ઉત્સવ

વડનગરથી વિશ્ર્વ સુધીની જીવનયાત્રાના મહાયાત્રિક- શ્રી નરેન્દ્રભાઈ મોદી

પ્રાસંગિક -ભરત પંડ્યા

॥ શતમ્ જીવમ્ શરદ:॥
લેખક-ભરત પંડ્યા
વડનગરમાં જન્મેલા, સંઘમાં પ્રચારક તરીકે જોડાયેલા, ભાજપમાં પ્રદેશ મહામંત્રી પછી રાષ્ટ્રીય મંત્રી-મહામંત્રી અને ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે ‘વિકાસ પુરુષ’ની છબી પછી દેશના પ્રધાનમંત્રીથી ‘વૈશ્ર્વિક પ્રતિભા’ ઊભી કરનાર શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૩ વર્ષની જીવનયાત્રા જનહિત-દેશહિત માટે અનેક દૃષ્ટિકોણથી ફળદાયી રહી.
‘વસુધૈવ કુટુમ્બકમ’નો વિચારએ વિશ્ર્વગુરુ બનવાની દિશામાં એક અંગદનો પગ બની રહેશે.

૨૦ દેશોના સંગઠન જી-૨૦ના ભારતના અધ્યક્ષપદે સમગ્ર વિશ્ર્વને ‘વસુધૈવ કુટુમ્બકમ’સાથે જોડીને દુનિયાને ભારતની સાંસ્કૃતિક ધરોહરના દિશાદર્શન કરાવી દીધાં છે. અત્યાર સુધી દુનિયાના દેશો ‘વિશ્ર્વને એક વ્યાપાર’ તરીકે માનતા હતા. જ્યારે ભારતે ‘વિશ્ર્વ એક પરિવાર’ તરીકેની વિચાર-ભાવના રજૂ કરીને ‘વન અર્થ-વન ફેમિલી-વન ફ્યુચર’ના સૂત્ર સાથે વિશ્ર્વ ગુરુ બનવાની દિશામાં એક અંગદના પગની જેમ પ્રસ્થાપિત કરી દીધો છે. ઋષિમુનિઓના વેદ-ઉપનિષદના ઐતિહાસિક-ચિરંજીવીના વિચાર પાછળ સનાતની પરંપરા, પૂ.શંકરાચાર્ય, પૂ.સંતો, મહાપુરુષો, સંઘ-પરિવારની તપશ્ર્ચર્યા છે, પરંતુ તેની સાથે જી-૨૦માં ‘વસુધૈવ કુટુમ્બકમ’ના વિચારને મૂર્તિમંત કરવામાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પરિશ્રમ, વિઝન, વૈશ્ર્વિક નેતૃત્વની સ્વીકૃતિને પણ આભારી છે. તેના માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીને કોટી કોટી અભિનંદન આપીએ તો પણ ઓછા પડે. તેમના જન્મદિવસ નિમિત્તે તંદુરસ્ત સ્વાસ્થ્ય, વાણીમાં સરસ્વતી અને યશસ્વી પ્રતિભા સાથે ભારતના સર્વાંગી વિકાસ અને સનાતન ગૌરવને વિશ્ર્વમાં પ્રતિષ્ઠિત કરતાં રહો તેવી શુભકામના.

શ્રી નરેન્દ્રભાઈને ઓળખવા-સમજવા માટે તેમના મન-હૃદયમાં રહેલાં વિચાર-લેખનની અનુભૂતિ કરવી પડે.

