આજે નવલા નોરતાનો ત્રીજો દિવસ, મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ

નવેનવે દિવસ માતાજીની અલગ અલગ સ્વરૂપની આરાધના કરીને તેમના આશિર્વાદ મેળવવાનો ઉત્સવ

દરેક દેવી-દેવતાઓની અમુક મનપસંદ રાશિઓ હોય છે જેમના પર એમની મહેર વરસે છે અને આવી જ કેટલીક રાશિઓ છે કે જેમના પર મા દુર્ગાની મીઠી નજર રહે છે

દેશભરમાં નવરાત્રિની ધામધૂમથી ઊજવણી થઈ રહી છે ત્યારે આજે આપણે અહીં વાત કરીએ મા દુર્ગાની મનગમતી રાશિઓ વિશે

ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમના માતાની કૃપા રહે છે અને તેમના પર કોઈ મુસીબત, સંકટ નથી આવવા દેતા

આ રાશિઓ ગમે એટલી મુસીબતમાં હોય તો પણ માતાજીના ચાર હાથ તેમના પર રહે છે, જેને કારણે તેમના બગડેલા કામ પણ બને છે

વૃષભઃ આ રાશિના સ્વામિની ખુદ મા દુર્ગા છે એટલે જ આ રાશિ પર માતાની વિશેષ કૃપા રહે છે, આ મા દુર્ગા આ રાશિના જાતકોના દુઃખ- દર્દ, સંકટ હરી લે છે

સિંહઃ આ રાશિ એટલા માટે મા દુર્ગાની મનગમતી રાશિ છે કે કારણ કે માતા સિંહવાહિની છે અને માની કૃપાથી આ રાશિના લોકો કરિયરમાં ખૂબ જ પ્રગતિ કરે છે

તુલાઃ આ રાશિના આરાધ્યા દુર્ગા અને શુક્ર છે. તુલા રાશિ પર માતારાનીની હંમેશા રહેમનજર રહે છે અને તેમના જીવનમાં ખુશીઓની વર્ષા કરે છે માતાજી...