તરોતાઝા

તમારી ત્વચાના સ્વાસ્થ્ય સૌંદર્યને નિખારી શકે છે,જૂના સમયનાં રહસ્યો…

સ્વાસ્થ્ય – કવિતા યાજ્ઞિક

એક કહેવત છે કે જૂનું એ સોનું. આ કહેવત સુંદરતાનાં રહસ્યો સાથે સંપૂર્ણ રીતે બંધબેસે છે. આ રહસ્યો સદીઓથી આપણી પાસે સચવાયેલાં છે ને આજે પણ એટલા જ અસરકારક છે.
જો આપણે જૂના સમયનાં સૌંદર્ય રહસ્યો વિશે વાત કરીએ તો તેમાં રસાયણો નહોતાં, ફક્ત ઘરે સરળતાથી ઉપલબ્ધ ઉત્પાદનોનો ઉપયોગ ત્વચા અને વાળને સુંદર બનાવવા માટે થતો હતો… ઉદાહરણ તરીકે ક્રીમ, કાચું દૂધ, કેસર, જાયફળ, વગેરે. દાદીમાઓ ક્રીમ કે પાઉડરને બદલે આ કુદરતી રહસ્યો વડે એમની સુંદરતાને વધુ નિખારતા હતા.
૧) ત્વચાનો રંગ નિખારવા કેસરનો ઉપયોગ: કેસરમાં વિટામિન એ, બી, સી હોય છે. ત્વચાનો રંગ હળવો કરવા કે નિખારવા માટે તમે કેસરનો ઉપયોગ કરી શકો છો. સુંદરતા વધારવા માટે પ્રાચીન સમયથી કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. દૂધમાં કેસરનું મિશ્રણ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરો સાફ થાય છે.
ચાલો જાણીએ, કેસરના ફાયદા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ…
૧) જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો દૂધમાં કેસર મિક્સ કરીને વાળમાં લગાવો, વાળ ખરતા બંધ થઈ જશે.