૧૯૮૨થી હું તેમના સંપર્ક અને સંબંધમાં આવ્યો છું. સાતત્યપૂર્ણ ૪૧ વર્ષથી પ્રત્યક્ષ નજીકથી અને અપ્રત્યક્ષ નજીકથી અનેક પરિસ્થિતિઓમાં હું તેમની સાથે રહ્યો છું. મેં તેઓને વાંચન, લેખન અને પ્રવચન તેમજ ગૃહકાર્ય, સંઘકાર્ય અને ભાજપ-સંગઠન કાર્યથી લઈને મુખ્ય મંત્રીથી પ્રધાનમંત્રી સુધીના કાર્યકાળને જોવા-જાણવાનું અને અનુભવવાનું સદ્ભાગ્ય મને મળ્યું છે. સંગઠનમાં મારી નાની-મોટી જવાબદારીના કારણે તેમના રાજકીય ગણિત-વિજ્ઞાન, સંગઠનશાસ્ત્ર અને ભૂગોળ-ઈતિહાસને હું થોડા અંશે સમજી શક્યો છું. શ્રી નરેન્દ્રભાઈને ઓળખવા-સમજવા માટે તેમના મન-હૃદયમાં રહેલાં વિચાર-લેખનની અનુભૂતિ કરવી પડે. તેમના ‘સાક્ષીભાવ’નામના પુસ્તકમાં રહેલી ગદ્ય-પદ્ય કાવ્ય રચનાઓમાં લાગણી, વેદના-સંવેદના, પ્રતીક્ષા, કરુણા, સર્જનની ઉત્કંઠા, પ્રકૃતિ વગેરે ભાવવાહી શબ્દો અર્થમાં ડૂબકી મારો તો તમને શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનહિત-દેશહિત માટેનું દૂરંદેશી ઝનૂન મળશે. જે અત્યારે કાર્યાન્વિત થઈ રહ્યું હોય તેવું લાગશે. જી-૨૦માં આ ‘વસુધૈવ કુટુમ્બકમ’ – ‘વન અર્થ-વન ફેમિલી-વન-ફ્યુચર’ સૂત્રને જ્યારે મૂક્યું ત્યારે મને આ પુસ્તક યાદ આવ્યું.

૪૦ વર્ષ પહેલાંના તેમના વિચારોના પ્રગટીકરણમાં ભગવાને તેમને દિશા આપી હોય તેવી અનુભૂતિ કરવી હોય તો શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘સાક્ષીભાવ’ પુસ્તકના થોડાક શબ્દો વાંચવા જેવા છે.
મારે તો જગતને લાગણીઓથી જોડવું છે. મારે તો આ જગતને જોડનાર
મારે તો સૌની વેદનાની અનુભૂતિ કરવી છે. અપ્રતિમ પ્રેમસૃષ્ટિને પામવી છે.
મારાપણાંના અસ્તિત્વને હોમી દેવું છે. મારે મન આ પ્રેમસૃષ્ટિ ‘સ્વ’ સાથે નહીં.
ત્યારે જ તો હું કહું છું: મને એવી તીવ્રતા ‘ત્વમ્’ સાથે જ સર્જાય છે અને વિલીન થાય છે.
સદાકાળ માટે કેમ નથી મળતી? માટે જ પામવું છે. આ ભાવજગત….
જોને… મા, પ્રતીક્ષાની પળોની વાત પણ
મારા અંતરમનને કેટલું ઘૂંટી રહી છે.!
વિશ્ર્વ અને ૐ સર્વે ભવન્તુ સુખિન:!
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માનવતાના દુશ્મન એવા આતંકવાદ સામે દુનિયાના દેશોને એક થવા માટેની હાકલ કરી. વિશ્ર્વના તમામ લોકોની શારીરિક-માનસિક અને આધ્યાત્મિક શાંતિ માટે યુનોમાં ‘વિશ્ર્વ યોગ દિવસ’નો પ્રસ્તાવ મૂક્યો. સતત નવ વર્ષથી દુનિયાના તમામ દેશોમાં વિશ્ર્વ યોગ દિવસ ઉજવાય છે. નરસિંહ મહેતા રચિત ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે… આ ભજનના શબ્દો, અર્થ સમજીને દુનિયાના ૧૨૪ દેશોના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ગાઈને ભારતની સાંસ્કૃતિક વિચારધારાને વૈશ્ર્વિક સ્તરે રજૂ કરવામાં આવી. આ ભાવનાને એક્શનમાં લાવવામાં ભારત અગ્રેસર રહ્યું. જ્યારે સમગ્ર દુનિયા કોરોનાથી ભયભીત હતી. મૃત્યુનું ભયાનક તાંડવ હતું. ત્યારે ભારતે ૭૩ દેશોમાં વેક્સિન મોકલીને વિશ્ર્વને પરિવાર માનીને તેમના આરોગ્યની ચિંતા કરવા માટેનું સેવા-સંવેદનાનું નેતૃત્વ ભારતે લીધું.

ૐ સર્વે ભવન્તુ સુખિન:! સર્વે સન્તુ નિરામયા: સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્રિત્ દુ:ખ ભાગ્ભવેત્ ॥
સર્વ સુખી રહે, સર્વનું આરોગ્ય સ્વસ્થ રહે, સર્વને શ્રેષ્ઠતાની અનુભૂતિ થાય અને સર્વત્ર શાંતિ રહે.

આ શ્ર્લોકના ભાવાર્થ-મહિમાને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે અને હવે, વિશ્ર્વને વસુધૈવ કુટુમ્બકમ્ના સંદેશ દ્વારા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની વિશ્ર્વમાં વિશ્ર્વસનીયતા, પ્રતિષ્ઠા, ગૌરવનો ડંકો વાગી રહ્યો છે.

વેદના અનાથ નથી હોતી અને કરુણા ક્યારેય વાંઝણી નથી હોતી.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વેદના અને કરુણામાં કેટલું અંતર છે? તેનું નિરૂપણ તેમના સાક્ષીભાવ પુસ્તકમાં સરસ રીતે કરેલ છે. જેને આ સમજાય તેને તેમના મન અને હૃદયના ભાવ સાથે તેમનામાં રહેલી કવિત્વની ઋજુતાને પણ સમજી શકશે.

વેદના એ તો ક્રિયા પછીની પ્રતિક્રિયાનું પરિણામ છે.
વેદના આમ તો નકારાત્મકતાનું ફરજંદ કહેવાય ને!
વેદના જન્મજાત નથી હોતી,
વેદનાનો જન્મ, ઉછેર, તીવ્રતા…
સઘળું અનુભૂતિ ઉપર આધારિત હોય છે.
વેદના અનાથ નથી હોતી.

વેદના સર્જન કરશે તેની ખાતરી શું ?
કદાચ, આક્રોશને પણ જન્મ આપે.
સર્જનને નહીં પણ સંહાર દ્વારા વાંઝિયાપણું મિટાવવાનો પ્રયાસ કરે.

શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારની અનેક યોજનાઓમાં લોકહિત માટેની કરુણા દેખાશે. વ્યક્તિના જીવનમાં સૌથી વધુ અમૂલ્ય સ્વાસ્થ્ય સુરક્ષા છે. તેમણે ગુજરાતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના શુભારંભથી માંડીને જૈનરીક દવા, આરોગ્ય મેળા અને ‘આયુષ્યમાન ભારત’ યોજનામાં ગુજરાતમાં ૧૦ લાખ સુધીની વાર્ષિક વિનામૂલ્ય સારવાર આપી છે. ૮૦ કરોડ લોકોને દર મહિને વિનામૂલ્યે અનાજ
આપીને ‘જ્યાં રોટીનો ટુકડો ત્યાં હરિ ઢૂંકડો’ની ભાવનાને ચરિતાર્થ કરી છે. મહિલાઓના માન-સન્માન અને સ્વાસ્થ્યના વિચાર સાથે દેશમાં ૧૧ કરોડ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું. બે-બે કિ.મી. પાણી ભરવા જવું પડતું તેના બદલે હવે, ઘરે ઘરે નળ દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. મહિલાઓના સ્વાભિમાન-સશક્તિકરણ માટે રાજકીય અને નોકરીઓમાં ૩૩ ટકા અનામત સહિત અનેક યોજનાઓ આપવામાં આવી ખેડૂતોના ખાતામાં પી.એમ કિસાન સન્માન નિધિ હેઠળ વાર્ષિક રૂા. ૬૦૦૦/- આપવામાં આવે છે. વચેટિયાઓના ભ્રષ્ટાચાર દૂર કરીને દરેક યોજનાઓના લાભાર્થીઓને સીધેસીધાં ખાતામાં પૈસા આપવામાં આવે છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારમાં વંચિતો, નિરાધાર, વિધવા, દિવ્યાંગો સહિત ગરીબો અને સામાન્ય લોકોની જનસેવામાં કરુણાભાવનો દૃષ્ટિકોણ હોય છે.

