તરોતાઝા

કાયાને કઈ રીતે જોબનવંતી રાખે છે જળ ?

`આરોગ્ય + પ્લસ ‘ – ભરત ઘેલાણી

જેટલી સહેલાઈથી મળતું એટલી જ સહજતાથી વેડફાતું પાણી આપણું જીવન ટકાવી રાખતી એક અતિ અગત્યની કુદરતની ભેટ છે. અનેક અટપટી બીમારી ટાળી શકે એવી આજની અતિ આધુનિક જળ – ચિકિત્સા પણ જાણવા જેવી છે

ધારો કે તમને કોઈ પૂછે : તમને પાણી પીતા આવડે છે? તો તમે કહેશો: કેવો વાહિયાત સવાલ છે?!' સાથોસાથ તમને થશે: સામાન્ય રીતે આપણને ઉનાળાના તાપમાં પાણીની વિશેષ જરૂર પડે લગેલી તરસ છીપાવવાએમાં તમે આવો સવાલ શિયાળામાં તમારી નવાઈ વાજબી છે. પાણી પીવાની ક્રિયા-પ્રક્રિયા- પ્રતિક્રિયાનું એક અલગ,પણ જાણવા જેવું વિજ્ઞાન છે પાણી..’
અક્ષર બે – શબ્દ એક….
પહેલી નજરે રોજિંદો ને સામાન્ય લાગતો એ શબ્દ કમાલનો છે એના ગુણધર્મને લીધે. બાળક જન્મતાની સાથોસાથ જેમ આપોઆપ શ્વાસ લેતા શીખી જાય છે તેટલી જ સહજતાથી એ પોતાની તરસ અનુસાર પાણી પીતો થઈ જાય છેઆપણે દર વર્ષે વિશ્વ પાણી દિવસ' ઉજવીએ છીએ. પાણી વિશે અઢળક પાણીદાર વાતો કરીએ છીએ અને જાણતા-અજાણતા એ પણ સ્વીકારીએ છીએ કે બહુ સહજતાથી વેડફી શકાય એવી એક માત્ર જણસ પાણી છે. અહીં પાણી વિશે થોડી અલપઝલપ વાત કરીએ તો આ ધરા-ધરતીના 71% વિસ્તાર પર પાણી છે. પૃથ્વી પર જેટલું પણ પાણી છે એમાંથી 96.5 % જળ તો એકલા દરિયા-સમુદ્રમાં છે. એ જ રીતે , માનવદેહમાં પણ લગભગ 60 % પાણી છે. એમાંય માનવદેહના વિભિન્ન અંગમાં પાણીનું પ્રમાણની ટકાવારી અલગ છે. ઉદાહરણ તરીકે, મગજ-હૃદયમાં 73% - ફેફસાંમાં 83% તો કિડનીમાં 79%થી ઘટીને હાડકામાં 31% પાણીનું પ્રમાણ હોય છે. ખેર, આ તો પહેલી નજરે માનવદેહ અને પાણીની આંકડાબાજી થઈ, પણ એક વાત આપણે જન્મતાની સાથે જ - ગળથૂથીમાં શીખી ગયા છીએ કે પાણી વગર જીવન અસંભવ છે અને એટલે જ તીવ્ર તરસ લાગે ત્યારની આપણી શારીરિક -માનસિક અનુભૂતિ સાવ અલગ હોય છે. આવી તરસ વખતે વિશ્વના સૌથી શ્રીમંત ઈલોન મસ્ક કે આપણા ઉદ્યોગ સાહસિક મુકેશ અંબાણીને પણ પોતાના બેન્ક અકાઉન્ટમાં કેટલાં અબજ ડોલર કે રૂપિયા જમા પડયાં છે એ પણ યાદ નહીં આવે. એ વખતે એમને મન પાણીનો એક અરધો ગ્લાસ જ સર્વ સંપત્તિ છે - સર્વેસર્વા છે! પાણી છે તો જીવન સંભવ છે એ સનાતન સત્ય માનવી સૈકાઓથી જાણે