Jammu Kashmir માં સેનાના જવાનો પર ગ્રેનેડ હુમલો, પાંચ જવાન શહીદ

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના(Jammu Kashmir)કઠુઆ જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહેલી સેનાના જવાનોના વાહન પર આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડથી કરેલા હુમલામાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર સહિત પાંચ જવાનો શહીદ થયા હતા. જ્યારે પાંચ ગંભીર રીતે ઘાયલ છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. મોડી રાત સુધી કામગીરી ચાલુ રહી હતી. પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ફ્રન્ટ સંગઠન કાશ્મીર ટાઈગર્સે હુમલાની જવાબદારી લીધી છે.
આતંકવાદીઓએ પહેલા ગ્રેનેડ ફેંક્યો હતો
આ ઘટના સોમવારે બપોરે 3.30 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે આતંકવાદીઓએ બિલવાર ઉપજિલ્લામાં બદનોટાના બરનુદ વિસ્તારમાં જેંડા નાળા પાસે સેનાની 22 ગઢવાલ રાઇફલ્સના વાહન પર હુમલો કર્યો હતો. સેનાનું આ વાહન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતું. વાહનમાં દસ સૈનિકો હતા. આતંકવાદીઓએ પહેલા ગ્રેનેડ ફેંક્યો હતો. આ પછી અંધાધૂંધ ગોળીબાર શરૂ થયો.
તંકીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો
આતંકવાદીઓ દ્વારા સ્ટીલ બુલેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા છે. સેનાના જવાનોએ પણ ચાર્જ સંભાળ્યો અને જવાબી કાર્યવાહી શરૂ કરી. હુમલા બાદ આતંકીઓ ગાઢ જંગલમાં ભાગી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓ ઊંચાઈવાળા વિસ્તારમાં હતા. સૈનિકો તેમની પોઝીશન સંભાળે ત્યાં સુધી આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
એક મોટું ઓપરેશન ચલાવવાની તૈયારી
બીજી તરફ સેનાના ઓપરેશનમાં પેરા કમાન્ડોને પણ સામેલ કરવામાં આવ્યા છે. તેને હુમલાના વિસ્તારમાં એરલિફ્ટ કરવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સેના આતંકીઓને ખતમ કરવા માટે એક મોટું ઓપરેશન ચલાવવાની તૈયારી કરી રહી છે. જો કે સાંજે ભારે વરસાદ અને ધુમ્મસ શરૂ થઈ ગયું હતું. ઘાયલ જવાનોને પીએચસી બડનોટામાં પ્રાથમિક સારવાર બાદ પઠાણકોટની સૈનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બિલવરથી બદનોટા રોડ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ પર શંકા
આ હુમલામાં ત્રણ ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ સામેલ હોવાની આશંકા છે. તાજેતરમાં સરહદ પારથી તેમની ઘૂસણખોરીની આશંકા છે. ડીજીપી આર.આર સ્વૈન ખુદ આતંકીઓ સામેના ઓપરેશન પર નજર રાખી રહ્યા છે.આ હુમલામાં ત્રણ ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ સામેલ હોવાની આશંકા છે. તાજેતરમાં સરહદ પારથી તેમની ઘૂસણખોરીની આશંકા છે.
જે વિસ્તારમાં આતંકીઓએ હુમલો કર્યો તે વિસ્તાર ઉધમપુરના બસંતગઢ વિસ્તાર સાથે જોડાયેલો છે. ત્યાં અનેક એન્કાઉન્ટર થયા છે. એવું માનવામાં આવે છે કે સરહદ પારથી ઘૂસણખોરી કર્યા પછી, આતંકવાદીઓ આ માર્ગ દ્વારા મેદાની વિસ્તારોમાં પહોંચે છે.
બે દિવસ પહેલા છ આતંકવાદીઓ માર્યા ગયા હતા
જમ્મુના રાજૌરીમાં રવિવારે આર્મી કેમ્પ પર થયેલા હુમલામાં એક જવાન ઘાયલ થયો હતો. તેને પણ આતંકવાદી હુમલો માનવામાં આવી રહ્યો છે. આ પહેલા શનિવારે કુલગામ જિલ્લામાં બે એન્કાઉન્ટર થયા હતા, જેમાં સેનાએ છ આતંકીઓને ઠાર કર્યા હતા. સેનાના બે જવાનો પણ બલિદાન આપ્યા હતા. 26 જૂને ડોડામાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.