કિંગફિશર એરલાઇન્સના પતન માટે પ્રણવ મુખર્જી જવાબદાર? વિજય માલ્યાએ લગાવ્યા ગંભીર આરોપ

લંડન: એક સમએ વિજય માલ્યા(Vijay Mallya)ની ગણતરી ભારતના પ્રમુખ ઉદ્યોગપતિ તરીકે થતી હતી, પરંતુ તેમની માલિકીની કિંગફિશર એરલાઈન્સ પતન (Downfall of Kingfisher Airlines) બાદ બધું બદલાઈ ગયું. તેમના પર ભારતની કેટલીક બેંકો સાથે ₹9,000 કરોડના છેતરપિંડ કરવાનો અને મની લોન્ડરિંગના આરોપો છે. તેમને ભારતમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે, હાલ તેઓ ઇંગ્લેન્ડમાં છે. માલ્યાએ છેલ્લા 9 વર્ષમાં પહેલીવાર ઈન્ટરવ્યું આપ્યો છે. એક પોડકાસ્ટ દરમિયાન ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને તત્કાલીન નાણા પ્રધાન પ્રણવ મુખર્જી પર ગંભીર આરોપ (Accusation on Pranab Mukherjee) લગાવ્યા હતાં.
વર્ષ 2005 કિંગફિશર એરલાઇન્સની ખૂબ જ ધામધૂમથી શરૂઆત કરવામાં આવી હતી, લકઝરીયસ સર્વિસ માટે આ એરલાઇન્સે ઝડપથી પ્રતિષ્ઠા મેળવી હતી, થોડા વર્ષોમાં જ એરલાઇન્સની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઈ હતી અને નાદારી નોંધાવી હતી.
2008ની મંદીનો ઉલ્લેખ:
કિંગફિશર એરલાઇન્સના પતન અંગે વાત કરતા માલ્યાએ 2008 ના વૈશ્વિક નાણાકીય મંદીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “2008 સુધી બધું સરસ ચાલ્યું, પછી શું થયું? તમે ક્યારેય લેહમેન બ્રધર્સ વિશે સાંભળ્યું છે? તમે ક્યારેય વૈશ્વિક નાણાકીય કટોકટી વિશે સાંભળ્યું છે? શું તેની અસર ભારત પર નહોતી પડી? અલબત્ત, તેની અસર ભારત પર પડી હતી. દરેક ક્ષેત્રને ફટકો પડ્યો. પૈસા આવતા બંધ થઈ ગયા. ભારતીય રૂપિયાના મૂલ્યમાં પણ ઘટાડો થયો હતો.”
પ્રણવ મુખર્જીએ પ્રસ્તાવ ફગાવ્યો:
પોડકાસ્ટ દરમિયાન માલ્યાએ દાવો કર્યો હતો કે તેમણે કામગીરીમાં કામ મુકવાના પ્લાન સાથે તત્કાલીન નાણા પ્રધાન પ્રણવ મુખર્જીનો સંપર્ક કર્યો હતો. માલ્યાએ કહ્યું, “હું પ્રણવ મુખર્જી પાસે ગયો હતો… અને કહ્યું હતું કે મને એક સમસ્યા છે. કિંગફિશર એરલાઇન્સને સાઈઝ ઘટાડવાની, વિમાનોની સંખ્યા ઘટાડવાની અને કર્મચારીઓને છટણી કરવાની જરૂર છે, કારણ કે અમે આ મંદીવાળા આર્થિક સંજોગોમાં કામ કરી શકીએ તેમ નથી.”
આપણ વાંચો: બેંક કર્મચારીએ FD માંથી કરોડો સેરવ્યા, શેરબજારમાં રોક્યા અને… આ રીતે પકડાઈ ચોરી!
માલ્યાના જણાવ્યું કે પ્રણવ મુખર્જીએ તેમનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. માલ્યાએ કહ્યું, “મને કહેવામાં આવ્યું હતું કે કામગીરીમાં કાપ મુકશો નહીં. તમે કામગીરી ચાલુ રાખો, બેંકો તમને ટેકો આપશે. આ રીતે બધું શરૂ થયું. સમય જતાં કિંગફિશર એરલાઇન્સને તેની બધી ફ્લાઇટ્સ સ્થગિત કરવાની ફરજ પડી છે. કિંગફિશર એરલાઇન્સ સંઘર્ષ કરી રહી હતી. જ્યારે અમે લોન માંગી ત્યારે કંપની ખરાબ પરિસ્થિતિમાં હતી.”
માલ્યાએ 2016 માં ભારત છોડી દીધું હતું અને ત્યારથી તે યુનાઇટેડ કિંગડમમાં રહે છે. હાલ તેમની સામે પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે.