ગુરૂવારનો દિવસ ધનની દેવી લક્ષ્મીને સમર્પિત હોય છે અને આ દિવસે કેટલાક ઉપાય કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

આજે અમે તમને અહીં આવા જ કેટલાક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને અજમાવીને તમે પણ મા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો.

માન્યતા અનુસાર મા લક્ષ્મીને અમુક વસ્તુ ખૂબ જ પ્રિય હોય છે અને ઘરના મંદિરમાં તેને સ્થાન આપવાથી તેઓ ખુશ થાય છે.

આવું કરવાથી ઘરમાં ક્યારેય ધન, ધાન્યની કમી નથી વર્તાતી અને સુખ શાંતિ જળવાઈ રહે છે .

ચાલો જોઈએ શું છે આ ઉપાય -

શુક્રવારના દિવસે મંદિરમાં લાલ કપડા પર ઉત્તર પૂર્વ દિશામાં શ્રી યંત્રની સ્થાપના કરો. શ્રી યંત્રનો સંબંધ મા લક્ષ્મી સાથે છે અને મંદિરમાં તેને સ્થાન આપતા મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

મંદિરમાં દક્ષિણાવર્તી શંખ મૂકો, આવું કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થશે અને ઘરમાં પૈસાની તંગી નહીં વર્તાય

મંદિરમાં મા લક્ષ્મીની મૂર્તિની સામે ગુલાબનું અત્તર મૂકી રાખો, મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને ઘરમાં ખુશહાલી આવશે

લક્ષ્મી માને કમળનું ફૂલ ખૂબ જ પસંદ છે એટલે મંદિરમાં રોજ એક કમળનું ફૂલ ચઢાવો જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે

મંદિરમાં મા લક્ષ્મી સામે ગાયના ઘીનો દીવો કરો અને એમની સામે ઘીનું વાસણ મૂકી રાખો, આવું કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે

લક્ષ્મી માતાને લાલ રંગ ખૂબ જ પ્રિય હોય છે એટલે એમને લાલ રંગના વસ્ત્રો પહેરાવો. આ ઉપાયથી તેઓ પ્રસન્ન થાય છે અને ધનની વર્ષા કરે છે.