3 નહીં, 8-10 લોકોના મોત, કોચિંગ અકસ્માત અંગે વિદ્યાર્થીઓનો શું દાવો છે?
![8-10 student lost lives claims Student protesting against MCD](https://bombaysamachar.com/wp-content/uploads/2024/07/MCD.webp)
દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર વિસ્તારમાં સ્થિત કોચિંગ સેન્ટરમાં પાણી ભરાવાને કારણે સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા . આ ઘટનાને લઈને એક તરફ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે રાજકીય યુદ્ધ છેડાઈ ગયું છે, તો બીજી તરફ સાથીઓના મોતને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ અકસ્માતને લઈને મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે આ અકસ્માતમાં 3 નહીં પરંતુ 8-10 વિદ્યાર્થીઓના મોત થયા છે અને સાચો મૃત્યુઆંક છુપાવવામાં આવી રહ્યો છે.
શનિવારે રાત્રે MCDનો વિરોધ કરી રહેલા એક વિદ્યાર્થીએ દાવો કર્યો હતો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટના લોકોએ તેમને કહ્યું હતું કે 8-10 લોકોના મોત થયા છે. ANI સાથે વાત કરતા વિદ્યાર્થીએ કહ્યું, “MCD કહે છે કે આ એક દુર્ઘટના છે, પરંતુ હું કહીશ કે તે સંપૂર્ણપણે બેદરકારી છે. અડધા કલાકના વરસાદમાં દિલ્હી લાચાર બની જાય છે. લોકોના ઘૂંટણિયે પાણી આવી જાય છે. ક્યારેક દુર્ઘટના થાય છે. મારા મકાનમાલિકે મને જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 10-12 દિવસથી સ્થાનિક કાઉન્સિલરને ગટરની સફાઈ માટે કહેતા હતા.
વિરોધ કરી રહેલા વિદ્યાર્થીએ કહ્યું કે અમારી પ્રથમ માંગ છે કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. પ્રશાસને તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઈએ કે કેટલા લોકોના મોત થયા છે અને કેટલા ઘાયલ થયા છે? ડિઝાસ્ટર મેનેજમેન્ટના લોકોએ અમને જણાવ્યું છે કે 8 થી 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતક વિદ્યાર્થીઓની ઓળખ નવીન, શ્રેયા અને તાનિયા તરીકે થઈ છે.પ્રથમ માંગ એ છે કે તાત્કાલિક ધોરણે ઈજાઓ અને મૃત્યુનો આંકડો જાહેર કરવામાં આવે મને લાગે છે કે 8-10 લોકો મૃત્યુ પામ્યા છે.” મૃતક વિદ્યાર્થીઓની ઓળખ નવીન, શ્રેયા અને તાનિયા તરીકે થઈ છે.
અગાઉ, અધિકારીઓએ જણાવ્યું હતું કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ કોચિંગ સેન્ટરમાં સાત કલાકથી વધુ સમય સુધી શોધ અને બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં ત્રણ જણના મૃતદેહ મળી આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સર્ચ ઓપરેશન રવિવારે સવારે સમાપ્ત કરવામાં આવ્યું હતું.
દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાના આ કેસમાં તપાસ કરવાના આદેશ પર વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે સરકાર તરફથી કોઈ અહીં આવે અને તમામ વિદ્યાર્થીઓની જવાબદારી લે, જેમણે જીવ ગુમાવ્યો. એસી રૂમમાં બેસીને, ટ્વિટ કરવા અને પત્ર લખવાથી કોઈના ભવિષ્ય પર કોઈ અસર થવાની નથી. વિરોધ કરી રહેલા એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે 80 ટકા લાઇબ્રેરી બેઝમેન્ટમાં છે. 10 મિનિટના વરસાદમાં તે પાણીથી ભરાઈ જાય છે. MCD કોઈ પગલાં લેતું નથી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ભોંયરામાં એક પુસ્તકાલય હતું, જ્યાં ઘણા વિદ્યાર્થીઓ હાજર હતા. સેન્ટ્રલ દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ એમ હર્ષ વર્ધને જણાવ્યું હતું કે, “NDRF સર્ચ ઓપરેશન સમાપ્ત થઈ ગયું છે અને ઘટનાસ્થળેથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં એક છોકરો અને બે છોકરીનો સમાવેશ થાય છે. 13થી 14 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસ ઘટનાને સમજવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. “