આરોગ્ય પ્લસ: વ્યસનના સકંજામાંથી છૂટકારો મેળવવો છે?

આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
વ્યસન..!
પૃથ્વી પર રહેલ કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે કે, એ જે કાંઈ પણ કરે છે તે શા માટે કરે છે? તો તેનો એક જ ઉત્તર મળશે કે, સુખી અને શાંતિમય જીવન જીવવા માટે જ આ બધું કરે છે. જીવ-પ્રાણી માત્રને દુ:ખ પસંદ નથી. જીવનમાં આવતા નાના એવા દુ:ખને પણ અથાગ પ્રયત્નોથી દૂર કરવા આપણે મથીએ છીએ.
શું જીવનની આ જ વાસ્તવિકતા છે? શું આપણે ખરેખર આવું જ માનીએ છીએ? શું દારૂ, સિગારેટ, ગુટકા વગેરે વ્યસનોનાં દુ:ખથી અજાણ છીએ? તોપણ આપણે શા માટે સામે ચાલીને નરકમાં દુ:ખ જેવાં આ વ્યસનોના ગુલામ થઈએ છીએ?
શું તમે જાણો છો?
પ્રાય: આજે વિશ્ર્વમાં દર 6 સેક્ધડે 1 વ્યક્તિ તમાકુના વ્યસનથી મૃત્યુ પામે છે. તેમાં પણ ભારતમાં દર 2 મિનિટે 3 વ્યક્તિનું સિગારેટના વ્યસનથી મોત થાય છે. વિશ્ર્વમાં થતાં મૃત્યુમાંથી 6% લોકો દારૂના વ્યસનથી મૃત્યુ પામે છે.
બીજી તરફ, શરીરમાં થતાં અન્ય રોગ કેવળ આપણી ભૂલને કારણે થતાં નથી, એ પણ એક વાસ્તવિકતા છે, પરંતુ દારૂ, સિગારેટ કે તમાકુને કારણે શરીરમાં થતાં કોઈ પણ રોગના જવાબદાર 100 એ 100% આપણે જ છીએ. આ વ્યસનોની ભયંકરતા આટલી બધી છે. તો, હવે સાવચેત થઈ જવું ન જોઈએ…?
શું આપ જાણો છો?
વિશ્ર્વમાં પ્રાય: રોજ 14 હજાર લોકો ધૂમ્રપાનના વ્યસનથી મરે છે.
ધૂમ્રપાનથી થતા મૃત્યુની સંખ્યા આપઘાત કરતાં 30 ગણી વધુ છે અને દુનિયામાં થતા ખૂન કરતાં 54 ગણી વધુ છે.
વિશ્ર્વમાં દર વર્ષે બિનવ્યસની લગભગ 6 લાખ લોકો તો કેવળ અન્ય ધૂમ્રપાન કરનાર વ્યક્તિના પ્રાય: 30% ફાળો તમાકુનો છે. વિશ્ર્વમાં દર વર્ષે તમાકુના વ્યસનને કારણે આશરે 60 લાખ લોકો મોતને ભેટે છે.
તમાકુને કારણે દર વર્ષે અંદાજે 20 હજાર લોકોને પગ કપાવવો પડે છે.
ભારતમાં રોજ આશરે 5435 નવાં બાળકો અને ગુજરાતમાં અંદાજે 244 નવાં બાળકો ધૂમ્રપાન કરતાં શીખે છે.
વિશ્ર્વમાં દર વર્ષે લગભગ 33 લાખ લોકો દારૂના વ્યસનથી મૃત્યુ પામે છે.|
ઈ.સ. 2030માં તમાકુને લીધે થતા મૃત્યુની સંખ્યા એઈડ્સ અને ટી.બી. કરતાં વધારે હશે.
શરીરના વિવિધ અંગ પર
વ્યસનોથી થતું નુકસાન
સ્ટ્રોક
ફેફસાનું કૅન્સર
લીવર ખરાબ થવું
કિડનીની બીમારી
હાર્ટએટેક
પેટનું કૅન્સર
સ્વાદુપિંડ -આંતરડાનું કૅન્સર
વ્યસનથી મુક્ત થવાના આ છે
સરળ ઉપાય
1) ‘મારે વ્યસન છોડવું જ છે.’ એવી મક્કમતા કરવી.
