નેશનલ

વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરનું સ્ટેચ્યૂ બનીને તૈયાર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસ કરશે લોકાર્પણ

મુંબઇ: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનું સ્ટેચ્યૂ બનીને તૈયાર છે. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને સ્ટેડિયમના સચિન તેંડુલકર સ્ટેન્ડ પાસે આ પ્રતિમા સ્થાપિત કરી છે. આ પ્રતિમા તેમના જીવનના ૫૦ વર્ષ માટે સમર્પિત છે. સચિને આ વર્ષે એપ્રિલમાં પોતાનો ૫૦મો જન્મદિવસ ઉજવ્યો હતો. આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.

ભારત-શ્રીલંકાની વર્લ્ડ કપ ૨૦૨૩ની મેચ અગાઉ ૫૦ વર્ષીય તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. ૧૫,૮૨૧ ટેસ્ટ રન અને ૧૮,૪૨૬ વન-ડે રન કરનાર ‘ભારત રત્ન’ સચિન તેંડુલકર પોતે અનાવરણ સમારોહમાં હાજર રહેશે. ભવ્ય સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મુખ્ય અતિથિ હશે જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અતિથિ વિશેષ હશે. આ પ્રસંગે બીસીસીઆઇ સેક્રેટરી જય શાહ અને બીસીસીઆઇના ટ્રેઝરર આશિષ શેલાર હાજર રહેશે. એમસીએના પ્રમુખ અમોલ કાલેએ આ વિચારની શરૂઆત કરી અને આ રમતમાં જોયેલા મહાન ક્રિકેટરોમાંના એકને યોગ્ય સન્માન આપવાનું નક્કી કર્યું હતું.

આ સમારોહમાં ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો હાજરી આપે તેવી શક્યતા છે. સચિન તેંડુલકરની ૨૨ ફૂટની પ્રતિમા પ્રખ્યાત શિલ્પકાર પ્રમોદ કાલે દ્વારા બનાવવામાં આવી છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના સચિવ અજિંક્ય નાઈકે કહ્યું હતું કે, સચિન દરેક ઉભરતા ક્રિકેટર માટે પ્રેરણા છે. અમે સચિનના ૫૦મા જન્મદિવસના અવસર પર દેશ અને દુનિયાભરના તેના પ્રશંસકો માટે કંઈક કરવા માગતા હતા. આ પ્રતિમા ભવિષ્યની ક્રિકેટ પેઢીઓને પ્રેરણા આપશે અને સચિન અને મુંબઈ ક્રિકેટના વારસાને આગળ વધારશે. તેંડુલકરે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમતને વિદાય આપી, જ્યાં એક સ્ટેન્ડનું નામ તેના નામ પર રાખવામાં આવ્યું છે. જમણા હાથના બેટ્સમેને બે દાયકાથી વધુ સમયની શાનદાર કારકિર્દી બાદ નવેમ્બર ૨૦૧૩માં વાનખેડે ખાતે તેની ૨૦૦મી અને છેલ્લી ટેસ્ટ રમી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride” સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું…