ટોપ ન્યૂઝનેશનલ

ઉપરાષ્ટ્રપતિની તબિયત સુધારા પરઃ નૈનીતાલના કાર્યક્રમ દરમિયાન લથડી હતી તબિયત

નૈનીતાલઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની એક કાર્યક્રમ દરમિયાન અચાનક તબિયત બગડી જતા તેઓ બેહોશ થઈ ગયા હતા. ત્યાં હાજર તેમની મેડિકલ ટીમે તેમને તાત્કાલિક સારવાર આપતા તેઓ હોશમાં આવ્યા હતા અને હાલમાં સ્વસ્થ છે. ધનગર નૈનીતાલમાં હતા અને અહીં તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવા ત્રણ દિવસ માટે આવ્યા છે. તેઓએ રાજભવનમાં રાત્રે આરામ કર્યા બાદ હવે તેઓ સ્વસ્થ છે. ઉપરાષ્ટ્રપતિ કમાઉ વિશ્વવિદ્યાલયની સ્વર્ણજયંતી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

સમારોહમાં તેમણે ભાષણ આપ્યું અને મંચ પરથી નીચે ઉતરી તેમના સહયાગી મહેન્દ્ર સિંહ પાલ તરફ આગળ વધ્યા અને તેમને ભેટ્યા, પણ ભેટતાની સાથે તેઓ તેમના ખભ્ભા પર જ ઢળી પડ્યા. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિને તેમની ટીમે સંભાળ્યા અને તેમને થોડી રાહત લાગતા રાજભવન તરફ લઈ જવાયા હોવાનું અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે.
ઉપરાષ્ટ્રપતિ ઉત્તરાખંડ યાત્રા પર છે અને પહેલા દિવસે જ તેમની તબિયત બગડી હતી. જો તેમની તબિયત સ્વસ્થ લાગશે તો તેઓ બાકીના કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ 25થી 27 જૂન ત્રણ દિવસ માટે નૈનીતાલનો પ્રવાસ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button