પાંચમી ઑગસ્ટથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થશે
શિવભકતો ભાંગ, ધતુરા, બિલિપત્ર વગેરે લઈ શિવમંદિરે ભીડ જમાવશે
શ્રાવણ માસ દરમિયાન પંચાક્ષરી શિવમંત્રનો જાપ લાખો લોકો કરે છે
ઓમ નમઃ શિવાયમાં ન-પૃથ્વી,મ-જળ, શિ-અગ્નિ,વા-પ્રાણવાયુ ય-આકાશનો સંકેત આપે છે
મન અને તનની શાંતિ માટે આ જાપ કરવામાં આવે છે
પણ શું તમને ખબર છે કે સ્ત્રી અને પુરુષો માટે મંત્રજાપના અલગ નિયમો છે
પુરુષોએ સીધા ષડાક્ષર સાથે ઓમ નમઃ શિવાય...એમ જાપ કરવાનો છે
આ મંત્રજાપ 11, 21 કે 108 વાર કરવો જોઈએ, ગમે તેમ જાપ કરવા નહીં
સ્ત્રીઓએ મંત્રજાપની શરૂઆત પંચાક્ષર નમઃ શિવાય...થી કરવી
સ્કંદપુરાણ અનુસાર આ જાપથી પાપનો નાશ થાય છે અને મોક્ષ મળે છે
જોકે મંત્રજાપ કરવામાં સૌથી વિશેષ હોય છે સ્વચ્છ મન અને શુદ્ધ ભક્તિભાવનું
છતાં પણ તમારા પંડિત કે મહારાજને પૂછી પૂજા-મંત્રજાપ કરવા હિતાવહ છે
Learn more