ઈરાન-ઈઝરાયલમાં યુદ્ધવિરામની જાહેરાત બાદ શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઉછાળો

મુંબઈ : ભારતીય શેરબજારમાં ઈરાન-ઈઝરાયલમાં યુદ્ધવિરામ બાદ તેજી જોવા મળી રહી છે. જેમાં શેર બજાર ખુલ્યાની થોડીવારમાં જ સેન્સેક્સ લગભગ 900 પોઈન્ટ ઉછળીને 82835 પર પહોંચી ગયો. જ્યારે નિફ્ટી પણ 278 પોઈન્ટ ઉછળીને 25250 પર પહોંચી ગયો.
સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 29 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા
જેમાં સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 29 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા અને માત્ર 1 કંપનીનો શેર ઘટાડા સાથે ખુલ્યો. જયારે નિફ્ટીની 50 કંપનીઓમાંથી 47 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા અને 2 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા હતા. જ્યારે 1 કંપનીનો શેર કોઈપણ નુકસાન વિના ખુલ્યો. સેન્સેક્સ કંપનીઓમાં, અદાણી પોર્ટ્સના શેર આજે સૌથી વધુ 3.51 ટકાના વધારા સાથે ખુલ્યા અને એનટીપીસીના શેર સૌથી વધુ 2.92 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.
વૈશ્વિક બજારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો
આ ઉપરાંત મંગળવારે જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગના બજારો 1.5-2 ટકા વધ્યા. યુએસ બજારો રાતોરાત 1 ટકા સુધી ઉછળ્યા છે. ટેસ્લા જેવા શેરોમાં 8 ટકાથી વધુનો વધારો થયો. યુદ્ધવિરામના સમાચારને કારણે ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ 4 ટકા ઘટીને 68.78 ડોલરપ્રતિ બેરલ થયું. જે છેલ્લા 10 દિવસમાં સૌથી નીચું સ્તર છે. ભારત જેવા ક્રૂડ ઓઇલ આયાત કરનારા દેશોને આનો ફાયદો થઈ રહ્યો છે.
આ પણ વાંચો…ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે પણ ઇઝરાયેલ શેર બજાર ઓલ ટાઈમ હાઇ, જાણો કારણ