પર્યાવરણ સાથે છેડછાડહાથનાં કર્યાં હૈયે વાગ્યાં

ફોકસ -રાકેશ ભટ્ટ
હાલમાં કેરળના વાયનાડમાં ભૂસ્ખલનનો જે અકસ્માત થયો, તેઓ જ અકસ્માત થોડા વર્ષ પહેલાં વાયનાડથી ત્રણ કિલોમીટર દૂર કુરુમ્બળાકોટ્ટા નામની જગ્યાએ થયો હતો. જોકે, ત્યાં આટલો બધો વિનાશ થયો ન હતો. વાયનાડ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો ચાના બગીચાના મજૂરો હતા.
અગાઉ થયેલા અકસ્માતની અસર પણ મજૂરોને જ થઈ હતી. આ મજૂરોને ખૂબ જ ઓછો પગાર આપવામાં આવે છે. તેઓ ખૂબ જ નાનકડી ઝૂંપડીઓમાં રહેવા મજબૂર હોય છે. જ્યારે ભૂસ્ખલન અથવા પૂર આવે છે, ત્યારે પાણી અને માટી ઝૂંપડીમાં ઘુસી જાય છે, જેમાં તેઓ મૃત્યુ પામે તેવી શક્યતા રહે છે. પુથુમલામાં ભૂસ્ખલનની ઘટના દિવસ દરમિયાન બની હતી. પરિણામે કેટલાક મજૂરો મૃત્યુ પામ્યા, પરંતુ ઘણા બચી ગયા હતા. જોકે વાયનાડ નજીક થયેલો અકસ્માત મોડી રાત્રે અથવા વહેલી સવારે થયો હતો, જેના કારણે મોટી જાનહાનિ થઈ
હતી.
આ ઘટના નિમિત્તે ફ્લેશબેકમાં નજર કરીએ તો જણાશે કે કેરળમાં ચાના બગીચાનો ઈતિહાસ બ્રિટિશ કાળનો છે. ૧૮૬૦માં અંગ્રેજોએ અહીં વન વ્યવસ્થાપન અને વૃક્ષારોપણની શરૂઆત કરી હતી. તે કરવા માટે તેમણે પહેલા અભ્યાસ કર્યો હતો. હવે અંગ્રેજોએ પોતાના જ દેશમાં ૩૦૦ વર્ષ પહેલાં જંગલનો નાશ કર્યો હતો. તેથી તેઓએ અભ્યાસ કરવા માટે બીજી વ્યક્તિ લાવવી પડી. તે ઉદારવાદી હતી. તેણે કહ્યું કે આ વિસ્તારમાં સ્થાનિક સમુદાય સારું વન વ્યવસ્થાપન કરી રહ્યું છે. આનો અર્થ એ છે કે, શરૂઆતમાં જ અંગ્રેજોએ ભારતનું વર્ણન ’ઓશન ઓફ ટ્રીઝ’ અર્થાત ’વૃક્ષોનો મહાસાગર’ તરીકે કર્યુ
હતું. જો કે, હવે જ્યારે અંગ્રેજો પોતાના માટે સંસાધનોનો ઉપયોગ કરવા માંગતા હતા, ત્યારે તેઓએ એ હકીકત પર ધ્યાન ન આપ્યું કે સ્થાનિક સમુદાય જંગલનું યોગ્ય રીતે સંચાલન કરી રહ્યું છે. તેઓ આ જગ્યાને સ્થાનિકોથી દૂર લઈ જઈ, જે રીતે તેઓ ઈચ્છતા હતા એ રીતે તેનો ઉપયોગ કરવા માંગતા હતા. પછી તેઓએ સ્થાનિક વૃક્ષો કાપીને ત્યાં સાગનું વાવેતર કરવાનું શરૂ કર્યું. તેઓ રેલવેના બળતણ તરીકે તેના લાકડાને બાળી રહ્યા હતા.
આ બધા અંગ્રેજો ચા અને કોફીના શોખીન હતા. તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સીના અંગ્રેજ અધિકારીઓએ તે સમયે તેમને કહ્યું હતું કે પહાડી ઢોળાવ પર રહેતા સ્થાનિક લોકો ખેતી કરે છે, ત્યારે તેઓ બધા જંગલો કાપતા નથી. તેઓ આંબા, ફણસ, ગુંદર જેવા વિવિધ વૃક્ષોનું જતન કરે છે જે તેમના માટે કિંમતી છે. બધા જંગલોનો નાશ થતો નથી. તે સમયે બ્રિટિશ સત્તાવાળાઓએ એવા પત્રો લખ્યા છે કે આ વતનીઓની જમીનનો તમારી ઈચ્છા મુજબ ઉપયોગ કરવો તેને ’સંરક્ષણ’ કહેવાતું હશે, પરંતુ તે બળજબરીપૂર્વકની હસ્તક્ષેપ છે. આમ કરવું યોગ્ય નહીં ગણાય. તેના બદલે, જંગલ તેમના હાથમાં છોડી તેનું સંચાલન સ્થાનિક સમુદાયના હાથમાં છોડી દો. પરંતુ, તે સમયે ચા-કોફી ઉત્પાદકોએ ઉલટા પત્રો લખ્યા કે જો આ લોકોને ગરીબ અને કંગાલ નહીં બનાવીએ તો આપણે મજૂરો ક્યાંથી લાવીશું? તેથી તેમને ભૂખ્યા કંગાલ કરવા જ જોઈએ. અંગ્રેજોએ પણ અમુક અંશે અમેરિકામાં અશ્વેતોને ગુલામ બનાવ્યા હતા. તેઓ આ સ્થાનિકોને ગુલામ તરીકે બોલાવતા ન હતા, પરંતુ તેઓ તેમની સાથે એવું વર્તન કરતા હતા. કમનસીબી એ છે કે તે અત્યારે પણ એવુ જ ચાલુ છે. વાયનાડમાં અકસ્માતમાં આવા મજૂરોના મોત થયા છે.
ભૂસ્ખલન સ્થળની આસપાસ મોટા મોટા રિસોર્ટ છે. તે રિસોર્ટમાં વિશાળ સ્વિમિંગ પૂલ બનાવીને સ્થાનિક પ્રકૃતિ સાથે ખૂબ જ હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે. ૨૦૧૧ માં કેન્દ્ર સરકારને આપેલા અહેવાલમાં, કહેવામાં આવ્યું હતું કે પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારો ત્રણ સ્તરે હોવા જોઈએ. તેની રચના એવી હોવી જોઈએ કે ઝોન-૧ એટલે પર્યાવરણની દૃષ્ટિએ સૌથી વધુ સંવેદનશીલ, ઝોન-૨ એટલે પર્યાવરણની દૃષ્ટિએ મધ્યમ સંવેદનશીલ અને ઝોન-૩ એટલે પર્યાવરણની દૃષ્ટિએ સૌથી ઓછું સંવેદનશીલ. હવે ’ઝોન-૨’માં અમુક કામ કરવાની છૂટ આપવી જોઈએ, જ્યારે ઝોન-૩માં થોડું વધુ કામ કરવાની છૂટ આપવી જોઈએ. આનાથી ઘરોનું નિર્માણ અટકશે નહીં, તેની કોઈ જરૂર નથી. જો કે, તે ડુંગરાળ કે ઢોળાવવાળી જગ્યાઓએ, જ્યાં વરસાદ વધુ પડે છે જે ઝોન -૧ માં આવે છે, ત્યાં કેટલીક બાબતો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ. પરંતુ, આ પ્રતિબંધ સ્થાનિક ગ્રામ પંચાયતોને વિશ્વાસમાં લઈને, તેઓ શું ઈચ્છે છે, કઈ પદ્ધતિ વિકસાવવા માગે છે, કઈ પદ્ધતિથી તેઓ રક્ષણ કરવા માગે છે અને લોકતાંત્રિક રીતે નિર્ણય લેવા માગે છે તેની ચર્ચા કરીને આ પ્રતિબંધ મૂકવાનું સૂચવવામાં આવ્યું હતું. પરંતુ સરકારે તેનો સ્વીકાર કર્યો નહીં. કારણ કે, તેમાં શાહુકારોનો હાથ હતો.
સરકારે પછી કે. કસ્તુરીરંગનને કામ કરવા કહ્યું. કસ્તુરીરંગનનો અહેવાલ પહેલાના અહેવાલનું પાતળું સંસ્કરણ છે, એવું લોકો કહે છે. આ અહેવાલમાં ફક્ત પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારો રાખવાનું કહેવામાં આવ્યું હતું. સૌથી ખરાબ બાબત એ છે કે નિર્ણય લેવાની પ્રક્રિયામાં સ્થાનિક લોકોનો કોઈ મત નથી. હવે જો સરકારે કસ્તુરીરંગન કમિટીના સૂચન મુજબના વિસ્તારો બનાવ્યા હોય તો પણ સરકાર જે ઇચ્છે છે, તે જ થાય છે. લોકો વિચારે છે કે તેઓને પર્યાવરણની સુરક્ષા બિલકુલ જોઈતી નથી. કારણ કે, તેઓ માને છે કે પર્યાવરણની સુરક્ષાનો અર્થ એ છે કે આપણે વન વિભાગની પકડમાં રહીશું.
અમે સૂચવ્યા મુજબ લોકોલક્ષી રીતે સાવચેતીપૂર્વકની વૈજ્ઞાનિક માહિતીના આધારે પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારો બનાવવાનું સરકારમાં કોઈ વિચારતું નથી.
રિપોર્ટમાં અમે ભૂસ્ખલનના કારણો પણ રજૂ કર્યા છે. તેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જો પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં બાંધકામો કરવામાં આવે, પથ્થરની ખાણો, આયર્ન ઓર, મેંગેનીઝની ખાણો, ઇમારતો પહાડી ઢોળાવ પર બાંધવામાં આવે તો જોખમ વધે છે. એ ખતરો હવે વધી ગયો છે. દખલગીરી વધી રહી છે. જ્યાં અકસ્માત થયો છે તે વિસ્તાર સંવેદનશીલ ઝોન-૧ હેઠળ આવે છે. જે રીતે હોવું જોઈએ તે રીતે તેની કાળજી લેવામાં આવતી નથી. ઊલટું ત્યાં બાંધકામો થઈ રહ્યા છે, રિસોર્ટ થઈ રહ્યા છે. આ બધાના પરિણામે ભૂસ્ખલનનું જોખમ વધી રહ્યું છે.