તરોતાઝા

શિવને પ્રિય બીલીપત્ર મનુષ્ય માટે ઉત્તમ ઔષધ

સ્વાસ્થ્ય – નિધિ ભટ્ટ

બીલીપત્ર અથવા બીલીના પાંદડા ભારતમાં ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે તે ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. બીલી પત્ર કેલ્શિયમ અને ફાઈબરની સાથે વિટામિન એ, સી, બી-1 અને બી-6 જેવા પોષક તત્વોથી ભરપૂર છે. ઘણાને ખબર નથી, પરંતુ આ પાંદડા સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ માટે ફાયદાકારક હોવાનું કહેવાય છે અને તેથી જ તમારે દરરોજ બીલી પત્રનું સેવન કરવું જોઈએ. જ્યારે તમે દરરોજ તેનું સેવન કરો છો, ત્યારે તે પેટને લગતી સમસ્યાઓમાં રાહત આપવામાં, હૃદયની તંદુરસ્તી અને લીવરને સુધારવામાં મદદ કરી શકે છે.

તમારે દરરોજ બીલીપત્રનું પાંદડા શા માટે સેવન કરવું જોઈએ
સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ આ પાનને રોજિંદા આહારમાં લેવાનો આગ્રહ રાખે છે. જો કે આ પાનનું સેવન દિવસના કોઈપણ સમયે કરી શકાય છે, પરંતુ નિષ્ણાતો સહમત છે કે જ્યારે તમે તેને ખાલી પેટે ખાઓ છો, તો તે અસંખ્ય ફાયદાઓ પ્રદાન કરે છે. કારણ કે શરીર તેના પોષક તત્વોને સરળતાથી શોષી લે છે. આવો જાણીએ સવારે ખાલી પેટે બીલી પત્રનું સેવન કરવાના કેટલાક ફાયદા.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે
સ્વસ્થ રહેવા માટે શરીરની મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે જો તમે વારંવાર બીમાર પડો છો, તો તમારે દરરોજ સવારે ખાલી પેટે બીલી પત્રનું સેવન કરવું જરૂરી બનાવવું જોઈએ. બીલી પત્રમાં વિટામિન સી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. જો તમે રોજ ખાલી પેટે બીલી પત્રનું સેવન કરો છો તો તે શરદી અને ઉધરસથી બચાવે છે. ઉપરાંત તમે વારંવાર બીમાર પડશો નહીં.

પેટની સમસ્યાઓથી છુટકારો મળે છે
બીલી પત્રમાં ફાઈબર વધુ હોય છે. એટલા માટે તે પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા છે, તો તમે દરરોજ સવારે ખાલી પેટ બીલી પત્રનું સેવન કરી શકો છો. રોજ સવારે બીલી પત્રનું સેવન કરવાથી ગેસ, એસિડિટી અને અપચાથી છુટકારો મળે છે. તેમજ બીલી પત્ર ખાવાથી કબજિયાત પણ મટે છે. જેમને પાઈલ્સ ની સમસ્યા છે તેમના માટે ખાલી પેટે બીલી પત્ર ખાવાથી ફાયદો થઈ શકે છે. ખરેખર બીલી પત્ર પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેનાથી પેટની તમામ સમસ્યાઓમાં રાહત મળે છે.

હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે
બીલી પત્રને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે દરરોજ સવારે ખાલી પેટે બીલી પત્રનું સેવન કરો છો, તો તેનાથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. બીલી પત્રમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે, જે હૃદયને રોગોથી બચાવે છે. બીલી પત્ર ખાવાથી હૃદય મજબૂત બને છે. હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશરનું જોખમ પણ ઘટાડે છે. જો બીલી પત્ર સવારે ખાલી પેટ ખાવામાં આવે તો હૃદય રોગનો ખતરો ઓછો થઈ શકે છે.

શરીરને ઠંડક આપે છે માટે ઉનાળામાં ખાસ સેવન કરવું જોઇએ
રોજ સવારે બીલી પત્ર ખાવાથી શરીરમાં ઠંડક આવે છે. વાસ્તવમાં બીલી પત્રની અસર ઠંડી હોય છે. આવી સ્થિતિમાં જો તમે બીલી પત્રનું સેવન કરશો તો તમારું શરીર દિવસભર ઠંડુ રહેશે. ખાસ કરીને ઉનાળામાં બીલી પત્રનું સેવન કરવું વધુ ફાયદાકારક છે. તેનાથી તમને ઠંડક મળશે. મોઢામાં છાલા હોય તો પણ રોજ સવારે ખાલી પેટે બીલી પત્રનું સેવન કરવાથી ફાયદો થાય છે. આ માટે તમે બીલી પત્રને ચાવીને ખાઈ શકો છો.

બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ બીલી પત્ર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો તમે દરરોજ સવારે ખાલી પેટે બીલી પત્રનું સેવન કરી શકો છો. બીલી પત્રમાં હાજર ફાઈબર અને અન્ય પોષક તત્વો ડાયાબિટીસના દર્દીઓ માટે જરૂરી છે. ખાલી પેટે બીલી પત્ર ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

બીલી પત્રનું સેવન કેવી રીતે કરવું?
તમે બીલી પત્રને ઉકાળો કરીને સવારે ખાલી પેટ લઈ શકો છો. આ માટે બીલી પત્રને પાણીમાં ઉકાળો અને પછી તેને ગાળીને પી લો. બીલી પત્રને સીધું ચાવીને પણ ખાઈ શકાય છે. આનાથી તમે ઘણા ફાયદા પણ મેળવી શકો છો. બીલી પત્રને મધ સાથે ભેળવીને પણ લઈ શકાય છે. મધ અને બીલી પત્ર એકસાથે લેવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો