આમચી મુંબઈ

મરીન ડ્રાઇવથી વરલી સુધીના કોસ્ટલ રોડનો ૨૦૨૪થી પ્રારંભ: શિંદે

(અમય ખરાડે)

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે કોસ્ટલ રોડનો પ્રથમ તબક્કો જાન્યુઆરી ૨૦૨૪માં ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવશે. તેનાથી મુંબઈમાં ટ્રાફિકજામની સમસ્યા ઘણી હદ સુધી દૂર થઈ જશે. આ કોસ્ટલ રોડ મરીન ડ્રાઈવથી વરલી સુધીનો છે, તેની લંબાઈ ૧૦.૫૮ કિમી છે. પાલિકા તેના નિર્માણ પાછળ ૧૩,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચી રહી છે. શનિવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં એક કાર્યક્રમમાં સીએમ શિંદેએ કહ્યું હતું કે ૨૨ કિલોમીટર લાંબા એમટીએચએલ માર્ગ પણ જાન્યુઆરીમાં જ શરૂ થવાની અપેક્ષા છે. દરમિયાન મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)એ મેટ્રો-૪ કોરિડોરના સાત સ્ટેશનની કાયાપલટ માટે લગભગ રૂ. ૨૦૦ કરોડ ખર્ચવાનું નક્કી કર્યું છે. આ રકમ પેકેજ સી -૦૯ હેઠળ તૈયાર થઈ રહેલા સાત સ્ટેશનના ફિનિશિંગ કામ પર ખર્ચવામાં આવશે. એમએમઆરડીએ અનુસાર, મેટ્રો-૪ રૂટ પર ગરોડિયા નગર મેટ્રો સ્ટેશનથી સૂર્યા નગર મેટ્રો સ્ટેશન સુધી પ્લમ્બિંગ, સ્ટ્રક્ચરલ વર્ક, ફેબ્રિકેશન અને આર્કિટેક્ચરલ વર્ક પર લગભગ ૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. મેટ્રો દ્વારા મુંબઈને થાણેથી જોડવા માટે મેટ્રો-૪નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વડાલા-કાસરવડવલી-ગાયમુખ વચ્ચે મેટ્રો-૪ અને મેટ્રો-૪એનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મેટ્રો-૪નું નિર્માણ કાર્ય ૫૮ ટકા અને મેટ્રો-૪એનું ૬૧ ટકા પૂર્ણ થયું છે.

મેટ્રો-૪ કોરિડોરનું કામ બે તબક્કામાં
થાણેથી મુંબઈને જોડતી મેટ્રો લાઇન પર સેવા બે તબક્કામાં શરૂ થશે. પ્રથમ તબક્કામાં મુલુંડ અને ઘોડબંદર વચ્ચે મેટ્રો દોડશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) ૨૦૨૫ સુધીમાં મેટ્રો-૪ કોરિડોરના પ્રથમ તબક્કામાં મેટ્રો સેવા શરૂ કરવાની યોજના પર કામ કરી રહી છે.
આ મેટ્રો લાઇનના સમગ્ર રૂટ પર મુસાફરી કરવા માટે લોકોએ ૨૦૨૬-૨૭ સુધી રાહ જોવી પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઉનાળામાં પરસેવાને કારણે આવે છે શૂઝમાંથી દુર્ગંધ? Date of First Solar Eclipse and Its effects on these Zodiac Signs Tennis Star Djokovic Teases New Coach Announcement Bollywood actresses who fell in love with cricketers