ટોપ ન્યૂઝનેશનલ

સ્મરણાંજલિ: કવિહૃદયી વડા પ્રધાન સવાલોના એવા જવાબ આપતા કે…

ઘણા નેતા એવા હોય છે જે રાજનીતિ અને પક્ષથી પર હોય છે. સતત રાજનીતિ કરવી, વડા પ્રધાનપદ પર પહોંચવું, તીખાં ભાષણો કરવા અને છતાંય અજાતશત્રુ રહેવું લગભગ અશક્ય છે. આ અશક્યને શક્ય કરી બતાવ્યું હોય તો તે છે ભારતીય જનતા પક્ષના નેતા અને દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી.

આજે 25 ડિસેમ્બરના રોજ તેમનો જન્મદિવસ છે. દેશમાં તેમને શ્રદ્ધાંજલિ આપવાના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે અમે તમને તેમના જ પુસ્તકમાંથી અમુક એવા કિસ્સા જણાવવા જઈ રહ્યા છે જે તેમની વાકછટ્ટા, હાજરજવાબીપણું અને સાથે નિખાલસતાનો પરિચય કરાવશે. આજે જ્યારે રાજકારણીઓને તીખાં સવાલો ગમતા નથી ત્યારે વાજપેયી પાસેથી શિખવા જેવું છે કે ગમે તેવા આડાઅવડા સવાલોના પણ કેવા સીધા અને તર્કબદ્ધ જવાબ આપી શકાય કે સામી વ્યક્તિ બીજી વાર સવાલ કરતા પહેલા પાંચવાર વિચાર કરે.

Atal Bihari Vajpayee was conferred the Padma Vibhushan in 1992 in recognition of his services to the nation. He was subsequently awarded the Bharat Ratna, India’s highest civilian award, in 2015. (Express archive photo)

વડા પ્રધાનપદ પર હોવાથી તેમની વ્યક્તિગત જિંદગી પણ લોકો સમક્ષ મૂકાઈ ગઈ હતી. તેઓ અપરિણિત હતા એટલે અટલ બિહારી વાજપેયીને લગ્નને લઈને સૌથી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ ખૂબ જ લોકપ્રિય છે. હકીકતમાં, લગ્નને લગતા એક પ્રશ્ન પર અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે, હું અપરિણીત છું… પણ કુંવારો નથી.કહેવાય છે કે આ લવ સ્ટોરીને ક્યારેય કોઈ નામ ન મળી શક્યું. તેમના આ સંબંધો વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે વાજપેયીએ ખૂબ જ બુદ્ધિચાતપર્યપૂર્વક જવાબ આપ્યો હતો

In August 1942, Atal Bihari Vajpayee was briefly jailed along with his elder brother Prem for participating in the anti-British struggle during the Quit India Movement.

એકવાર ફરી તેમને લગ્ન મામલે પૂછવામાં આવ્યું હતું. એક પાર્ટીમાં એક મહિલા પત્રકારે અટલને પૂછ્યું, વાજપેયીજી, તમે હજી સુધી સિંગલ કેમ છો? આના પર તેણે જવાબ આપ્યો, આદર્શ પત્નીની શોધમાં. એટલે મહિલા પત્રકારે ફરી પૂછ્યું, તે મળી નથી?. વાજપેયીએ જવાબ આપ્યો કે મળી તો ગઈ પણ તેને પણ એક આદર્શ પતિ જોઈતો હતો.
તેમના વિશે મીડિયામાં એક વાત થોડી ઓછી ફેલાઈ હતી કે મિસિસ કૌલ નામની એક મહિલા વડા પ્રધાન આવાસમાં રહેતા હતા. પરંતુ તેમની પત્ની તરીકે નહીં.

Vajpayee first became prime minister in 1996. He was in office for 13 days and was forced to resign after failing to muster support from other parties. He took the post after fresh elections by forming NDA. (Express photo by Praveen Jain)

કહેવાય છે કે આ લવ સ્ટોરીને ક્યારેય કોઈ નામ ન મળી શક્યું. તેમના આ સંબંધો વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે વાજપેયીએ ખૂબ જ બુદ્ધિચાતપર્યપૂર્વક જવાબ આપ્યો હતો.

તે સમયે વાજપેયી 1978માં વિદેશ મંત્રી હતા. તેઓ ચીન અને પાકિસ્તાનથી પરત ફર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન પત્રકાર ઉદયન શર્માએ પૂછ્યું, વાજપેયીજી, પાકિસ્તાન, કાશ્મીર અને ચીનની વાત બાજુ પર રાખો અને મને કહો કે મિસિસ કૌલની વાત શું છે? કૌલ વિશે પૂછવામાં આવેલ સવાલ સાંભળીને બધા ચૂપ થઈ ગયા. બધાની નજર હવે અટલ બિહારી વાજપેયી પર ટકેલી હતી. થોડીવાર મૌન રહ્યા પછી અટલ બિહારીએ હસતા હસતા જવાબ આપ્યો, આ કાશ્મીર જેવો મુદ્દો છે.

Former Prime Minister Dr. Manmohan Singh meets Atal Bihari Vajpayee. Sharad Pawar is also seen in this picture. (Express photo)



આવી જ એક વાતમાં તેમણે ભૂતપૂર્ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને પણ હસાવી દીધા હતા. એક વખત તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુએ જનસંઘની ટીકા કરી હતી. આના પર અટલે કહ્યું, હું જાણું છું કે પંડિતજી દરરોજ શીર્ષાસન કરે છે. જોકે તેઓ શીર્ષાસન કરે તો મને કોઈ વાંધો નથી, પરંતુ મારી પાર્ટીની તસવીરને ઊંધી નજરથી ન જુઓ. આના પર નેહરુ પણ જોરથી હસી પડ્યા.

આ વાત એંસીના દાયકાની છે. તે સમયે ઈન્દિરા ગાંધી દેશના પીએમ હતા. ઉત્તર પ્રદેશમાં દલિતો પર અત્યાચારની ઘટનાને લઈને અટલ બિહારી વાજપેયી પદયાત્રા પર હતા. વાજપેયીના મિત્ર અપ્પા ખટાટેએ તેમને પૂછ્યું કે પદયાત્રા ક્યાં સુધી ચાલશે? ફરી એવો જ જોરદાર જવાબ મળ્યોજ્યાં સુધી મને પદ નહીં મળે ત્યાં સુધી યાત્રા ચાલુ રહેશે.
વર્ષ 2004માં અટલ બિહારી વાજપેયી એક ચૂંટણી રેલીને સંબોધવા બિહાર પહોંચ્યા હતા. તેમણે મંચ પરથી કહ્યું કે, હું અટલ છું અને બિહારી પણ છું. આ સાંભળીને લોકોએ ખૂબ તાળીઓ પાડી. તેમના પુસ્તક હાર નહીં માનુંગા-એક અટલ જીવન ગાથામાં આવા ગમા કિસ્સા છે.

Atal Bihari Vajpayee was born on December 25, 1924 in Gwalior, Madhya Pradesh to Krishna Bihari Vajpayee and Krishna Devi. His father was a poet and schoolmaster.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Date of First Solar Eclipse and Its effects on these Zodiac Signs Tennis Star Djokovic Teases New Coach Announcement Bollywood actresses who fell in love with cricketers હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ…