ઉત્સવ

હજુ પણ રહસ્યમય છે વિશ્ર્વનો સૌથી ભયંકર વિસ્ફોટ,તુંગસ્કા વિસ્ફોટ જેમાં આઠ કરોડ વૃક્ષો બળી ગયાં હતાં

ફોકસ -એન. કે. અરોડા

૩૦ જૂન, ૧૯૦૮ ની આ વાત છે. રશિયાના સાઇબીરિયામાં તુંગુસ્કા નદીના કિનારે એટલો ભયાનક વિસ્ફોટ થયો કે તેનો અવાજ ૨૦૦૦ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને ત્યારબાદ રિક્ટર સ્કે

લ પર ૫.૦ ની તીવ્રતાનો ભૂકંપ પણ આવ્યો હતો. એ વિસ્ફોટ પછી ત્યાંનું તાપમાન એટલું ભયંકર થઈ ગયું કે હિરોશિમામાં જે બોમ્બ ફૂટ્યો હતો. ત્યાર બાદ સર્જાયેલા તાપમાન કરતાં અહીંનું

તાપમાન ૧૮૫ ગણું વધારે હતું. એમ પણ કહી શકાય કે આ વિસ્ફોટ પછી એટલી ઊર્જા ઉત્સર્જિત થઈ, જેટલી ઊર્જા હિરોશિમામાં વિસ્ફોટ થયેલા બોમ્બની સમકક્ષ ૧૮૫ બોમ્બ ફોડવા પર થઈ હોત.

આ ભયંકર વિસ્ફોટનું પરિણામ એ આવ્યું કે સાઇબીરિયાના અત્યંત ગાઢ જંગલોમાં ૮ કરોડ વૃક્ષો આંખના પલકારામાં નાશ પામ્યાં. વૃક્ષોની જગ્યાએ માત્ર કાળી રાખ જ રહી ગઈ. સવાલ એ છે કે આ

વિસ્ફોટનું કારણ શું હતું? વૈજ્ઞાનિકો ૧૯૦૮ થી એ અંગે શોધ કરી રહ્યા છે, પરંતુ આટલા પ્રયત્નો છતાં, તેઓ હજી પણ તે વિસ્ફોટનું રહસ્ય શોધી શક્યા નથી.

શું આ કોઈ ઉલ્કાપિંડનો વિસ્ફોટ હતો, જે જમીન પર નહીં પરંતુ જમીનથી લગભગ ૫ થી ૧૦ કિલોમીટરની ઊંચાઈએ થયો હતો? કે પછી બે ઉલ્કાપિંડ જમીન પર પડતા પહેલા એકબીજા સાથે અથડ

ાયા હતા? કે પછી તે એક એન્ટિમેટર વિસ્ફોટ હતો? આ દાવા અંગે વૈજ્ઞાનિકો હજુ કંઈપણ કહેવાની સ્થિતિમાં નથી. વિજ્ઞાનીઓનું માનવું હતું કે બે-ચાર વર્ષના અથાક પ્રયત્નો પછી તેઓ આ રહસ્ય

ઉકેલી લેશે. પરંતુ ૧૧૬ વર્ષ વીતી ગયા છે, વૈજ્ઞાનિકો હજુ પણ આ વિસ્ફોટના કોઈ છેડાને સમજી શક્યા નથી, જ્યારે છેલ્લાં ૧૦૦ વર્ષમાં વિજ્ઞાન ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે. હકીકતમાં, આ

આધુનિક ઇતિહાસનો સૌથી રહસ્યમય વિસ્ફોટ છે. હવે વૈજ્ઞાનિકોને પણ શંકા થવા લાગી છે કે શું તેઓ આ સદીના બાકીના ૮૬ વર્ષમાં પણ આ વિસ્ફોટની વાસ્તવિકતા શોધી શકશે? આનો અર્થ

એ છે કે આખરે આ વિસ્ફોટ કેમ, કંઈ રીતે અને કંઈ વસ્તુથી થયો એ વૈજ્ઞાનિકો સમજી શક્યા નથી.

આધુનિક વિજ્ઞાનના સૌથી રહસ્યમય અને જટિલ પ્રશ્ર્નમાંનો એક પ્રશ્ર્ન એ છે કે સાઇબીરિયામાં વહેતી તુંગુસ્કા નદીના કિનારે જે વિસ્ફોટ થયો હતો તેનું કારણ શું હતું અને તેમાં શા માટે અને કેવી

રીતે આટલી ઊર્જા ઉત્પન્ન થઈ હતી કે ૮ કરોડ જીવંત વૃક્ષો આંખના પલકારામાં બળીને રાખ થઈ જાય છે? વૈજ્ઞાનિકોએ આ મામલે તમામ પ્રકારની અટકળોનો આશરો લીધો છે. સૌથી મુશ્કેલ, સૌથી

સામાન્ય અને સૌથી રહસ્યમય. પરંતુ આજ સુધી કોઈ વિજ્ઞાન આ વિસ્ફોટનું રહસ્ય ઉકેલી શક્યું નથી. જ્યારે વિશ્ર્વભરના સેંકડો વૈજ્ઞાનિકો આ વિસ્ફોટનું રહસ્ય જાણવા માટે દિવસ-રાત સતત કામ

કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ વિસ્ફોટ પછી રશિયાનો નકશો જ બદલાઈ ગયો. તુંગુસ્કા નદીનો આ કિનારો, જે આજકાલ ક્રાસ્નોયાર્સ્ક ક્રાઈ તરીકે ઓળખાય છે, જ્યાં આ વિસ્ફોટ થયો

હતો અને એવી શંકા છે કે આ વિસ્ફોટ જમીનથી ૫ થી ૧૦ કિલોમીટરની ઊંચાઈએ થયો હતો. કેટલાક વૈજ્ઞાનિકોના મતે, તે બે ઉલ્કાઓ વચ્ચેની હવાઈ અથડામણ હતી, જેનું કદ અનુક્રમે ૬૦ મીટ

રથી ૧૯૦ મીટરની વચ્ચે હતું.

આ પૃથ્વી પર અત્યાર સુધીનો સૌથી ભયાનક વિસ્ફોટ હતો, તેના કરતાં મોટો વિસ્ફોટ પૃથ્વી પર ક્યારેય જોયો કે સાંભળ્યો ન હતો. એક અંદાજ મુજબ, આ એક વિસ્ફોટ હતો જે ૩ થી ૩૦ મેગાટન

વિસ્ફોટકના કારણે થયો હોઈ શકે છે. જો કે કેટલાક લોકો એવું પણ માને છે કે અમેરિકા આ વિસ્ફોટ વિશે ઘણું જાણે છે, પરંતુ તેણે ક્યારેય સોવિયત યુનિયન સાથે કે પછી રશિયા સાથે શેર કરવાનો

પ્રયાસ કર્યો નથી. એવું માનવામાં આવે છે કે રશિયા પાસે જે સૌથી ખતરનાક માનવસર્જિત બોમ્બ ‘જાર બોમ્બ’ છે, આ તેના જેવો જ બોમ્બનો વિસ્ફોટ હતો, પરંતુ આ રશિયા પાસેના બોમ્બના

માત્ર ૨૦ ટકા સમાન હતો. એવું માનવામાં આવે છે કે આ વિસ્ફોટ પછી, સાઇબીરિયાનાં જંગલોના ૮૩૦ ચોરસ માઇલમાં ઊભેલાં તમામ વૃક્ષો અને છોડ રાખ થઈ ગયાં હતાં. અહીંનાં ૮ કરોડ વૃક્ષો

બળીને રાખ થઈ ગયાં હતાં. એવું માનવામાં આવે છે કે આવા વિસ્ફોટો પૃથ્વીને ખૂબ જ સરળતાથી નષ્ટ કરી શકે છે.

જો કે, આ વિસ્ફોટ સાથે એક સારી બાબત એ હતી કે તેમાં કોઈ વ્યક્તિને ઈજા થઈ ન હતી, કારણ કે સાઈબેરિયાનાં જંગલો જ્યાં આ વિસ્ફોટ થયો હતો તે લગભગ નિર્જન હતો. ઘણા લોકો માને છે

કે અમેરિકન વૈજ્ઞાનિકોએ કોઈ ખાસ પ્રયોગના સંબંધમાં આ વિસ્ફોટ કર્યો હતો? જોકે સત્ય શું છે? તે વહેલા કે મોડું બહાર આવશે અને દેખીતી રીતે તે ખૂબ જ ડરામણું હશે. કારણ કે ૮ કરોડ વૃક્ષો

બળવા એ આપણને માત્ર પ્રકૃતિ પ્રત્યે લાગણીશીલ જ નથી બનાવતા, પરંતુ ડરાવે પણ છે કે જો કુદરતી આફતો આપણને આ રીતે ડરાવશે તો માનવી જીવન અને પ્રગતિ વિશે કેવી રીતે વિચારશે.

વિશ્ર્વના ઘણા વૈજ્ઞાનિકો અને તેમની સંસ્થાઓ જાહેરમાં માને છે કે આવી ઘટનાઓનું શક્ય તેટલું જલદી સંશોધન થવું જોઈએ જેથી તે શા માટે બન્યું તે જાણવા મળે. અન્યથા આપણી તમામ વ

ૈજ્ઞાનિક સિદ્ધિઓ હંમેશાં શંકાના દાયરામાં રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