ઉત્સવ

પૃથ્વી પર જીવન માટે જરૂરી છે મહાસાગરો

વિશેષ -સંધ્યા સિંહ

મહાસાગરો આપણુ ભરણપોષણ કરે છે. આ પૃથ્વીમાં ઓક્સિજન, ખોરાક, દવા, મનોરંજન અને સંસ્કૃતિના સ્ત્રોત છે. વિશ્ર્વમાં ૩ બિલિયનથી વધુ લોકો મહાસાગરોમાંથી ખોરાક, ખાસ કરીને પ્રોટીન અને અન્ય મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વો મેળવે છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે પૃથ્વી પર માનવ જીવન માટે મહાસાગરોનું અસ્તિત્વ કેટલું મહત્વનું છે. જે લોકો દરિયાઈ ખોરાક ખાતા નથી, એનો અર્થ એ નથી કે એમના ભોજનમાં મહાસાગરની કંઈ ભૂમિકા નથી. પૃથ્વી પર ઊગતા દરેક છોડ, ફળ અને શાકભાજીમાં મહાસાગરો દ્વારા સંચાલિત જળચક્ર જ ભૂમિકા ભજવે છે. મૂળ વાત એ છે કે આપણે અને પૃથ્વીના દરેક જીવંત પ્રાણી માત્ર મહાસાગરોને કારણે જ જીવંત છે.

પરંતુ આજે, માનવીય હરકતોને લીધે, જે રીતે આપણે મહાસાગરોને પ્લાસ્ટિક કચરો, અશ્મિભૂત તેલ, જંતુનાશકો અને ઝેરી કચરાથી ભરી રહ્યા છીએ, આખરે મહાસાગરો ક્યાં સુધી ટકી શકશે? યાદ રાખો, મોટા ભાગનું દરિયાઈ પ્રદૂષણ માત્ર જમીનમાંથી જ નથી આવતું પણ માનવીય હરકતોનું પરિણામ છે. જમીનના મોટા ભાગના ખેડાણ દરમિયાન ખોદવામાં આવેલી માટી વરસાદને કારણે ફરી દરિયામાં વહી જાય છે. આ વહેણમાં કૃષિ ખાતરો અને જંતુનાશકોનો પણ મોટો જથ્થો હોય છે. કચરો અને ગટરનું ડમ્પિંગ, દરિયાઈ પરિવહન, ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટ વોટર વગેરેને કારણે સમુદ્ર કચરાઘર બની રહ્યો છે. સમુદ્રની ૮૮% સપાટી પ્લાસ્ટિકના કચરાથી ભરેલી છે. દર વર્ષે ૮ થી ૧૪ મિલિયન ટનથી વધુ પ્લાસ્ટિક મહાસાગરોમાં આવે છે. દરિયાઈ પ્લાસ્ટિકના પ્રદૂષણને કારણે ૧૦૦ ટકા દરિયાઈ કાચબા, ૫૯ ટકા વ્હેલ, ૩૬ ટકા સીલ અને ૪૦ ટકા દરિયાઈ પક્ષીઓની પ્રજાતિઓને અસર થઇ છે. યાદ રાખો, દરિયાઈ કચરાનો માત્ર ૧ ટકો જ પાણી પર તરે છે, બાકી બધું સમુદ્રના તળિયે બેસી જાય છે, જેના કારણે મહાસાગરો પ્લાસ્ટિક, ઔદ્યોગિક અને ગંદાપાણીના કચરાથી ભરાઈ ગયા છે.

માનવ દ્વારા માછલીઓ અને અન્ય દરિયાઈ જીવોનું આડેધડ શોષણ પણ મહાસાગરોના અસ્તિત્વ માટે ખતરો છે. જે રીતે મહાસાગરોમાં પ્લાસ્ટિકના કચરાનો ઢગલો થઈ રહ્યો છે, તેનાથી બાષ્પીભવનની વર્તમાન સ્થિતિ ધીમી અથવા દૂર થઈ રહી છે અને પૃથ્વી વરસાદથી વંચિત રહી શકે છે. જો મહાસાગરો નહીં હોય અને પાણીનું બાષ્પીભવન નહીં થાય, તો જમીન પર વરસાદ નહીં થાય અને જો જમીન પર વરસાદ નહીં થાય, તો કોઈ વનસ્પતિ નહીં ઊગે અને કોઈ પ્રાણી જીવંત બચશે નહીં. માત્ર પૃથ્વી પર જ નહીં પણ સમુદ્રમાં પણ, કારણ કે સમુદ્રમાં રહેતા જીવોનું ભોજન પણ પૃથ્વી પર રહેલા છોડ અને પ્રાણીઓને કારણે જ સંભવ છે. દરેક વ્યક્તિ જાણે છે કે મહાસાગરો સંસાધનોથી સમૃદ્ધ છે. તેથી જ ચીન હોય કે અમેરિકા, શક્ય તેટલું વધુ સમુદ્ર કબજે કરવાની વ્યૂહરચના બનાવતા રહે છે. કારણ કે તે મહાસાગર જ છે જ્યાં ૮૦ ટકાથી પૃથ્વીનું પેટ્રોલિયમ હાજર છે. એ મહાસાગરો જ છે જ્યાં ટીન, સોનું, કોબાલ્ટ, કેડમિયમ, યુરેનિયમ અને અન્ય ઘણા પ્રાકૃતિક ગેસનો ભંડાર છે. આ મહાસાગરોમાં આધુનિક જીવનની સરળ કામગીરી માટેનાં સંસાધનો છે. તે મહાસાગર જ છે જે અમુક અંશે આપણી આબોહવામાં હાજર છે, તેની એ રક્ષા કરે છે. વાસ્તવમાં મહાસાગરોને કારણે વાતાવરણ સ્થિર રહે છે. તે કાર્બન ડાયોક્સાઇડ અને ગરમીને શોષી લે છે અને પછી આ શોષેલી ગેસની ગરમીને વિષુવવૃત્તની નજીકના વિસ્તારમાં પહોંચાડે છે, જેના કારણે પૃથ્વીની હાલની રચના સુરક્ષિત છે.

મહાસાગરો તોફાન પ્રણાલીઓ અને વૈશ્ર્વિક આબોહવા માટે ભેજ અને ઠંડક પ્રદાન કરે છે. તેથી, પૃથ્વી પર માનવ અસ્તિત્વને સુનિશ્ર્ચિત કરવા માટે, તે મહત્ત્વપૂર્ણ છે કે આપણા મહાસાગરો માત્ર સુરક્ષિત જ નહીં પરંતુ સ્વસ્થ પણ રહે. લોકોમાં આ અંગે જાગૃતિ વધારવા માટે દર વર્ષે ૮ જૂનના વિશ્ર્વ મહાસાગર દિવસ ઉજવવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress