સ્પોર્ટસ

વિરાટ કોહલી પહેલી ટી-20માં નહીં રમે

મોહાલી: શુક્રવારે મોહાલીમાં રમાનારી અફઘાનિસ્તાન સામેની ભારતની પ્રથમ ટી-20 મૅચમાં વિરાટ કોહલી અંગત કારણસર નથી રમવાનો.

હેડ-કોચ રાહુલ દ્રવિડે મૅચની પૂર્વસંધ્યાએ આ સમાચારને પુષ્ટિ આપી હતી.

જોકે કોહલી ઇન્દોરમાં 14મી જાન્યુઆરીએ બીજી અને બેન્ગલુરુમાં 17મી જાન્યુઆરીએ રમાનારી ત્રીજી મૅચમાં રમશે.
અગાઉ જ્યારે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી ત્યારે એના અહેવાલોમાં જણાવાયું હતું કે કોહલી અને રોહિત શર્મા લગભગ સવા વર્ષે ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં કમબૅક કરી રહ્યા છે. છેલ્લે તેઓ 2022ના ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં રમ્યા હતા. જૂનના ટી-20 વિશ્ર્વકપ પહેલાંની ભારતની આ આખરી ટી-20 સિરીઝ છે.

દ્રવિડે બીજી એક બાબતને સમર્થન આપતા કહ્યું હતું કે ‘ઓપનિંગમાં કૅપ્ટન રોહિત શર્માની સાથે યશસ્વી જયસ્વાલ દાવની શરૂઆત કરશે. કોહલી મોહાલીની મૅચમાં નહીં રમે એટલે શુભમન ગિલ વનડાઉનમાં રમશે.’ જોકે ટૉપ-ઑર્ડરમાં સંજુ સૅમસન અને તિલક વર્માનો પણ ચાન્સ લાગશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો