સ્પોર્ટસ

વાનખેડેની ટી-20 લીગમાં અને નેધરલૅન્ડ્સની હૉકી મૅચ વખતે વિમાન હોનારતના મૃતકોને અંજલિ

મુંબઈ/ઍમ્સ્ટલવીનઃ અમદાવાદમાં ગુરુવારે બપોરે થયેલી ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરો, પ્લેનના કર્મચારીઓ તેમ જ વિમાન પડવાને કારણે ઍરપોર્ટની આસપાસના ભાગોમાં મૃત્યુ પામેલા લોકોને ભાવભરી અંજલિ આપવા વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં ટી-20 મુંબઈ લીગની ફાઇનલની શરૂઆત પહેલાં મૌન પાડવામાં આવ્યું હતું અને એ સમયે મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશનના અધિકારીઓ પણ હાજર હતા.
મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વાનખેડેમાં બિગ સ્ક્રીન પર પણ શોક સંદેશ ફ્લૅશ કરવામાં આવ્યો હતો. આ ફાઇનલ સૉબો મુંબઈ ફાલક્નસ અને મુંબઈ સાઉથ સેન્ટ્રલ મરાઠા રૉયલ્સ વચ્ચેની હતી.

અમદાવાદની દુર્ઘટનાના મૃતકોને અંજલિ

બીજી તરફ, નેધરલૅન્ડ્સના ઍમ્સ્ટલવીન શહેરમાં ભારત અને આર્જેન્ટિનાના હૉકી (HOCKEY) ખેલાડીઓએ મૅચ વખતે અમદાવાદની દુર્ઘટનાના મૃતકોને અંજલિ આપવા મૌન પાળ્યું હતું. આ હૉકી મૅચ એફઆઇએચ પ્રો લીગ સ્પર્ધાની હતી.

અમદાવાદની દુર્ઘટનાના મૃતકોને અંજલિ

ભારત આ હૉકી મૅચમાં આર્જેન્ટિનાને જોરદાર લડત આપ્યા પછી હારી ગયું હતું. ભારતનો 1-2થી પરાજય થયો હતો. ભારત વતી એકમાત્ર ગોલ જુગરાજ સિંહે ચોથી જ મિનિટમાં કર્યો હતો, પરંતુ ત્યાર બાદ આર્જેન્ટિનાની મજબૂત સંરક્ષણ દિવાલને કારણે ભારતીય ટીમ બીજો ગોલ નહોતી કરી શકી.
ભારત આ સ્પર્ધાની સતત ચોથી મૅચ હારી ગઈ અને હવે બેલ્જિયમના ઍન્ટવર્પમાં જશે જ્યાં ઑસ્ટ્રેલિયા તથા બેલ્જિયમ વિરુદ્ધ ભારતની બે-બે મૅચ રમાશે.

આ પણ વાંચો -‏‏‎ અમદાવાદ પ્લેન ક્રેશ: આવતીકાલે પીએમ મોદી આવશે ગુજરાત; ઘટનાસ્થળની મુલાકાત…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button