આમચી મુંબઈમહારાષ્ટ્ર

ભ્રષ્ટ મહારાષ્ટ્ર સરકાર મરાઠા અનામતનો મુદ્દો ઉકેલવામાં નિષ્ફળ: સુપ્રિયા સુળે

મુંબઈ: એનસીપીના શરદ પવાર જૂથના નેતા અને સંસદસભ્ય સુપ્રિયા સુળેએ બુધવારે મહારાષ્ટ્રની એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારની અત્યંત આકરા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું હતું કેે મરાઠા અનામતનો મુદ્દો રાજ્યની ભ્રષ્ટ અને બોગસ સરકારની નિષ્ફળતાને કારણે વણઉકેલાયો રહ્યો છે.

બુધવારે તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારની નિષ્ફળતા છે કે મરાઠા સમાજની ચિંતાઓ દૂર કરી શક્યા નથી. આ ભ્રષ્ટ અને બોગસ ટ્રિપલ એન્જીનની સરકાર સતત લોકોને જુઠું બોલી રહી છે અને હજી પણ તે જ કરી રહી છે.

મરાઠા કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે ઉદારતા દાખવીને રાજ્ય સરકારને 30 દિવસને બદલે વધારાના 10 દિવસ આપ્યા હતા. સરકારે શું વિચાર કરીને તેમની પાસે 30 દિવસનો સમય માગ્યો હતો?, એવો સવાલ સુપ્રિયા સુળેએ કર્યો હતો.

રાજ્યમાં સરકાર સાથે અંદાજે 200 વિધાનસભ્યો છે અને કેન્દ્રમાં તેમની પાસે 300થી વધુ સભ્યો લોકસભામાં છે. આમ છતાં તેઓ મરાઠા સમાજના મુદ્દાનું નિરાકરણ લાવી શક્યા નથી, એમ સુપ્રિયા સુળેએ કહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two