તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

હાડકા સંબંધી રોગ અને એના ઉપચાર જાણીએ વા(Arthritis) એટલે શું…

આરોગ્ય + પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

બે હાડકાંના જોડાણથી સાંધો બને છે. આ બંને હાડકાં એકબીજા સાથે મજબૂત દોરડાં જેવાં અસ્થિબંધનથી પકડાયેલાં હોય છે.

સાંધો બનાવતા હાકડાંના છેડાઓ ઉપર કાર્ટિલેજ નામનું લીસું આવરણ હોય છે. જેને આપણે સાદી ભાષામાં ગાદી કહીએ છીએ. આ કાર્ટિલેજ (ગાદી) ડનલોપ જેવું હોવાથી સાંધાઓના હલન-ચલન દરમિયાન શોકએબસોર્બર (ઝટકો કે આંચકો ન લાગવા દે તેવું સાધન) તરીકે કામ કરે છે.

વા(Arthritis) એટલે શું?
શરીરના સાંધાની ગાદીમાં ઘસારો તથા સોજો આવવાથી દુ:ખાવાને લીધે હલન-ચલન કરવામાં તકલીફ અનુભવાય તેને ‘વા’ કહેવાય છે.

શરીરનાં વજન પ્રમાણે ‘વા’ની માત્રા

‘વા’નાં લક્ષણ:
સાંધાનો ઘસારો:
શરૂઆતમાં લાંબો સમય બેસી રહ્યા બાદ ઊભા થતી વખતે ઢીંચણમાં દુ:ખાવો થવો. ઘસારો વધી ગયા બાદ કામકાજ કરતી વખતે તથા ચાલતી વખતે સતત દુ:ખાવો થવો.
પલાંઠીવાળીને કે ઊભા પગે બેસવામાં તકલીફ પડવી કે બેસી ન શકવું.
ઘસારાના કારણે પગ ઘૂંટણથી વાંકા થઈ જવા.

સંધિવા (અિવિંશિશિંત):
શરીરના અલગ-અલગ સાંધાઓ (ઘૂંટણ, ગરદન, ખભા, કાંડાં, કોણી વગેરે)માં દુ:ખાવો થવો તથા જકડાઈ જવા.
સાંધાઓમાં સોજો આવવો તથા આજુબાજુની જગ્યા લાલ થઈ જવી.
કોઈકવાર તાવ આવવો.
તકલીફવાળા સાંધામાં સોજો તેમજ ઘસારો લાગું પડવાથી પૂરતાં પ્રમાણમાં હલન-ચલન કરી શકાય નહિ. અને લાંબા સમયે શરીરનો ઘસારાવાળો ભાગ વાંકો થઈ શકે છે.
શરીરમાં થાક લાગવો.

વા થવાનાં કારણ:
સાંધાનો ઘસારો:
૬૦ વર્ષની ઉંમર પછી તેની સંભાવના વધી જાય છે.
જાડાપણું-મેદસ્વિતા
શરીરનું વધુ પડતું વજન ઘૂંટણ પર લોડ વધારી દે છે. આથી ઘસાવાની સંભાવના વધી જાય છે.
લાંબા સમય સુધી વધુ પડતું મહેનતવાળું કામ કરવાથી.
સંધિવા:
વારસાગત.
શરીરની રોગપ્રતિકારક શક્તિ જ સાંધાના કોષોને દુશ્મન માની તેનો નાશ કરી નાખે છે.

આહાર-વિહાર સંબંધી વિવેક
આ રોગ શરીરમાં વાયુ વધવાથી થતો હોય છે. તેથી વાયુવર્ધક ખોરાકનો ખાસ ત્યાગ રાખવો.
ઠંડા, ભારે, તળેલા અને વાસી ખાદ્યપદાર્થોથી દૂર રહેવું.
તૈયાર પેકેજફૂડ અને ઠંડા પીણાનો સદંતર ત્યાગ રાખવો.
વિરુદ્ધ આહારનું સેવન ન કરવું.
પાણીમાં બાફેલાં કારેલાનું શાક જમવાથી સંધિવામાં ખૂબ જ રાહત થાય છે.
અનિયમિત જીવનશૈલીથી ‘વા’ની માત્રા વધી જાય છે. તેથી ‘વા’ના દર્દીઓને રાત્રે વહેલા સૂવાની અને સવારે વહેલા જાગવાની ટેવ ખૂબ જ ફાયદાકારક અને જરૂરી છે.
ઠંડા પાણીએ સ્નાન ન કરતાં ગરમ પાણીએ સ્નાન કરવું.

સાવધાની
ઘૂંટણના ઘસારાની તકલીફ થતી જણાય તો પલાંઠીવાળી તેમજ ઊભા પગે બેસવું નહીં. જેથી વધારે ઘસારો થાય નહીં.
ચાલતી વખતે ઘૂંટણના સાંધા ઉપર શરીરના વજનથી ચાર ગણો લોડ આવતો હોવાથી યોગ્ય સંતુલિત આહારથી શરીરનું વજન સપ્રમાણ રાખવું.
સાંધાઓને તકલીફ ન પડે તેવી રીતે ચાલવું, તરવું વગેરે કસરતો અને તેવાં યોગાસનો નિયમિત કરવાં.
‘વા’ના દર્દીઓએ કબજિયાત ન રહે તેની તથા શરીરના કોઈ પણ વેગો રોકાય નહીં તેની ખાસ સાવધાની રાખવી.

વા માટેના ઉપચારો:
૧. સવારે નાસ્તા પહેલાં ૨ ચમચી મધમાં ૧ ચમચી તજનો પાવડર ભેગો કરીને લેવો. આ ઉપચારથી ૭ દિવસમાં ૭૦ થી ૮૦% દુ:ખાવામાં રાહત થાય છે.
૨. ૧-૧ ચમચી દળેલું જીરું અને ગોળ ભેગું કરીને થોડા પાણી સાથે સવાર-સાંજ લેવું. વધારે તકલીફમાં દિવસમાં ત્રણવાર પણ લઈ શકાય.
૩. ૧ થી ૨ ચમચી મેથીનો પાવડર પાણી કે ગોળ સાથે સવાર-સાંજ લેવો.
૪. ૧-૧ ચમચી મેથી, સૂંઠ અને અજમાનું ચૂર્ણ ગરમ પાણી સાથે સવાર-સાંજ લેવું.
૫. ૬-૬ ચમચી સૂંઠ, જીરું અને ૩ ચમચી કાળા કરીનું ચૂર્ણ મેળવીને ૧૦ દિવસ સુધી રોજ ત્રણવાર અડધી-અડધી ચમચી પાણી અથવા ગોળ સાથે લેવું.
૬. આદુંના રસમાં સહેજ મીઠું નાખી તેનું દુ:ખાવા પર માલિશ કરવું.
૭. સરસિયાના તેલમાં જાયફળને ઉકાળી તેનું માલિશ કરવું.

Show More

Related Articles

Back to top button
શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ! ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