છે એટલે માનવી બીજાં ગ્રહની ફરતો ઉપગ્રહ મોકલે કે પારકા ગ્રહની ધરતી પર રોબો-યાંત્રિક વાહનનું લેન્ડિંગ કરાવે ત્યારે માનવીની પહેલી જિજ્ઞાસા એ જ હોય છે કે ત્યાં પાણી તો છેને?! પાણી હશે તો પાછળથી અન્ય જીવસૃષ્ટિની શોધ થઈ શકશે અથવા તો ત્યાં વસ્યા પછી પ્રજોત્પતિ થઈ શકશે. અમેરિકા-ચીન તેમ જ ભારતના અંતરિક્ષ પ્રયોગો દ્વારા સાબિત થયું છે કે આપણા પાડોશી ચંદ્ર ઉપરાંત મંગળ પર પણ પાણીનાં સ્ત્રોત છે ! ખેર, અંતરિક્ષ છોડી આપણે ફરી ધરતી પર પરત આવીએ પ્રભુનો પાડ માનીએ કે આપણી પાસે આપણી ખુદની આવરદા સુધી ચાલે એટલા પૂરતો પાણીનો જથ્થો છે . જીવાદોરી માટે મહત્ત્વના મૂળભૂત પાંચ તત્ત્વ: ધરતી-અગ્નિ-વાયુ-આકાશ અને જળમાંથી એક તત્ત્વ પાણી આપણું જીવનરક્ષક પણ આગવી રીતે બની શકે છે, કારણ કે પાણી પીવાનું એક અલાયદું અને એ પણ એક અલગ રસપ્રદ તબીબી વિજ્ઞાન પણ છે. માનવદેહમાં પ્રત્યેક્ષ-પરોક્ષ રીતે અનેક પ્રકારના વિષ-ઝેર પ્રવેશેલા હોય છે.આવાવિષયુક્ત’ (ઝજ્ઞડ્ઢશક્ષ) તત્ત્વોને દૂર કરવાની પ્રક્રિયા વિષમુકત' (ઉયજ્ઞિંડ્ઢશરશભફશિંજ્ઞક્ષ) કહે છે. આ પ્રક્રિયામાં પાણી - જળ અગત્યનો ભાગ ભજવે છેઆમ તો પાણી દ્વારા કઈ રીતે કાયાને વિષમુકત કરી શકીએ એના વિશે આપણી પાસે પારાવાર પ્રશ્નો છે એટલે આપણે અહીં પાયાના પ્રશ્નોની શરૂઆત કરી તબક્કાવાર એ જિજ્ઞાસા સંતોષી શકીએ. ઉદાહરણરૂપે..... પ્રશ્ન : દિવસમાં કેટલી વાર ને કેટલું પાણી પીવું જોઈએ? ઉત્તર : અવારનવાર પૂછાતા આ સહજ સવાલનો સહજ જવાબ એ છે કે તરસ લાગે ત્યારે પાણી પીવું ! જો કે,આજકાલના જુવાનિયાઓમાં મિનરલ વોટરની બોટલ સાથે ફેરવવાની એક ફેશન થઈ ગઈ છે. તરસ ન લાગી હોય તો પણ વચ્ચે વચ્ચે પાણી પીતા રહે છે. આ ટેવ પાળવા જેવી નહીં- ટાળવા જેવી છે હા, ઘરની બહાર - ખાસ કરીને,મુસાફરી વખતે અજાણ્યા સ્થળે નળનું કે ટેપ વોટર પીવું સુરક્ષિત ન હોય શકે ત્યારે વોટર બોટલ સાથે રાખવી વ્યાજબી છે. આ વાતની સાથોસાથ, આહારશાસ્ત્રીઓની પણ સલાહ માનીએ તો સામાન્ય સંજોગોમાં દિવસમાં 7-8 ગ્લાસ પાણી શરીરનેભીનું’ રાખવા પૂરતું છે. તરસ છીપાય એટલું પાણી જરૂર પીવો,પણ તરસ ન હોય છતાં ફરજિયાત એને એક લશ્કરી નિયમ બનાવી રોજ 7-8 ગ્લાસ કે એથી વધું પાણી પેટમાં ન ઠાલવો.
પ્રશ્ન : ધારી લો કે વધુ પાણી પીવાઈ ગયું તો એની કોઈ આડ-અસર થાય ખરી ?
ઉત્તર : અપવાદરૂપ કોઈ વાર આવું થાય તો ઠીક, પરંતુ રોજ આદતથી મજબૂરની જેમ રોજ 7-8 ગ્લાસ કે એથી વધું પાણી પેટમાં ન ઠાલવો. પેટ પેટ છે-માટલું નથી. વધું પડતું પાણી નુકસાનકારક બની શકે. એનાથી… સ્થૂળતા વધે. પાચનક્રિયામાં વિક્ષેપ સર્જાય. વધુ પડતું પાણી કિડનીને પણ ગંભીર આડ-અસર પહોંચાડી શકે
પ્રશ્ન : હમ્મ્મમ, કિડની ઉપરાંત બીજી કોઈ નુકસાનકારક આડ-અસર ?

ઉત્તર : છેને..ઘણી છે ! સામાન્ય રીતે, ગરમીના દિવસોમાં આપણે પાણી પીવાનું પ્રમાણ વધારી દઈએ છીએ. ઠંડું પાણી -કોલ્ડ ડ્રિંક્સ – છાશનો શરીર પર મારો ચલાવીએ. આ વધુ પડતું પ્રવાહી શરીરમાં રહેલાં સોડિયમનું તત્વ ઘટાડે છે, જેને સમતોલ કરવા શરીર આપમેળે સુક્ષ્મ કોષના લોહીમાંથી પાણી ખેંચી લે છે. પરિણામે તબીબી ભાષામાં કહીએ તો `હાઈપોનેટે્રમિયા’ સર્જાય. આવી વોટર ટોક્સિટેશન સ્થિતિમાં માણસ ક્યારેક કોમામાં પણ સરી જાય. તાત્કાલિક સારવાર ન મળે તો એ મરણ પણ પામે.
પ્રશ્ન : પાણીથી શરીરનું શુદ્ધિકરણ કરી શકાય… કઈ રીતે ?
ઉત્તર : તરસ છીપાવવા પાણીનો પીવા ઉપયોગ કરવા ઉપરાંત પાણીના માધ્યમથી આપણી કાયાનું શુદ્ધિકરણ પણ કરી શકાય… આના માટે આજના ડાયેટિશિયન – આહારશાસ્ત્રી અનેક પ્રકારનું માર્ગદર્શન આપે છે. આવી સમજણ અને સલાહ સૈકાઓ પૂર્વે રોમ-ગ્રીસ સામ્રાજયમાં પણ ત્યાંની પ્રજા-ખાસ કરીને સૈન્યના જવાનોને અપાતી, જેથી એ વધુ જોશીલા ને ચુસ્ત રહી શકે. શરીરનું મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા-પાચન ઝડપી કરવા માટે પણ પાણીનો ઉપયોગ આહારવિજ્ઞાનીઓ સૂચવે છે. આમ તો આપણું શરીર જ લીવર- ફેફસાં અને કિડની દ્વારા શરીરમાં પેસી ગયેલી અશુદ્ધિને નિયમિત રીતે શરીર બહાર ધકેલી કાઢે છે. આમ છતાં, પાણીની મદદથી એ ક્રિયા-પ્રક્રિયા વધુ ઝડપી બનાવી શકાય છે. પાણીથી શરીરનાં આંતરિક અંગોને ભીનું’ રાખવાથી પાચન ક્રિયા સુધરે છે તથા લોહીનું ભ્રમણ વધુ ત્વરિત બને છે. એટલું જ નહીં, વધુ મીઠ્ઠું-ગળ્યું ખાવાની તલપ ઘટે છે. એની સાથે શરીર વધુ ચેતનવંતુ બને છે.આ બધાને લીધે, ચહેરા પર વધુ ચમક આવે છે
પ્રશ્ન : આપણાં હૃદયને હેમખેમ રાખવામાં પાણી કેટલું અગત્યનું છે?
ઉત્તર : ઘણું જમાનવ શરીરમાં 60% પાણી છે એટલે એનાં પ્રત્યેય અંગને જોઈતું પાણી પહોંચે એવી ગોઠવણ કુદરતે કરી જ છે. આમ છતાં શરીર પ્રત્યેની આપણી લાપરવાહીને લીધે એ રોગગ્રસ્ત થતું હોય છે. પાણીના અભાવને લીધે રક્ત પરિભ્રમણ ઘટે-અંગોને પ્રાણવાયુ ઓછો પહોંચે તો એને લીધે સૌથી વધુ કામ હૃદયને વેંઢરવું પડે માટે હૃદય હેમખેમ રાખવા ખાતર પણ પાણી પૂરતા પ્રમાણમાં પીવું જરૂરી હવે બધાને મૂંઝવતો એક અગત્યનો છેલ્લો
પ્રશ્ન : ઉનાળાની તરસમાં પાણીની બહુ જરૂરી છે એ તો બધા જાણે છે, પરંતુ શિયાળામાં શરીર માટે પાણી પીવું કેટલું જરૂરી?
ઉત્તર : શિયાળામાં પણ પાણી પીવું અત્યંત અગત્યનું છે. ઉનાળામાં તો તાપને લીધે પરસેવો વળે- આપણને તરસ લાગે એટલે પાણી પી લઈએ,પણ શિયાળીની ઋતુમાં આવી જરૂરિયાત આપણે અનુભવી શકતા નથી. પરિણામે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે અને ડિહાઈડે્રશન-પાણીની ઉણપને લીધે અનેક પ્રકારની સમસ્યા સર્જાય છે.
શિયાળામાં આપણી શ્વાસોઉચ્છવાસની ક્રિયા-પ્રક્રિયામાં શરીરમાં રહેલું પાણી વધુ વપરાય છે,જેનાથી આપણે અજાણ છીએ. આના કારણે પણ ડિહાઈડે્રશન થાય છે..
પાણી આપણાં શરીરની કોશિકાઓ સુધી ઓક્સીજનને પહોંચાડવાનું કામ કરે છે. પાણી પીવાથી આપણું મેટાબોલિઝમ પણ મજબૂત રહે છે, જયારે શરીરમાંથી પાણી ઓછું થાય તો
માથું દુખવું-ચક્કર આવવા- થાક લાગવો અને ત્વચા સૂકી થવી વગેરે સમસ્યાનો સામનો કરવો પડે છે. પાણીની ઊણપને લીધે શરીરની ઈમ્યૂનિટી સિસ્ટમ- રોગ સામેની પ્રતિરક્ષા શક્તિ નબળી થવા લાગે છે, જેના કારણે શરીરમાં બીમારીઓ જન્મે છે…
આવે વખતે ઠંડી ઋતુમાં દિવસમાં 2-3 લીટર પાણી પીવું જોઈએ..
આમ નીર -જળ -અંબુ અર્થાત્‌‍ પાણી આપણા માટે જેમ જાણતા-અજાણતા વિષ પુરવાર થઈ શકે તેમ પાણીનાં કેટલાંક ગુણ-ધર્મ જાણીને-સમજીને એને ઉપયોગમાં લઈએ તો એ આપણા માટે અમૃત પણ બને! (સંપૂર્ણ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