ધર્મતેજનેશનલ

રાહુનું રાશિ પરિવર્તનઃ 30મી ઓક્ટોબર પછી આ ત્રણ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ…

વૈદિક જ્યોતિષ અનુસાર તમામ ગ્રહ દર થોડા સમયે ગોચર કરીને શુભ-અશુભ યોગ બનાવે છે અને તેની અસર એક નિર્ધારિત સમય સુધી જોવા મળે છે. હવે તમને અહીં આવા જ એક ગ્રહ ગોચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમારી જાણ માટે કે 30મી ઓક્ટોબરના રોજ રાહુ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યોછે અને એને કારણે રાહુ અને ગુરુની અશુભ યુતિ સમાપ્ત થવા જઈ રહી છે. આવા સંજોગોમાં કેટલીક રાશિના જાતકોની મનોકામના પુરી થવાની સાથે સાથે જ આકસ્મિક ધનલાભ પણ થતો જણાઈ રહ્યો છે. ચાલો, વધારે સમય વેડફ્યા વિના જાણીએ કે આખરે કઈ છે આ ભાગ્યળશાળી રાશિઓ…

ગુરુ અને રાહુની યુતિ સમાપ્ત થતાં સિંહ રાશિના જાતકો માટે અચ્છે દિનની શરૂઆત થવા જઈ રહી છે, કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી નવમા સ્થાને ગોચર કરશે. આ ઉપરાંત ગુરુને ભાગ્ય સ્થાનનો કારક માનવામાં આવે છે. આ સમયગાળામાં પિતાના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે અને આવકમાં પણ વધારો થશે. સંતાનપ્રાપ્તિ માટે પ્રયાસો કરી રહેલાં લોકોને આ સમયગાળા દરમિયાન ગુડ ન્યૂઝ સાંભળવા મળી શકે છે. પરિવારમાં કોઈ ધાર્મિક અથવા શુભ કાર્યક્રમ થઈ શકે છે. સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહેલાં વિદ્યાર્થીઓ માટે આ સમય સારો સાબિત થશે.

Raashi

ગુરુ અને રાહુનો યુતિ સમાપ્ત થવાથી આ રાશિના લોકો માટે સારો એવો લાભ થઈ શકે છે, કારણ કે મેષ રાશિમાં રાહુ અને ગુરુનો સંયોગ થઈ રહ્યો છે. શનિની ત્રીજી દૃષ્ટિ પણ છે. તેથી, આ સમયે તમને અણધાર્યા પૈસા મળી શકે છે. ઉપરાંત, તમે માન અને પ્રતિષ્ઠા મેળવી શકો છો. અવિવાહિત લોકો લગ્ન કરી શકે છે. તમે દેશ-વિદેશની યાત્રા પણ કરી શકો છો, જે શુભ સાબિત થઈ શકે છે. જે લોકો શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીમાં નાણાંનું રોકાણ કરવા માગે છે તેઓ આમ કરી શકે છે. સમય સાનુકૂળ છે. સાથે જ બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે.

રાહુ અને ગુરુના યુતિનો અંત ધન રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન ધન રાશિના લોકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આ સમય દરમિયાન તમને કોઈપણ યોજનામાં સફળતા મળી શકે છે. તમે તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોશો. શેરબજારમાં તમને ફાયદો થશે. તેમજ જે લોકોનો વેપાર સોના-ચાંદી સાથે સંબંધિત છે તેમને સારો નફો મળી શકે છે. જ્યારે નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. અટવાઈ પડેલી વસ્તુઓ પાછી મળવાની શક્યતા છે અને બિઝનેસમાં પણ સફળતા મળી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey