તરોતાઝા

આજકાલ – કવિતા યાજ્ઞિક

હૃદય બહુ નાજુક હોય છે અને હૃદય અત્યંત મજબૂત પણ. આ વાત માત્ર સાહિત્યની નહીં, વિજ્ઞાનની પણ છે. એ કહેવાની કોઈને જરૂર ખરી કે હૃદય બંધ પડી જાય તો શું થાય/ હૃદય વિનાનો માણસ એ રૂઢિ પ્રયોગમાં ભલે કહી શકાય પણ હૃદય વિના જીવન સંભવ નથી. માટે હૃદયની સંભાળ રાખવી, તેની સમસ્યાઓને જાણવી આપણા માટે સૌથી મહત્વનું છે.

આ વાત એટલે છેડી છે કે ૨૯ સપ્ટેમ્બરે વિશ્વ હૃદય દિવસ આવી રહ્યો છે. સૌ પ્રથમ વિશ્વ હૃદય દિવસ વર્ષ ૨૦૦૦માં સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે ઉજવવાની શરૂઆત થઇ હતી. ત્યારથી દર વર્ષે તે ઉજવવામાં આવી રહ્યો છે. પરંતુ ૨૦૧૪થી તેમાં ફેર કરીને ૨૯ સપ્ટેમ્બરે વિશ્વ હૃદય દિવસ ઉજવવામાં આવી રહયો છે. અન્ય વાર્ષિક ઉજવણીઓની જેમ વિષય હૃદય દિવસ પણ દર વર્ષે કોઈ એક વિષયને લઈને ઉજવાય છે. આ વર્ષનો વિષય છે, પ્રત્યેક હૃદય માટે એક હૃદયનો ઉપયોગ કરો. આ ઉજવણીનો હેતુ લોકોમાં હૃદય રોગ અને તેના પ્રભાવો પ્રતિ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો રહ્યો છે. કારણકે પ્રતિ વર્ષ વિશ્વભરમાં થતાં મૃત્યુમાં હૃદયને લગતી સમસ્યાઓનો ફાળો પણ નાનોસૂનો નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાના કહેવા પ્રમાણે દર વર્ષે વિશ્વમાં થતાં મૃત્યુમાંથી ૧૭.૯ મૃત્યુનું કારણ હૃદયને લગતી સમસ્યા અર્થાત કે કાર્ડીઓ વેસ્ક્યુલર સમસ્યાઓ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર વિશ્વભરમાં થતાં કસમયના મૃત્યુમાંથી ૮૦ ટકા મૃત્યુ હૃદયને લગતા રોગોને કારણે થાય છે. હૃદય ફેફસાં અને મગજ જેવા મહત્વના અવયવો સહીત સમગ્ર શરીરના રક્ત સંચાર માટેનું મહત્વનું અવયવ છે તે આપણે જાણીએ જ છીએ.

હૃદય રોગ થવા માટેના જે મુખ્ય કારણો છે, તેમાં બિન આરોગ્યપ્રદ આહાર, તમાકુનું સેવન, શારીરિક પ્રવૃત્તિઓમાં ઘટાડો અથવા કહીએ કે બેઠાડુ જીવનશૈલી, અને મદિરા પાનનો સમાવેશ થાય છે. ભારતની વાત કરીએ તો વિશ્વભરમાં હ્રદયરોગથી થતાં મૃત્યુમાં પાંચમા ભાગના મૃત્યુ ભારતમાં થાય છે. ભારતમાં પ્રતિ એક લાખ વસ્તીમાં ૨૭૨નો મૃત્યુદર હૃદયરોગને કારણે છે, જે વૈશ્વિક સરેરાશ ૨૩૫ની સરખામણીએ ઘણો વધારે છે. પશ્ચિમી વસ્તી કરતા એક દાયકા પહેલા કાર્ડીઓ વેસ્ક્યુલર બીમારીઓ ભારતીયોને અસર કરે છે. આપણા ભારતીયો માટે, સીવીડીમાં ચિંતાના ખાસ કારણો પ્રારંભિક ઉંમર, ઝડપી શરૂઆત અને ઉચ્ચ મૃત્યુ દર છે. ભારતીયો સૌથી વધુ કોરોનરી આર્ટરી ડિસીઝ દર ધરાવે છે અને પરંપરાગત જોખમ પરિબળો આ વધેલા જોખમને સમજાવવામાં નિષ્ફળ જાય છે. ભારતીય ઉપમહાદ્વીપ માટે કાર્ડિયાક મૃત્યુદર અને રોગને લગતી કોઈ માળખાગત માહિતી સંગ્રહ પદ્ધતિઓ નથી, અને મોટાભાગના મૃત્યુ મૃત્યુનું ચોક્કસ કારણ જાણ થતી નથી, કેમકે મૃત્યુ ઘરે જ થાય છે.

પરંપરાગત જોખમ પરિબળો જેમ કે હાયપરટેન્શન, ડાયાબિટીસ મેલીટસ ડિસ્લિપિડેમિયા, ધુમ્રપાન, સ્થૂળતા ભારતીયોમાં કાર્ડિયાક મૃત્યુના વધતા વ્યાપ સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે. એક અભ્યાસમાં, નવ સામાન્ય જોખમ પરિબળો (જેમાં શારીરિક નિષ્ક્રિયતા, ફળો અને શાકભાજીનું ઓછું સેવન અને મનોસામાજિક તણાવ પણ સામેલ છે) દક્ષિણ એશિયાના ૯૦% થી વધુ તીવ્ર મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (એએમઆઈ) સમજાવે છે. જો કે, આ તમામ જોખમી પરિબળો હજુ પણ ભારતીયોમાં નાની ઉંમરે થતા હૃદય રોગ અને તેની વૃદ્ધિને સમજાવવામાં અસમર્થ રહ્યા છે.

જો આપણે જોખમી પરિબળોની ભારતીય પરિપેક્ષમાં વાત કરીએ તો, ભારતીયોમાં, ૧૮ વર્ષની વયના દર દસ વ્યક્તિઓમાંથી એક વ્યક્તિના લોહીમાં શર્કરાનું સ્તર વધારે હોય છે. ૨૦૧૭ માં ભારતમાં ડાયાબિટીસના ૭૩ મિલિયનથી વધુ કેસ હતા જે સમગ્ર વિશ્વમાં કોઈપણ દેશમાં સૌથી વધુ છે.

ભારતમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના દર ચારમાંથી એક વ્યક્તિનું બ્લડ પ્રેશરનું સ્તર વધુ જોવા મળે છે. ભારતમાં તમામ મૃત્યુના ૧૦.૮% માટે હાઇપરટેન્શન જવાબદાર છે. તેનો વ્યાપ છેલ્લા ત્રણ દાયકામાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ખૂબ જ વધી રહ્યો છે.

ખાસ કરીને શહેરી વિસ્તારોમાં સ્થૂળતાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ૧૯૭૫ અને ૨૧૬ ની વચ્ચે સ્થૂળતાનો વિશ્વવ્યાપી વ્યાપ લગભગ ત્રણ ગણો વધી ગયો છે. પુખ્ત શહેરી વસ્તીના ૩૦-૬૫%માં વધુ વજન અથવા સ્થૂળતા જોવા મળે છે.

હૃદય વિકારના પેથોજેનેસિસ વિશે આરોગ્ય શિક્ષણ અને જાગૃતિને પ્રોત્સાહન આપવું, ધૂમ્રપાન અને તમાકુના ઉપયોગને નિરુત્સાહિત કરવું અને તંદુરસ્ત આહાર અને વ્યાયામ દિનચર્યાને અનુકૂલિત કરવાથી કાર્ડિયોવેસ્ક્યુલર આરોગ્યને વધુ સારી રીતે પ્રોત્સાહન મળશે. સારી ચરબી વાળા ડેરી ઉત્પાદનો, કાર્બોહાઇડ્રેટ્સ, સંતૃપ્ત ચરબી ઘટાડવા અને ફળો અને શાકભાજીના દૈનિક સેવનમાં વધારો કરવાથી પણ એકંદર આરોગ્યમાં સુધારો થઇ શકે છે. નાની ઉંમરે શરૂ થતા આક્રમક સ્ક્રિનિંગ પરીક્ષણો વહેલી તપાસ અને સારવાર માટે ફાયદાકારક રહેશે. નિયમિતપણે પ્રેક્ટિસ કરવા માટે ચાલવા, યોગ અને ધ્યાન જેવી તંદુરસ્ત જૂથ કસરત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું એ ચોક્કસપણે હૃદય રોગના વધતા રોગચાળાને રોકવામાં મદદ કરશે.

આરોગ્યપ્રદ જીવન શૈલી જીવવું જેટલું આજના સમયમાં જરૂરી છે તેટલું કદાચ પહેલા ક્યારેય નહોતું. આપણે પણ જાગૃત થઈએ અને અન્યોને પણ જાગૃત કરીએ, વ્યસનોનો ત્યાગ કરીએ. લાંબુ જીવીએ અને સ્વસ્થ જીવીએ!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…