નેશનલ

જેપી નડ્ડાએ આ રાજ્યની સરકાર પર કર્યા આકરા પ્રહારો…

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે એટલે કે 30 ઓક્ટોબરના રોજ કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે કટ્ટરપંથીઓ પ્રત્યે પિનરાઈ વિજયન સરકારના નરમ વલણને કારણે કેરળમાં બોમ્બ વિસ્ફોટ થઈ રહ્યા છે.

નડ્ડાએ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની રેલીમાં કહ્યું હતું કે જ્યારે હમાસના એક નેતાએ કેરળમાં આયોજિત ડિજિટલ સભાને સંબોધિત કરી રહી હતી ત્યારે ડાબેરી સરકાર મૂક પ્રેક્ષક બની અને જોઇ રહી હતી ત્યારે આ ઘટનાથી પિનરાઈ વિજયનના નેતૃત્વમાં ગેરવહીવટ સ્પષ્ટપણે દેખાઈ આવે છે.

કોચી નજીક કલામસેરીમાં એક કોન્ફરન્સ સેન્ટરમાં વિસ્ફોટ ત્યારે થયો જ્યારે રવિવારના રોજ ખ્રિસ્તી સમુદાયના જેહોવાઝ વિટનેસ સંપ્રદાયની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. આ વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે અને 60 લોકો ઘાયલ થયા છે. જેપી નડ્ડાએ દાવો કર્યો હતો કે પિનરાઈ વિજયન સરકાર કેરળ કોઓપરેટિવ બેંક કૌભાંડમાં સામેલ છે. હાલના પ્રધાનો અને પૂર્વ પ્રધાનો સહિત ઘણા લોકોએ મળીને આ બધું કર્યું. જેના કારણે અનેક લોકોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

આ ઉપરાંત નડ્ડાએ ભાર દઇને કહ્યું હતું કે કેરળ સરકાર પણ કેન્દ્રીય યોજનાઓને લોકો સુધી પહોંચવા દેતી નથી. પીએમ મોદીએ જલ જીવન મિશન હેઠળ 70 લાખ નળ કનેક્શન આપ્યા, પરંતુ પિનરાઈ વિજયન સરકાર અત્યાર સુધીમાં માત્ર 12 લાખ નળ કનેક્શન જ આપ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey