Top Newsજૂનાગઢ

જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંત 3 પાનાની સુસાઇડ નોટ લખી રહસ્યમય રીતે ગાયબ; પોલીસે તપાસ આદરી…

જૂનાગઢ: ભવનાથ ક્ષેત્રમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત ૧૦૦૮ મહામંડલેશ્વર મહાદેવભારતીજી આજે વહેલી સવારથી ગુમ થઇ ગયા હોવાના અહેવાલ છે. તેમણે ત્રણથી વધુ પાનાની સુસાઇડ નોટ પણ લખી છે. આ અંગે ભવનાથ પોલીસ અને જૂનાગઢ પોલીસની જુદી જુદી ટીમોએ મળીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત ૧૦૦૮ મહામંડલેશ્વર મહાદેવભારતીજી આજે વહેલી સવારથી ગુમ થઇ ગયા હોવાની જાણ ભવનાથ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી અને તેના આધારે ભવનાથ પોલીસ તેમજ જૂનાગઢ પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે.

ભારતી આશ્રમના લઘુમહંત ૧૦૦૮ મહામંડલેશ્વર મહાદેવભારતીજી

લઘુમહંત મહાદેવભારતીજીએ ત્રણથી વધુ પાનાની સુસાઇડ નોટ પણ લખી હોવાનું જાણવા મળ્યું હતું. મહંત આજે વહેલી સવારે કોઈને પણ જાણ કર્યા વિના આશ્રમમાંથી નીકળી ગયા હતા અને આ અંગે સંચાલકોને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ કરાયા બાદ પોલીસે જુદી જુદી ટીમ બનાવીને શોધખોળ આદરી હતી. પોલીસે સંચાલકો તેમજ તેમના નજીકના માણસોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે તેમણે ત્રણ પાનાં કરતાં વધુની એક સુસાઇડ નોટ પણ લખી છે અને જેમાં તેમણે કોઈ અંગત મનદુખ હોવાનું લખ્યું હોવાનું જાણવા મળી રહ્યું હતું. જો કે સુસાઇડ નોટમાં કોના નામનો ઉલ્લેખ છે તે અંગે પોલીસ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.

આ પણ વાંચો…સરખેજ ભારતી આશ્રમ વિવાદ: હરિહરાનંદ ભારતી અને ઋષિભારતી વચ્ચે આરોપ-પ્રત્યારોપ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button