તરોતાઝા

ફાઈનાન્સના ફંડા: બિહેવિયરલ ફાઇનાન્સમાં કન્ફર્મેશન બાયસ એટલે શું?

ફાઈનાન્સના ફંડા -મિતાલી મહેતા

ગયા અઠવાડિયે બિહેવિયરલ ફાઇનાન્સના અનુસંધાનમાં આપણે એન્કરિંગ બાયસ વિશે ચર્ચા કરી હતી. આજે આપણે વધુ એક બાયસ એટલે કે પૂર્વગ્રહ વિશે વાત કરીશું અને આ પૂર્વગ્રહને લીધે ફક્ત રોકાણના નિર્ણય નહીં, પણ રોજિંદા જીવનમાં કેવી અસર થાય છે એ જાણવા મળશે.

કન્ફર્મેશન બાયસ

આ ‘ક્ધફર્મેશન બાયસ’ એટલે સરળ શબ્દોમાં કહીએ તો, કોઈ પણ બાબતને મળેલું ક્ધફર્મેશન -સમર્થન… ગુજરાતીમાં તેનો બીજો અર્થ થાય છે પુષ્ટિ આપવી. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની માન્યતાને સમર્થન આપતી માહિતી શોધતી હોય અને એ માહિતી મળે નહીં ત્યારે બીજા વિચારો વ્યક્ત કરવા લાગી જાય છે. આને કહેવાય ક્ધફર્મેશન બાયસ. માણસ ફક્ત પોતાની પ્રવર્તમાન માન્યતાઓને સમર્થન કે પુષ્ટિ મળે એવી જ માહિતી તરફ ધ્યાન આપે છે.

બીજા શબ્દોમાં એમ કહી શકાય કે માણસ પોતાની માન્યતાથી વિપરીત કોઈ વાત સ્વીકારવાને બદલે એની પુષ્ટિ કરનારી માહિતી જ એ ઝંખતો હોય છે. સૌથી પહેલાં એ પોતાનો મત બાંધી લે છે અને પછી આખો દિવસ એના સમર્થનમાં હોય એવી માહિતી શોધ્યા કરે છે. પોતાની વાત સાથે સહમત થનાર વ્યક્તિને લોકો ઘણી સારી રીતે સાંભળતા હોય છે. એ પોતાનો મત ઘડવા માટે નહીં, પણ ઘડાયેલા મતની પુષ્ટિ માટે પ્રયત્નશીલ હોય છે.

ઉદાહરણ તરીકે…..

આપણે ક્ધફર્મેશન બાયસને સમજવા માટે ક્રિકેટની રમતનું ઉદાહરણ લઈએ. થોડાં વર્ષ પહેલાં આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપનું આયોજન થયું હતું. એમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાયેલી એક મેચને યાદ કરીએ. ભારત એ મેચમાં હારી ગયું હતું. એ મેચ રમાઈ એ પહેલાં આપણામાંથી મોટાભાગના લોકોને એમ જ લાગતું હતું કે ભારત આ મેચ સહેલાઈથી જીતી જશે. ભારતમાં શું કોઈએ વિચાર્યું હશે કે પાકિસ્તાન જીતી જશે? ખરું પૂછો તો, લોકો ભારત કેટલા રનથી જીતી જશે એનો અંદાજ બાંધી રહ્યા હતા. આપણને સૌને એમ જ લાગતું હતું કે આઇપીએલ રમીને આવેલી ભારતીય ટીમ ફોર્મમાં છે. આવી આપણી આ દૃઢ માન્યતા બીજું કંઈ નહીં પણ ક્ધફર્મેશન બાયસ કહેવાય.

આપણે પહેલેથી જ એવું માની લીધું હતું કે ભારત જીતી જશે. એ વખતે પાકિસ્તાની ખેલાડીઓના ફોર્મ વિશે કોઈને
વિચાર જ આવ્યો નહીં. પાકિસ્તાની ખેલાડીઓમાંથી કોનું ફોર્મ સારું છે અને કોણ નબળું રમી રહ્યું છે એની તપાસ કરવાની કોઈએ દ રકાર પણ ન કરી..

બીજું એક ઉદાહરણ લઈએ. હાલ શૅરબજારમાં ઘણા ઉતાર-ચડાવ આવી રહ્યા છે. આ વધઘટ જોઈને આપણામાંથી ઘણાએ એવું ધારી લીધું હશે કે બજાર ઉપર જ જશે. પછી બજાર ઘટે ત્યારે પણ બજાર ઉપર જવાની ધારણાને પુષ્ટિ મળે એવી જ માહિતી શોધવાના પ્રયાસ ચાલી રહ્યા હોય છે.

કન્ફર્મેશન બાયસ કેવી રીતે દૂર કરવો?

તમે સાચું માનો કે નહીં, પણ કમનસીબે વાસ્તાવિકતા એ છે કે આપણે બધા જ ક્ધફર્મેશન બાયસ ધરાવીએ છીએ. આ એક મનુષ્યસહજ વૃત્તિ છે અને એને દૂર કરવાનું અતિશય મુશ્કેલ છે. આમ છતાં અહીં કેટલાક પ્રયોગ આપ્યા છે, જે ક્ધફર્મેશન બાયસને અતિક્રમી જવામાં આપણને મદદ કરે, જેમકે…

જે છે તે બધું સ્વીકારતાં જાઓ. કોઈ પણ નિષ્કર્ષ પર આવો નહીં. તરત જ કોઈ પણ વાત ધારી લેવાની ઉતાવળ કરવી નહીં. સંપૂર્ણ માહિતી બહાર આવે નહીં અને તેના વિશે વિશ્ર્લેષણ થાય નહીં ત્યાં સુધી રાહ જુઓ. મોકળું મન રાખો, કારણ કે જ્યારે આપણે નવા વિચારોનો સ્વીકાર કરવાની વૃત્તિ રાખીએ છીએ ત્યારે વધુ વિચારોને આવકારી શકાય છે અને ક્ધફર્મેશન બાયસથી બચી શકાય છે.

પોતાની જાતને ખોટી પુરવાર કરો. તમારા વિચારોથી વિપરીત માહિતી સામે આવે ત્યારે તમારા મનમાં જાગતી શંકાને દૂર કરી દો અને વિપરીત માહિતીના સારા સારનો વિચાર કરવો. આપણને ભલે એમાં થોડી તકલીફ જેવું લાગે, પરંતુ તમારાથી અલગ અભિપ્રાય ધરાવતા હોય એવા લોકોની વચ્ચે રહેવાનું ઘણું ઉપયોગી થાય છે. જો એવા લોકો આસપાસ હશે તો જ આપણા પ્રવર્તમાન વિચારોની સામે પ્રતિકાર થશે. આવી સ્થિતિમાં આપણે જ્યારે કોઈ નિષ્કર્ષ પર આવીશું ત્યારે એ વધુ ચોકસાઈયુક્ત હશે.

આપણ વાંચો : ફાઈનાન્સના ફંડા: કરજની લેતી-દેતી વખતે શું ધ્યાનમાં રાખવું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button