વ્યસન રાખવાથી અને છોડવાથી થતાં ફાયદા-નુકસાનોની એક યાદી બનાવી રાખવી.
વ્યસન છોડવાની ઈચ્છા આપણી પોતાની હોવી જોઈએ. કેમ કે, અન્ય લોકોના કહેવાથી કરેલો વ્યસનનો ત્યાગ માત્ર થોડા દિવસ પૂરતો જ ટકે છે. મનમાં એવું દૃઢ કરી લેવું જોઈએ કે, ‘વ્યસન એ માત્ર ગુલામી, બરબાદી અને દુ:ખ જ છે.’
2) વ્યસન છોડવા વિશેની માન્યતા બદલવી.
વ્યસન છોડવું તેને બોજ કે દુ:ખ ન માનીએ, પરંતુ ‘એક પરમ શત્રુનો ત્યાગ કરું છું’ એવું સમજીએ.
3) વ્યસન છોડવાની કોઈ પણ એક તારીખ નક્કી કરી લેવી.
ઘણા વ્યસની વ્યસન છોડવાનું નક્કી કરે છે, પરંતુ ચોક્કસ સમય નિર્ધારિત ન હોવાથી તેને પોતાનું મન રમાડ્યા કરે છે કે, ‘આજ-કાલમાં વ્યસન છોડી દઈશ.’ પરંતુ આવા લોકો ક્યારેય વ્યસન છોડી શક્તા નથી.
4) આપણે શા માટે વ્યસનો છોડવાં છે? તેના મુખ્ય ત્રણેક કારણો શોધી, આપણને દેખાય તેવી જગ્યાએ મોટા અક્ષરે લખી રાખવું; જેથી તે વારંવાર યાદી આપ્યા કરે.
5) વ્યસન છોડવાની ઈચ્છા પરિવારજનો તથા સહચર મિત્રોને જણાવવી. કેમ કે, જો વ્યસન છોડવાની ઈચ્છાની જાણ માત્ર પોતા પૂરતી જ રાખીશું, તો મન આપણને ગમે ત્યારે છેતરશે. તેથી સહચરોને જાણ કરવાથી તેઓ યોગ્ય સમયે ખૂબ જ મદદ કરી શકશે.
6) વ્યસન છોડવાની પ્રક્રિયા દરમ્યાન એક-બે નજીકના, જે આપણી હરેક ક્રિયા કે વિચારથી વાકેફ રહી શકે અને જરૂર પડે તો ઊલટ તપાસ કરીને પણ મદદ કરી શકે, તેવા નિર્વ્યસની સ્નેહીજનો સાથે સંપૂર્ણ નિખાલસ રહેવું.
7) આત્મવિશ્ર્વાસ કેળવ્યા વિના એકસાથે વ્યસન છોડવાની કોશિશ ન કરવી….વ્યસની જ્યારે એકસાથે સંપૂર્ણ વ્યસન છોડવા ઈચ્છે છે ત્યારે તે ઘણીવાર હારી જાય છે. આમ અનેક હાર પછી તે નાહિંમત થઈ જાય છે અને ‘મારાથી હવે વ્યસન નહિ છૂટે’ એવું સ્વીકારી લે છે. માટે ધીરે-ધીરે વ્યસન ઘટાડતા જવું.
8) જેમણે વ્યસનો છોડ્યા હોય એમની પાસેથી વ્યસન છોડવાની પ્રેક્ટિકલ રીતો અને અનુભવો જાણતા રહેવું.
9) હિંમતપૂર્વક પોતાના વ્યસની મિત્રોનો સંગ છોડી દેવો. કારણ કે, વ્યસની મિત્રો ગમે તે સમયે વ્યસનનો આગ્રહ કરી શકે છે. જેમાં લોભાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે.
