્ર સિવાયના તમામ ઝોનમાં 60 ટકાથી વધુ વરસાદઃ 1 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ

અમદાવાદઃ ગુજરાતમાં સરરેશ 62.44 ટકા વરસાદ નોંધાયો છે. જોકે આ વખતે સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે કચ્છમાં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.17 ટકા, પૂર્વ મધ્યમાં 64.60 ટકા, દક્ષિણ ગુજરાતમાં 65.70 ટકા અને સૌરાષ્ટ્રમાં 55.01 ટકા વરસાદ નોંધાયો છે.

આપણ વાંચો: દિલ્હીમાં ભારે વરસાદ, એરલાઈન કંપનીઓએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી…

30 ડેમ 100 ટકા ભરાયેલા

સરદાર સરોવર ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાનો 65.97 ટકા ભરાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 64.82 ટકા જળસંગ્રહ છ. રાજ્યમાં 30 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 63 ડેમ 70 થી 100 વચ્ચે, 40 ડેમ 50 થી 70 ટકા વચ્ચે, 38 ડેમ 25 થી 50 ટકા વચ્ચે અને 35 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છ. હાલ રાજ્યમાં 51 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 23 ડેમ એલર્ટ અને 19 ડેમ વોર્નિંગ પર છે.

95 તાલુકામાં વરસાદ

રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડામાં સૌથી વધુ 1.34 ઈંચ વરસાદ નોંધાયો હતો. વઘાઈમાં 1.22 ઈંચ, ખેરગામમાં 1.18 ઈંચ, ડાંગ આહવામાં 1.06 ઈંચ, સુબીરમાં 1.06 ઈંચ વરસાદ પડ્યો હતો. 90 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.

માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

હવામાન વિભાગે 30 અને 31 જુલાઈએ રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળોએ હળવો ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં જ્યાં પડે ત્યાં વધારે પડે તેવી સ્થિત સર્જાય તેવી શક્યતા વ્ચક્ત કરી હતી.

રાજ્યમાં વરસાદની આગાહીને લઈ માછીમારોને 1 ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા હવામાન વિભાગ દ્વાર સૂચના આપવામાં આવી હતી. વરસાદના કારણે રાજ્યમાં પંચાયત હસ્તકના 97 રોડ રસ્તા સહિત કુલ 107 માર્ગો બંધ છે. એસટીની કુલ 44 ટ્રીપ બંધ છે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button