નેશનલ

Ayushman Bharat Scheme: private hospitalsને બખ્ખાં

મોદી સરકારની ઘણી યોજનાઓમાંની એક આરોગ્ય વીમા યોજના આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) 2018 માં શરૂ કરવામાં આવી હતી. ખાનગી હૉસ્પિટલોનો ખર્ચ સામાન્ય માણસને પોષાતો ન હોવાથી તેમને મદદ મળી રહે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. હવે 6 વર્ષ થઈ ગયા. દર વર્ષે યોજના હેઠળ ખર્ચવામાં આવતા કુલ નાણાંમાંથી બે તૃતિયાંશ ભાગ દેશભરની ખાનગી હોસ્પિટલોમાં જાય છે.

માહિતી અધિકાર અધિનિયમ હેઠળ એક અખબાર દ્વારા મેળવવામાં આવેલાં ડેટા દર્શાવે છે કે ડિસેમ્બર 2023 સુધીમાં તમામ લાભાર્થી ભંડોળમાંથી 54% ખાનગી હોસ્પિટલોમાં ગયા છે. જોકે ખાનગી હૉસ્પિટલોને સમયસર નાણાં ન મળતા હોવાની ફરિયાદો પણ થઈ રહી છે.

આયુષ્માન યોજનાને કેન્દ્ર અને રાજ્યો દ્વારા સંયુક્ત રીતે 60:40 (ઉત્તર-પૂર્વ અને પર્વતીય રાજ્યોના કિસ્સામાં 90:10) ના પ્રમાણમાં નાણાં પૂરાં પાડવામાં આવે છે. યોજના હેઠળ આવતી તમામ સુવિધાઓમાં સરકારી હોસ્પિટલોનો હિસ્સો 58% છે. ભારતમાં, મોટી સંખ્યામાં લોકો ખાનગી હોસ્પિટલોમાં દાખલ થાય છે. શહેરી વિસ્તારોમાં 60% લોકો અને ગ્રામીણ વિસ્તારોમાં 52% લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવે છે. આવી સ્થિતિમાં આંકડા દર્શાવે છે કે દેશની મોટી વસ્તી ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહી છે. આયુષ્માન ભારત યોજનાએ લોકોના આરોગ્ય સંભાળ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. સરકારના પોતાના ડેટા દર્શાવે છે કે ખાનગી હોસ્પિટલોમાં સરેરાશ તબીબી ખર્ચ સરકારી હોસ્પિટલો કરતા 6-8 ગણો છે.


2018 થી આ યોજના હેઠળ કુલ 72,817 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. તેમાંથી રૂ. 48,778 કરોડ (67%) ખાનગી હોસ્પિટલોમાં ગયા. દક્ષિણના રાજ્યો તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા પાસે સમગ્ર દેશમાં માત્ર 17 ટકા આયુષ્માન કાર્ડ છે, પરંતુ તેઓ દેશના કુલ દર્દીઓમાં 53 ટકા હિસ્સો ધરાવે છે. આ દક્ષિણના રાજ્યોમાં આ યોજનાનું મહત્વ દર્શાવે છે.


છેલ્લા પાંચ વર્ષમાં આ યોજનાનો લાભ લેનારા કુલ 5.47 કરોડ દર્દીઓમાંથી લગભગ 60 ટકા કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢના હતા. આ દર્શાવે છે કે યોજનાઓ અને ભંડોળને લઈને કેન્દ્ર અને વિપક્ષ શાસિત રાજ્યો વચ્ચે વિવાદ હોવા છતાં, આયુષ્માન ભારત યોજના પર કોઈ અસર થઈ નથી. આ યોજના દિલ્હી, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ઉપલબ્ધ નથી.

આ યોજના હેઠળ 27,000 લિસ્ટેડ સેકન્ડરી (મેડિસિન, ગાયનેકોલોજી સહિતની મૂળભૂત સુવિધા ધરાવતી હોસ્પિટલો) અને તૃતીય (સુપર-સ્પેશિયાલિટી, જેમ કે ન્યુરોસર્જરી, કાર્ડિયોલોજી, ઓર્થોપેડિક્સ)માં હોસ્પિટલમાં દાખલ થવા પરિવારદીઠ માટે પ્રતિ વર્ષ રૂ. 5 લાખ સુધીના લાભો આપવામાં આવે છે. આ યોજના લગભગ 2,000 પ્રક્રિયાઓને આવરી લે છે અને અન્ય ઘણી બિમારીઓ વચ્ચે કેન્સર-હૃદયની બિમારીઓથી પીડાતા દર્દીઓને પણ મદદ મળે છે. હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન થયેલા ખર્ચ ઉપરાંત, આ યોજના હોસ્પિટલમાં દાખલ થયાના પ્રથમ ત્રણ દિવસ અને હોસ્પિટલમાં દાખલ થયા પછીના 15 દિવસના ખર્ચને પણ આવરી લે છે.


2011 સામાજિક-આર્થિક જાતિ વસ્તી ગણતરી (SECC) દ્વારા લાભાર્થી પરિવારોને ઓળખવામાં આવે છે. લગભગ 13.44 કરોડ પરિવારો (65 કરોડ લોકો) આ યોજનાના સંભવિત લાભાર્થીઓ છે. અત્યાર સુધીમાં 32.40 કરોડ લોકોને આયુષ્માન ભારત કાર્ડ આપવામાં આવ્યા હોવાની માહિતી અહેવાલ દ્વારા મળી છે.

માહિતીનો અધિકાર (RTI) અધિનિયમ દ્વારા મેળવેલા ડેટા અને દસ્તાવેજોનું વિશ્લેષણ દર્શાવે છે કે 5.47 કરોડ દર્દીઓએ 2018 થી 2023 વચ્ચે યોજના હેઠળ સારવાર લીધી હતી. જ્યારે પ્રથમ ત્રણ વર્ષમાં વાર્ષિક સરેરાશ 49 લાખ દર્દીઓ હતા, તે પછીના ત્રણ વર્ષમાં તેમાં વધારો જોવા મળ્યો હતો. દર વર્ષે સરેરાશ 1.33 કરોડ દર્દીઓ આ યોજના હેઠળ સારવાર લઈ રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
“How to Tell if a Watermelon is Ripe: Simple Tips for Sweetness and Color” IPL’s Most Consistent Hitters: Who Rules the Run Charts? બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