ઉત્સવ

કેવો હશે સો વર્ષ પછીનો માનવી?

આજથી ૧૦૦ વર્ષ પછીની વ્યક્તિ આજની વ્યક્તિ કરતાં ઓછામાં ઓછા ૨૫ થી ૩૦ વર્ષ વધુ જીવશે. કેટલાક વધુ સ્પષ્ટપણે દેખાતા ફેરફારો એ હશે કે આજથી ૧૦૦ વર્ષ પછીના મનુષ્યો આજના માનવીઓ કરતાં સહેજ ઊંચા હશે. શરીર વધુ વજનદાર થઈ જશે. પરંતુ વ્યક્તિત્વમાં બહુ ઓછી આક્રમકતા અને સ્વભાવમાં મિત્રતા ભાવ વધી જશે.

પ્રાસંગિક -એન. કે. અરોરા

વૈજ્ઞાનિકો વચ્ચે આવા વિચિત્ર પ્રશ્ર્નો હંમેશાં પૂછવામાં આવે છે અને વર્ષો વર્ષ પૂછવામાં આવતા પ્રશ્ર્નો એકસરખા હોવા છતાં, તેમના જવાબો બદલાતા રહ્યા છે. ઉદાહરણ તરીકે, છેલ્લી સદીના પાંચમા અને છઠ્ઠા દાયકામાં, જ્યારે વૈજ્ઞાનિકો વચ્ચે એ પ્રશ્ર્ન ઊભો થયો હતો કે આખરે સો વર્ષ પછી માનવી કેવો હશે? ત્યારે તેમની પાસે કંઈક કહેવા કરતાં કશું ન કહેવાની પરિસ્થિતિઓ વધુ હતી. અર્થાત, આવા પ્રશ્ર્નોમાં, સામાન્ય રીતે પ્રાચીન ઇતિહાસના નાયકોના ફોટોગ્રાફ્સ સામે મૂકવામાં આવતા હતા અને આજના માનવીના ફોટોગ્રાફ્સ સાથે તેમની સરખામણી કરવામાં આવતી હતી અને પછી સામાન્ય રીતે એ નિષ્કર્ષ પર પહોંચવામાં આવતું કે દેખાવના સ્તરે કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં.

વૈજ્ઞાનિકો આ નિષ્કર્ષ પર પહોંચવા માટે ૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તના રાજાઓ અને રાણીઓના, ખાસ કરીને રાણી હત્શેપસુત અને ઑગસ્ટસ સીઝરથી લઈને નેપોલિયન અને રાણી વિક્ટોરિયા સુધીના ફોટોગ્રાફ્સ જોઈ એ નિષ્કર્ષ પર પહોંચતા કે દેખાવમાં તો હજારો વર્ષો પહેલાના લોકો પણ આજના સમયના લોકો જેવા જ હતા. દેખાવમાં ૩૫૦૦ વર્ષ પહેલાંની રાણી હત્શેપસુત અને ૨૫ વર્ષની રાણી વિક્ટોરિયા વચ્ચે કોઈ ફરક નહોતો. આ પરથી એમ સાબિત થતું હતું કે ૧૦૦, ૨૦૦ કે કેટલાંય વર્ષો પછી પણ માણસનું સ્વરૂપ, દેખાવ કે બંધારણ વગેરેમાં કોઈ ખાસ ફરક નહીં આવે, પરંતુ આ યોગ્ય ન હતું. વાસ્તવમાં, આ ભૂલભરેલું મૂલ્યાંકન ફોટોગ્રાફ્સ જોવાને કારણે હતું, કારણ કે ફોટોગ્રાફ્સની પોતાની મર્યાદાઓ હોય છે, ભલે તે ઘણું બધું બતાવે છે, પણ સાથે કંઈક છુપાવે પણ છે. ઇજિપ્તની રાણી હત્શેપસુતથી લઈને યંગ નેપોલિયન સુધીના ચહેરાઓ જોતાં એવું નથી લાગતું કે તે સમયના અને આજના સમયના લોકો વચ્ચે દેખાવમાં કોઈ ખાસ ફરક છે.

પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે ઇતિહાસના જુદા જુદા સમયગાળાના લોકોના ચહેરા એકસરખા દેખાઈ શકે છે, પરંતુ આ તસવીરો જોઈને કોઈના સ્વાસ્થ્ય અને ઉંમરની ખબર નથી પડતી. જુદા જુદા યુગના ઐતિહાસિક વ્યક્તિત્વોના ચહેરાઓ ભલે આજના માનવી જેવા હશે, પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે ઈતિહાસમાં મોટા ભાગના મહાન લોકો ૫૦ વર્ષથી પણ ઓછું જીવ્યા હતા, કારણ કે તે સમયે સરેરાશ ઉંમર ઘણી ઓછી હતી. જ્યારે આજે વિશ્ર્વના સૌથી ગરીબ દેશમાં પણ સરેરાશ વય ૫૦ વર્ષ છે. ભારતમાં, આઝાદીના સમય દરમિયાન, યુવાની ૨૦ વર્ષ પછી અને વૃદ્ધાવસ્થા ૪૦ વર્ષ પછી શરૂ થતા હતા. ૧૯૫૦ સુધી ભારતમાં સરેરાશ ઉંમર ૩૯-૪૦ વર્ષની હતી અને ખાસ લોકો પણ ૫૦ વર્ષ પછી ખૂબ વૃદ્ધ થઈ જતાં. છેલ્લી સદીના ૫૦ અને ૬૦ના દાયકામાં જો કોઈ વ્યક્તિ ૬૦ વર્ષની ઉંમરે મૃત્યુ પામે તો તે લાંબો સમય જીવ્યો હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ આજે ભારતમાં પુરૂષોની સરેરાશ ઉંમર ૭૧ વર્ષ અને સ્ત્રીઓની ઉંમર ૭૫ વર્ષ થઇ ગઇ છે.
તેથી પહેલાં ભલે ૧૦૦ વર્ષ પછીના મનુષ્યને વૈજ્ઞાનિકો સ્પષ્ટ ફેરફારો સાથે ઓળખી ન શક્યા હોય, પરંતુ આજે તેમની પાસે આવું કરવા માટેની ચોક્કસ તકનીકી કુશળતા છે. તેથી, વૈજ્ઞાનિકોના મતે, ૧૦૦ વર્ષ પછી એટલે કે લગભગ ૨૧૨૫ અને ત્યાર પછી, માણસની સરેરાશ ઉંમર વધીને લગભગ ૧૦૦ વર્ષ થઈ જશે. કેટલાક દેશોમાં તે ૧૨૦ થી ૧૨૫ વર્ષ સુધી પહોંચી જશે. એવો અંદાજ છે કે આ સતત વિકાસની ચરમસીમાએ પહોંચ્યા પછી મનુષ્ય ઓછામાં ઓછા ૧૫૦ વર્ષ જીવશે. પરંતુ જો આજની વ્યક્તિ ૧૦૦ વર્ષ પછી કેવી હશે તેના પર ફોકસ રાખીએ તો આ રીતે કેટલાક ફેરફારો જોવા મળશે. આજથી ૧૦૦ વર્ષ પછીની વ્યક્તિ આજની વ્યક્તિ કરતાં ઓછામાં ઓછા ૨૫ થી ૩૦ વર્ષ વધુ જીવશે. કેટલાક વધુ સ્પષ્ટપણે દેખાતા ફેરફારો એ હશે કે આજથી ૧૦૦ વર્ષ પછીના મનુષ્યો આજના માનવીઓ કરતાં સહેજ ઊંચા હશે. શરીર વધુ વજનદાર થઈ જશે. પરંતુ વ્યક્તિત્વમાં બહુ ઓછી આક્રમકતા અને સ્વભાવમાં મિત્રતા ભાવ વધી જશે.

આ વાત થોડી રમૂજી લાગી શકે છે, પરંતુ જો એમ કહેવામાં આવે કે આજના માનવીનો સ્વભાવ આજથી ૧૦૦ વર્ષ પછી સ્કોટિસ પ્રજાતિના ગોલ્ડન રીટ્રીવર કૂતરાઓ જેવો હશે તો અતિશયોક્તિ નહીં ગણાય. ગોલ્ડન રીટ્રીવરની જાતિના કૂતરાઓ દેખાવમાં ભારે હોય છે, પરંતુ તે ખુશમિજાજ હોય છે અને આક્રમક બિલકુલ નથી હોતા. જ્યાં સુધી માનવીના વિકાસની સાથે વિશ્ર્વના વિકાસની વાત કરીએ, તો વર્તમાન વિશ્ર્વમાં વિકાસના જે વિવિધ ટાપુઓ છે અથવા એકબીજાથી સંપૂર્ણપણે અલગ પરિસ્થિતિઓ છે. ૧૦૦ વર્ષ પછી આવી સ્થિતિ બહુ જોવા નહીં મળે. લગભગ દરેક જગ્યાએ વિકાસ એક સમાન હશે. પ્રમાણ અલગ અલગ હોઈ શકે છે. સો વર્ષ પછી, વિશ્ર્વના મોટાભાગના માણસોની શારીરિક ભિન્નતા ઓછી થઈ જશે અને તેમની વચ્ચે સમાનતા વધુ હશે. મોટા ભાગના પુરુષોની ઊંચાઈ અને બાંધો એક સમાન થઈ જશે. આજની સરખામણીમાં પુરુષોની ઊંચાઈ થોડી વધશે, પણ આ પુરુષો પાતળા હશે કે વજનદાર હશે એ અંગે મતભેદ છે.

કારણ કે કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે ભવિષ્યના પુરૂષો વધુ જાડા હશે, જ્યારે અન્ય માને છે કે તેઓ જરૂર કરતાં વધુ પાતળા હશે. સ્વભાવનો ઉલ્લેખ અમે ઉપર કર્યો છે કે તેઓ ગોલ્ડન રીટ્રીવર જેવા હશે. એક ખાસ ફેરફાર જે આશ્ર્ચર્યચકિત કરશે તે એ છે કે વિશ્ર્વના મોટાભાગના લોકોની ત્વચાનો રંગ ધીરે ધીરે સમાન થઈ જશે એટલે કે તે આછો શ્યામ અથવા ઘાટો હશે. ત્યારે યુરોપ, અમેરિકા, ઉત્તર ધ્રુવ અને કેનેડાથી ઑસ્ટ્રેલિયા સુધી મોટા ભાગના પુરુષો એક સમાન દેખાશે, આછા શ્યામ. પરંતુ, વિવિધ ભૌગોલિક વિસ્તારોની લાક્ષણિકતાઓ તે ભૌગોલિક વિસ્તારોમાં હાજર રહેશે. માનવ મગજ સરળતાથી કોમ્પ્યુટર ઈન્ટરફેસનો ઉપયોગ કરી શકશે: સ્પેસ ટ્રાવેલ સામાન્ય બની જશે, જેમ આજકાલ આપણે એક અઠવાડિયાની રજાઓમાં નજીકનાં હિલ સ્ટેશનોની મુલાકાત લઈએ છીએ, તેવી જ રીતે ૧૦૦ વર્ષ પછી લોકો આવી રજાઓમાં ચંદ્ર અને તારાઓની મુસાફરી કરવાનું પસંદ કરશે એટલે કે અવકાશ યાત્રા ખૂબ સરળ બની જશે.

જ્યારે દરેક ક્ષેત્રમાં ઘણી સમાનતાઓ જોવા મળશે, ત્યારે વિશ્ર્વભરમાં હવામાન અને આબોહવા પણ ૧૦૦ વર્ષ પછી મોટાભાગે એકસમાન જોવા મળશે અને તેની પાછળનું કારણ સમગ્ર વિશ્ર્વમાં એક જ ટેકનોલોજીનો ઉપયોગ થશે. સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી સમાન વાતાવરણ સર્જાશે. ૧૦૦ વર્ષ પછી, મુસાફરી ઘણી સરળ અને ઝડપી બનશે. ભારતના કોઈપણ ખૂણેથી જઈને
એક દિવસમાં પાછા ફરવાનું લોકો
વિચારી શકશે. લગભગ તમામ બાળકો ડહાપણ દાંત વિના જન્મશે. જો કે, અત્યારે પણ મોટી સંખ્યામાં બાળકો ડહાપણ દાંત વિના જન્મે છે કારણ કે તેના શરીરને તેની જરૂર નથી રહી.
૧૦૦ વર્ષ પછી, આંખ, દાંત અને શરીરના અન્ય ઘણા ભાગોનું પ્રત્યારોપણ એ શરદી અને ઉધરસની સારવાર જેટલું સામાન્ય બની જશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…