  • પ્રાચીન સમયમાં કેસરનો ઉપયોગ મોઇશ્ર્ચરાઇઝર તરીકે થતો હતો, તમે તેને એલોવેરા જેલનું મિશ્રણ પણ લગાવી શકો છો.
  • કેસર ત્વચાને મુલાયમ બનાવે છે.તેમાં ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવો, તમારો ચહેરો તાજગી અનુભવશે.
    ૨) ચહેરાની સુંદરતા વધારવા માટે મલાઈનો ઉપયોગ કરો.
    *પ્રાચીન કાળથી, રંગને નિખારવા માટે મલાઈનો ઉપયોગ કરવામાં આવે છે. સુંદર ત્વચા માટે તમે ક્રીમ પેસ્ટ લગાવી શકો છો. મલાઈ ત્વચાને નરમ બનાવે છે, ડાઘ દૂર કરે છે અને રંગ સુધારે છે.
    હવે ચાલો, જાણીએ મલાઇના ફાયદા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ…
    *જો તમારી ત્વચા પર કોઈ ડાઘ અથવા ધબ્બા હોય, તો તેને સુધારવા માટે ક્રીમનો ઉપયોગ કરો. કપૂરને પીસીને મલાઈમાં ભેળવીને લગાવો, તેનાથી ત્વચાની સમસ્યાઓ દૂર થશે.
    *ત્વચાની સુંદરતા વધારવા માટે મલાઈની પેસ્ટ બનાવો. નારંગીની છાલને પીસીને તેને મલાઈમાં મિક્સ કરો અને પેસ્ટની જેમ ચહેરા પર લગાવો, તેનાથી ત્વચા સાફ થઈ જશે.
  • જો તમે સૂકા હોઠનો ઉકેલ શોધી રહ્યા છો તો મલાઈનો ઉપયોગ કરો. હોઠ પર મલાઈ લગાવવાથી હોઠ નરમ થઈ જશે અને ફાટશે નહીં.
    ૩) મુલાયમ અને સ્વચ્છ ત્વચા માટે જાયફળનો ઉપયોગ કરો…
    *જાયફળ આપણા રસોડામાં મહત્ત્વની સ્થાન તો ધરાવે જ છે, પણ સાથે આપણા સૌંદર્યને નિખારવામાં પણ તે યોગદાન આપી શકે છે. પ્રાચીન સમયમાં જાયફળનો ઉપયોગ સુંદરતા વધારવા માટે થતો હતો. જાયફળ આપણી ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે.
  • જાયફળમાં એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે. જાયફળના ઉપયોગથી ત્વચાનો રંગ સુધરે છે અને ખીલની સમસ્યા પણ દૂર થાય છે.
  • જે લોકોની ત્વચા પર કરચલીઓની સમસ્યા હોય એ પણ જાયફળનો ઉપયોગ કરી શકે છે. જાયફળમાં બળતરા વિરોધી ગુણ પણ છે, તે વાળમાં ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરે છે. જો આપણે જૂના સમયની વાત કરીએ તો જાયફળનો ઉપયોગ ઘણી રીતે થતો હતો, તો ચાલો જાણીએ, જાયફળનો ઉપયોગ કરવાની રીત…
  • તમે જાયફળ પાવડર અને તેલ બંનેનો ઉપયોગ કરી શકો છો.
  • જાયફળનું તેલ નારિયેળના તેલમાં ભેળવીને લગાવવાથી ડેન્ડ્રફ અને સ્કેલ્પ ઈન્ફેક્શનની સમસ્યામાં રાહત મળે છે.
  • જાયફળને દૂધમાં ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરો કોમળ બને છે ને ડાઘ-ધબ્બા દૂર થાય છે.
  • જાયફળને ખાંડમાં ભેળવીને લગાવવું ઉત્તમ સ્ક્રબ જેવું કામ કરે છે જે બ્લેકહેડ્સ દૂર કરે છે.
    ૪) મુલતાની માટી પિગમેન્ટેશનની સમસ્યાને દૂર કરે છે…
  • મુલતાની માટીનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે, તમારા દાદીમાએ પણ તેનો ઉપયોગ કર્યો હશે. ત્વચા અને વાળ માટે આ એક જાદુઈ ઘટક છે. તમે મુલતાની માટીને પાણીમાં મિક્સ કરીને વાળ કે ચહેરા પર લગાવી શકો છો. મુલતાની માટી લગાવવાથી ત્વચામાં રહેલી ગંદકી સાફ થાય છે અને વધારાનું તેલ પણ દૂર થાય છે.
  • જો તમને ટેનિંગની ફરિયાદ હોય તો પણ તમારે મુલતાની માટીનો ઉપયોગ કરવો જોઈએ. ચાલો જાણીએ કે મુલતાની માટીનો ઉપયોગ કેવી રીતે કરવો…
  • જો તમારી ત્વચા પર સોજો આવી ગયો હોય તો મુલતાની માટીનો ઉપયોગ કરો. સોજાવાળી જગ્યા પર મુલતાની માટી લગાવીને છોડી દો અને ૨૦ મિનિટ પછી પાણીથી ધોઈ લો. સોજો ઓછો થશે.
  • મુલતાની માટી મૃત ત્વચાને દૂર કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે મુલતાની માટીની પેસ્ટ લગાવશો તો ત્વચામાં રક્ત પરિભ્રમણ વધશે.
  • જો પિગમેન્ટેશનની સમસ્યા હોય તો તમારે મુલતાની માટી જરૂર લગાવવી જોઈએ, તેમાં એન્ટિસેપ્ટિક ગુણ પણ હોય છે. જો ત્વચા બળી ગઈ હોય અથવા કપાઈ ગઈ હોય તો તેના પર મુલતાની માટીની પેસ્ટ લગાવવાથી ફાયદો થશે.
    ૫) ખીલ ને કરચલીઓ દૂર કરવા માટે લીમડાનો ઉપયોગ કરો ત્વચા વિશે વાત કરીએ અને લીમડા વિશે વાત ન કરીએ તે શક્ય જ નથી. પ્રાચીન કાળથી લીમડાનો ઉપયોગ ઔષધ તરીકે કરવામાં આવે છે. લીમડામાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. લીમડાનો ઉપયોગ પિમ્પલ્સ અને ખીલની સમસ્યામાં થાય છે. તે ત્વચાને ઊંડે સુધી સાફ કરે છે. તમે લીમડાના પાનને પીસીને તેની પેસ્ટ બનાવીને ઉપયોગ કરી શકો છો. ચાલો, જાણીએ લીમડાના ફાયદા અને તેના ઉપયોગની રીત…
    *ખીલના કિસ્સામાં લીમડાની પેસ્ટ ચહેરા પર લગાવશો તો ખીલ અને તેના ડાઘ બંને ગાયબ થઈ જશે.
  • લીમડો સુકાઈ ગયેલી ત્વચાને પુનર્જીવિત કરવામાં ફાયદાકારક છે. લીમડાની પેસ્ટમાં ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવો.
    તમે પોતે જ તફાવત અનુભવશો.
    વધતી ઉંમર સાથે કરચલીઓ વધવા લાગે છે, પરંતુ જો તમને તમારા ચહેરા પર વૃદ્ધત્વના નિશાન ઓછા કરવા હોય તો લીમડાનો ઉપયોગ કરો, લીમડાની પેસ્ટ લગાવવાથી પણ કરચલીઓ ઓછી થાય છે.
    જો કે આ ઉપાયોની કોઈ આડઅસર નથી, પણ તમારી ત્વચાને કોઈ ખાસ વસ્તુથી એલર્જી હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળો.
    કોઈ પણ ઉપાય ચહેરા પર અજમાવતા પહેલાં તેની નાનકડી ટેસ્ટ જરૂર કરી લેવી….
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…