10) જો કદાચ કોઈ વ્યસન માટે આગ્રહ કરે તો તેને શરમ રાખ્યા વિના હિંમતપૂર્વક ચોખ્ખી ‘ના’ પાડી દેવાની ટેવ પાડવી.
11) જે જે વ્યક્તિ, સ્થાન કે પરિસ્થિતિથી વ્યસન યાદ આવતું હોય તેનાથી દૂર રહેવું.
12) પોતાના ઘર કે ઓફિસમાં રહેલી વ્યસનની બધી જ સામગ્રી સંપૂર્ણપણે બહાર ફેંકી દેવી.
13) વ્યસન છોડવાના શરૂઆતના દિવસોમાં ચિંતા તથા તણાવ જરૂર અનુભવાશે. તેનાથી બચવા મનપસંદ સાત્ત્વિક પ્રવૃત્તિઓ કરવાથી આનંદમાં રહી શકાય છે. જેવી કે, સંગીત સાંભળવું-વગાડવું, વાંચન કરવું, હળવી કસરતો કરવી, મનપસંદ સેવાકાર્યમાં વ્યસ્ત રહેવું.
14) વ્યસન ત્યાગ કર્યા બાદ શરીરમાં અનુભવાતી નાની-મોટી તકલીફોને સ્વીકરી લેવી. જેવી કે, માથું ચડવું, પેટમાં દુ:ખવું, વધુ પરસેવો વળવો, કબજિયાત રહે વગેરે તકલીફો કોઈકવાર થઈ શકે છે. પરંતુ તેનાથી અકળાઈ ન જતાં, હિંમત રાખી વ્યસન છોડવાની કોશિશ ચાલુ રાખવી.
15) વ્યસનો કરવાની તલપ લાગે ત્યારે તેની સામે લડવા કરતાં મનને બીજી દિશામાં વાળી દેવું અથવા તો વ્યસન છોડવા વિશેના ધ્યેયને વારંવાર વિચારવું.
16) જરૂર જણાય તો મોંમાં ઘીમાં શેકેલી વરિયાળી, એલચી, લવિંગ, તજ વગેરે મનગમતું અન્ય કોઈ ખાદ્ય પદાર્થ કે પ્રવાહી દ્વારા પોતાની તલપ સંતોષી લેવી.
17) વ્યસનમાં ઘટાડો થતો જણાય તો પોતાને તેનાથી પ્રોત્સાહિત કરતા રહેવું અને આનંદથી સંપૂર્ણપણે બંધ કરવા આગળ વધતા રહો.
18) રોજ થોડુંઘણું ધ્યાન કરવાની ટેવ પાડવી. કેમ કે, ધ્યાનથી વિચારો પર કાબૂ મેળવી શકાશે.
19) વ્યસનોને છોડવા માટે આજે વૈકલ્પિક ઘણી વૈજ્ઞાનિક તરકીબો શોધાઈ છે, જેવી કે, ‘નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપી’ વ્યસન કરવાથી જે સ્વાદ-આનંદ આવે તેવો જ આનંદ તે થેરાપીથી આવે છે. અને તે શરીરને બંધાણ પણ કરતું નથી. વધુ માહિતી માટે ચિકિત્સકની સલાહ લેવી.
20) વ્યસન પહેલાનો અને વ્યસન છોડ્યા બાદનો લોકોનો આપણા પ્રત્યનો વ્યવહાર તપાસતા રહેવું, જેથી વ્યસનમુક્તિ માટે પ્રોત્સાહન મળતું રહેશે.
વ્યસનમુક્તિ માટે વિવિધ નિકોટિનના ઉપચાર
ચ્યુઈંગમ -ચૂસવાની ટેબ્લેટ- શરીરે લગાવવાના પેચ- ઈન્હેલર ટેબ્લેટ – નાકનો સ્પ્રે
આપણ વાંચો : આરોગ્ય પ્લસ : અર્જીણ- અપચો-મંદાગ્નિ…શું છે? ચાલો જાણીએ અનેક રોગના મૂળ વિશે