ટોપ ન્યૂઝનેશનલ

રાકેશ શર્મા બાદ બીજા ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા કરશે અંતરિક્ષની સફર, વાયુસેનાએ શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી : ભારતીય વાયુદળના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આવતીકાલે AXIOM-4 અવકાશ મિશન પર જવાની તૈયારી કરી રહ્યા છે. વાયુસેનાના વડા અને ભારતીય વાયુસેનાના તમામ વાયુ યોદ્ધાઓએ તેમને અને એક્સિઓમ-4(AXIOM-4) ના સમગ્ર ક્રૂને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની સલામત અને સફળ યાત્રાની શુભેચ્છા પાઠવી. ભારતીય વાયુસેનાએ કહ્યું કે આ ભારતીય અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય ઉમેરશે.

શુભાંશુ શુક્લા અવકાશમાં જનારા ભારતના બીજા અવકાશયાત્રી

જેમાં વાયુસેનાએ જાહેર કરેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે મંગળવારે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી. શુભાંશુ એક્સિઓમ-4 અવકાશ મિશન પર જવાના છે. એર ચીફ માર્શલે ગ્રુપ કેપ્ટનને અભિનંદન પાઠવ્યા હતા. શુભાંશુ શુક્લા 1984 પછી અવકાશમાં જનારા ભારતના બીજા અવકાશયાત્રી છે.

ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનો સંદેશ

ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક્સિઓમ સ્પેસના ચોથા ખાનગી અવકાશયાત્રી મિશન (X-4) નો ભાગ છે. જે નાસા સાથે ભારતના અવકાશ સહયોગ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. એક્સિઓમ સ્પેસ દ્વારા શેર કરાયેલા એક વિડિઓ સંદેશમાં ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ મિશનના પ્રસ્થાન પૂર્વે એક સંદેશ શેર કર્યો.

હું જે સફર પર છું તે મારા માટે ખૂબ મહત્વની : શુભાંશુ શુક્લા

મને એક્સિઓમ પહોંચવાના એક અઠવાડિયા પહેલા ખબર પડી કે હું જઈ રહ્યો છું. આ વિડીયો સંદેશમાં, તેમણે કહ્યું, ‘હું ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા છું. પ્રથમ ભારતીય અવકાશયાત્રી વિંગ કમાન્ડર રાકેશ શર્માએ 1984 માં અવકાશની મુસાફરી કરી હતી. હું તેમના વિશે પુસ્તકોમાં વાંચી રહ્યો છું અને અવકાશમાંથી તેમની વાર્તાઓ સાંભળી રહ્યો છું. હું તેમનાથી ખૂબ પ્રભાવિત થયો હતો. હું જે સફર પર છું તે મારા માટે ખૂબ મહત્વની છે.

મિશન લોન્ચ 11 જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યું

આ અગાઉ એક્સિઓમ-4 મિશન લોન્ચ 11 જૂન, 2025 સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. તેનું કારણ પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ હોવાનું જણાવવામાં આવ્યું હતું. ઇસરોએ જાહેરાત કરી હતી કે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS)લઈ જતું મિશન હવે 11 જૂને સાંજે 5:30 વાગ્યે ઉડાન ભરશે.

આપણ વાંચો:  હત્યા માટે સોનમે હનીમૂન પ્લાન બદલ્યો હતો! રાજાની ભાભીએ કર્યા મોટા ખુલાસા

ચાર અવકાશયાત્રીઓ 14 દિવસ માટે અવકાશ મથકે જઈ રહ્યા છે

એક્સિઓમ મિશન 4 માં ચાર દેશોના ચાર અવકાશયાત્રીઓ 14 દિવસ માટે અવકાશ મથકે જઈ રહ્યા છે. શુભાંશુ ISSની મુલાકાત લેનારા પ્રથમ અને અવકાશમાં જનારા બીજા ભારતીય હશે. આ પહેલાં રાકેશ શર્મા 1984માં સોવિયેત યુનિયનના અવકાશયાનમાં અવકાશમાં ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button