નેશનલ

ગુજરાત રમખાણ કેસના ૯૫ જણની સુરક્ષા પાછી ખેંચાઇ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત સરકારે ૨૦૦૨ના ગોધરા ટ્રેન હત્યાકાંડ અને ત્યારપછીનાં રમખાણોના કેસોની તપાસ કરવા માટે નિયુક્ત કરેલી વિશેષ તપાસ ટીમની સુપ્રીમ કોર્ટના વિટનેસ પ્રોટેક્શન સેલની ભલામણોને આધારે ૯૫ સાક્ષીઓનું સુરક્ષા કવચ પાછું ખેંચી લીધું છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એસઆઇટીના વિટનેસ પ્રોટેક્શન સેલની ભલામણના આધારે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા નિવૃત્ત જજ અને રમખાણ પીડિતોના કેસ લડતા વકીલને આપવામાં આવેલું સુરક્ષા કવચ પણ પાછું ખેંચી લીધું છે.

અમદાવાદ પોલીસે નરોડા ગામ, નરોડા પાટિયા અને ગુલબર્ગ સોસાયટી જેવા વિવિધ રમખાણોના ૯૫ સાક્ષીઓને આપવામાં આવેલી પોલીસ સુરક્ષા પાછી ખેંચી લીધી છે. સુરક્ષા કવચ ગુમાવનારાઓમાં ૫૪ વર્ષીય ફરીદા શેખનો પણ સમાવેશ થાય છે, જેમણે નરોડા પાટિયા રમખાણ કેસમાં કોર્ટ સમક્ષ જુબાની આપી હતી.ફરીદા શેખે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ, અમારા જેવા લોકોને પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. એક સશસ્ત્ર પોલીસ સવારથી સાંજ સુધી મારા ઘરની બહાર ચોકીદારી રાખતો હતો. ૨૬મી ડિસેમ્બરે મને શહેર પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી કે મારું સુરક્ષા કવચ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. નથી મને કોઈ કારણ આપવામાં આવ્યું નથી. અન્ય ઘણા સાક્ષીઓ સાથે આવું બન્યું છે. અમે ડરમાં જીવીએ છીએ કારણ કે ઘણા આરોપીઓ હજુ બહાર છે અને તેઓ હજુ પણ અમને નુકસાન પહોંચાડી શકે છે એવી ચિંતા શેખે વ્યક્ત કરી હતી. ગુલબર્ગ સોસાયટીના પીડિતો વતી કોર્ટમાં હાજર થયેલા એડવોકેટ એસએમ વોરાએ પણ તાજેતરમાં તેમનું સુરક્ષા કવચ ગુમાવ્યું છે.

વોરાએ કહ્યું, “મને આપવામાં આવેલા એક સીઆઇએસએફ જવાને આવવાનું બંધ કરી દીધું છે. રક્ષા કવચ પાછું ખેંચવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. પૂર્વ મુખ્ય સિટી સેશન્સ જજ જ્યોત્સના યાજ્ઞિક, જેમણે નરોડા પાટિયા રમખાણ કેસમાં ૩૨ લોકોને દોષિત ઠેરવ્યા હતા અને ૨૦૧૪ માં તેમની નિવૃત્તિ પહેલાં નરોડા ગામ કેસની અધ્યક્ષતા પણ કરી હતી, તેમણે પણ સુરક્ષા કવચ ગુમાવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.તેમને તેની સેવા દરમિયાન લગભગ ૧૫ ધમકીઓ મળ્યા બાદ તેને સીઆઇએસએફ સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા મહિને દિવાળી પછી તેના નિવાસસ્થાનની બહાર તૈનાત સીઆઇએસએફ ગાર્ડે આવવાનું બંધ કરી દીધું હતું. ૧૩મી ડિસેમ્બરે એસઆઇટીના વિટનેસ પ્રોટેક્શન સેલના વડા પોલીસ અધિકારી બી.સી. સોલંકીએ અમદાવાદ પોલીસને પત્ર લખીને કેટલાક સાક્ષીઓને મૂલ્યાંકન પછી આપવામાં આવેલી સુરક્ષા પાછી ખેંચી લેવાના એસઆઇટીના નિર્ણય વિશે જાણ કરી હતી. સોલંકીએ પત્રમાં શહેર પોલીસ કમિશનરને વિનંતી કરી હતી કે તેઓ સંબંધિત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને સુરક્ષા કવચ પાછી ખેંચી લીધા પછી સાક્ષીઓની સુખાકારીની કાળજી લેવા સૂચના આપે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
May’s Money Makers: 5 Zodiac Signs Set for Financial Success Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને?