ટોપ ન્યૂઝનેશનલ

ઈરાન અને ઈઝરાયલની વચ્ચે યુદ્ધ થવાના એંધાણ ભારતીય નાગરિકો માટે ભારત સરકારે બહાર પાડી એડવાઈઝરી

દુનિયા અશાંતિ તરફ ધકેલાતી જોવા મળી રહી છે, હજું રશિયા અને યુક્રેન યુધ્ધ ચાલી જ રહ્યું છે ત્યારે વધુ એક યુધ્ધના ભણકારા વાગવાનું શરૂ થયું છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુધ્ધની આશંકાથી વિશ્વના અનેક દેશોની ચિંતા વધી છે. મધ્ય-પૂર્વની વર્તમાન પરિસ્થિતી જોતા ભારતના વિદેશ મંત્રાલયે ભારતીયો માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ભારતીયોને ઈરાન અને ઈઝરાયેલની યાત્રા ન કરવાની સૂચના આપવામાં આવી છે.

આ સાથે જ વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે જે લોકો હાલમાં ઈરાન અથવા ઈઝરાયેલમાં રહે છે તેઓને ત્યાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી છે. તેઓને તેમની સલામતી અંગે ખૂબ કાળજી રાખવા અને તેમની પ્રવૃત્તિઓને ન્યૂનતમ સુધી મર્યાદિત કરવા વિનંતી કરવામાં આવે છે.

ભારત પહેલા રશિયા અને જર્મનીએ પણ એક દિવસ પહેલા આવી એડવાઈઝરી જારી કરી હતી. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધના વધતા ખતરાઓ વચ્ચે રશિયા અને જર્મનીએ 11 એપ્રિલે મધ્ય પૂર્વના દેશોને સંયમ રાખવાની અપીલ કરી હતી અને પોતાના નાગરિકોને એલર્ટ કર્યા હતા. ઈરાની ઈઝરાયેલ પર હુમલો કરવાની ધમકીએ સમગ્ર મધ્ય પૂર્વના દેશોને જોખમમાં મૂક્યા છે.

આ દરમિયાન ઈઝરાયેલે કહ્યું છે કે અમે ઈરાનની ધમકીથી ખતરામાં મુકાયેલા આ વિસ્તારમાં પોતાની તમામ સુરક્ષા જરૂરીયાતોને પુરી કરવાની તૈયારીઓ કરી રહ્યા છીએ. આ દરમિયાન જર્મનીની લુફ્થાન્સા એરલાઈન્સે જોખમને જોતા તહેરાન માટેની તેની તમામ ઉડાનો સસ્પેન્ડ કરી દીધી છે. રશિયાએ પણ મધ્યપૂર્વની યાત્રા કરવાને લઈ ચેતવણી જાહેર કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress