ડ્રાયફ્રૂટ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે અને એમાં પણ ખાસ કરીને અખરોટનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.

નિષ્ણાતો દ્વારા લોકોને દરરોજ પલાળેલાં અખરોટ ખાવાની સલાહ આપવામાં આવે છે.

આ અખરોટમાં ફાઈબર, મેગ્નેશિયમ, ઓમેગા-3, એન્ટી ઓક્સિડન્ટ્સ સહિતના અનેક વિટામિન્સ જોવા મળે છે.

પરંતુ આ જ અખરોટ અમુક લોકોને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે.

આપણે આજે વાત કરીશું એવા લોકો વિશે જેમણે અખરોટચ ના ખાવા જોઈએ

અખરોટમાં એલર્જી પેદા કરતાં તત્વો હોય છે, જે અસ્થમા જેવી બીમારીઓને આમંત્રણ આપવાનું કારણ બને છે.

અખરોટમાં વધુ કેલરી હોય છે જે વજન વધારે છે, જો તમે પણ વજન ઘટાડવા માંગતા હોવ તો અખરોટ ના ખાવું જોઈએ

આ ઉપરાંત અખરોટમાં એવા તત્વો હોય છે જે ડાયેરિયા જેવી સમસ્યાને આમંત્રણ આપે છે, ઝાડા વગેરે થયા હોય એવા સંજોગોમાં અખરોટ ના ખાવું જોઈએ

અખરોટની તાસીર ગરમ હોય છે, જેને કારણે અલ્સરની સમસ્યા વધે છે, આ ઉપરાંત ગેસ અને અપચો જેવી સમસ્યા પણ થાય છે.

પાચનતંત્ર સંબંધિત સમસ્યા હોય તો આવી સ્થિતિમાં અખરોટનું સેવન કરવાનું ટાળવું જોઈએ કારણ કે તેના સેવનથી પાચનતંત્ર સંબંધિત સમસ્યા વકરે છે.