આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા...

અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને દેવસુતી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે 

આ વખતે આ એકાદશી 17મી જુલાઈના એટલે જે આજે ઉજવવામાં આવશે

એવી માન્યતા છે કે આજથી ચાર મહિના માટે દેવો સૂઈ જાય છે અને એને કારણે આ સમયે કોઈ પણ મંગળ કાર્ય કરવાનું વર્જ્ય છે

જ્યોતિષીઓએ આજના દિવસે કેટલાક ઉપાય કરવાનું સૂચન કર્યું છે, જેથી મા લક્ષ્મીની કૃપા વરસે છે

જો તમે પણ મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો આજે ચોક્કસ આ ઉપાયો કરી લો 

આજે 108 વખત ઓમ નમો નારાયણય કે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ, જેને કારણે આર્થિક સંકટ દૂર થાય છે 

સાંજે તુલસીના પાનથી બનાવવામાં આવેલી માળા ભગવાન વિષ્ણુને ચડાવો અને બીજા દિવસે આ માળા ઘરના મુખ્ય દ્વાર પર લગાવી દો

ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તેમના ફોટો પાસે એક રૂપિયાનો સિક્કો મૂકો. પૂજા બાદ આ સિક્કાને લાલ કપડામાં બાંધી તિજોરીમાં રાખી દો.

દક્ષિણાવર્તી શંખથી આજે શ્રીહરિનો અભિષેક કરવાથી ઘરમાં ખુશહાલી આવે છે

ઘર પરિવારમાં સુખ શાંતિ આવે એ માટે આજે ભગવાન વિષ્ણુને ખીરનો ભોગ લગાવો અને એના પર તુલસીનું પાન ચોક્કસ મૂકો