શ્રી નરેન્દ્રભાઈ મોદીના કરુણાભાવ, જનસેવા માટેના અથાગ પરિશ્રમ, ભારતના ગૌરવને વિશ્ર્વમાં ઉજાગર કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
ભરત પંડ્યા
(લેખક: પૂર્વ પ્રદેશ પ્રવકતા, ભાજપ અને પૂર્વ ધારાસભ્ય)

બોક્સ… (૧)

બોક્સ… (૨)
જ્યારે…
કરુણાને ફક્ત ક્રિયા જ હોય છે.
તેને કોઈ પ્રતિક્રિયા નથી.
કરુણાને પોતાની સુગંધ હોય છે.
કરુણા જન્મજાત હોય છે.
તે જન્મદાતા-જન્મદાત્રી છે.
કરુણા ક્યારેય વાંઝણી નથી હોતી.
કરુણા ગતિશીલ છે,
તેની દિશા સર્વવ્યાપી છે.
તેને પોતાનું લક્ષ હોતું નથી.

પણ સૌના લક્ષમાં સમાહિત હોય છે.

વસુધૈવ કુટુમ્બકમ્ મારાં શ્ર્વાસોશ્ર્વાસમાં છે.
હા હું “ગુજરાતી છું.

હા, હું વૈશ્ર્વિક ગુજરાતી છું.
માનવતા મારી નસેનસમાં છે.
સ્નેહમાં શક્તિ છું.
સેવામાં ભક્તિ છું.
દાનમાં અંકિત છું.
હું “એકતાનું પ્રતીક છું.
હા, હું ગુજરાતી છું.
વીરતા મારા રોમે રોમમાં છે.
સત્યનો ઉપાસક છું.
અહિંસાનો આરાધક છું.
પ્રેમનું અમૃત છું.
હું વિશ્ર્વ “શાંતિનું પ્રતીક છું.
હા હું ગુજરાતી છું.
વ્યાપાર મારી રગેરગમાં છે.
પ્રકૃતિમાં સાહસિક છું.
પ્રતિષ્ઠામાં યુગાનુયુગ છું.
પ્રદક્ષિણામાં વિશ્ર્વપ્રવાસી છું.
હું “પ્રગતિનું પ્રતીક છું.
હા, હું ગુજરાતી છું.
વસુધૈવ કુટુમ્બકમ્ મારાં શ્ર્વાસોશ્ર્વાસમાં છે.
દ્વારકાધીશની વાંસળીમાં “ગીતાનો સહવાસ છું.
ગાંધી-સરદારની “નીડરતાનો અહેસાસ છું.
મહાકાળીની હારમાળામાં આતંકીનો વિનાશ છું.
હું “મહાશક્તિનું પ્રતીક છું.
હા, હું ગુજરાતી છું.
યાત્રિક દુનિયાના જગે-જગમાં છું.
શ્રદ્ધા-આસ્થાનો ધોધ છું.
દયા-કરુણાનો બોધ છું.
પરંતુ, પ્રતિરોધમાં તાંડવનો ક્રોધ છું.
હું “શિવ સોમનાથનું પ્રતીક છું.
હું ગુજરાતી છું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા