નવા નામ સાથે રમાશે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી, જાણો શું નામ રાખ્યું?

ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અને ઈંગ્લેન્ડના મહાન ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનના નામ પર ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીનું નામ ‘તેંડુલકર-એન્ડરસન ટ્રોફી’ રાખવામાં આવ્યું છે, જેની શરૂઆત 20 જૂન, 2025થી થશે. અગાઉ આ શ્રેણી ‘પટૌડી ટ્રોફી’ તરીકે ઓળખાતી હતી, અને ગત શ્રેણીને ‘એન્થની ડી મેલો ટ્રોફી’ નામ આપવામાં આવ્યું હતું. આ નિર્ણય ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા સંયુક્ત રીતે લેવાયો છે, જે બંને દિગ્ગજોના યોગદાનનું સન્માન કરે છે.

નવી ટ્રોફીનું અધિકૃત અનાવરણ સચિન તેંડુલકર અને જેમ્સ એન્ડરસન દ્વારા 11 જૂન, 2025થી લોર્ડ્સ ખાતે શરૂ થતી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ દરમિયાન કરવામાં આવશે. આ ફેરફાર WTCની શરૂઆત પહેલાં થયો છે. એન્ડરસ એર મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું, “આ મારા માટે ખૂબ મોટું સન્માન છે. મને હજુ વિશ્વાસ નથી થતો. સચિન એવા ખેલાડી છે, જેને હું બાળપણથી મારો આદર્શ માનતો હતો. ઉંમરના કારણે હું તેમની સાથે ખોટું નથી કરવા માગતો, પરંતુ તેમની રમત મેં નજીકથી જોઈ છે. તેઓ ક્રિકેટના મહાન ખેલાડી છે, અને તેમની સામે રમવું એ પણ યાદગાર હતું. આ ટ્રોફી મારા નામે હોવી એ મારા માટે ગર્વની વાત છે.”
આપણ વાંચો: ધોનીને મળ્યું વધુ એક સન્માન, આઈસીસી હોલ ઓફ ફેમમાં થયો સમાવેશ…
2007થી WTCની શ્રેણી ભારતના દિગ્ગજ કેપ્ટન મનસુર અલી ખાન પટૌડીના નામે ઓળખાતી હતી. 2021ની શ્રેણીને એન્થની ડી મેલો, BCCIના સ્થાપક સભ્ય અને પ્રથમ સેક્રેટરી-ચેરમેન,ના નામે રાખવામાં આવી હતી. જ્યારે હવે આ શ્રેણી બે દિગ્ગજ ખેલાડીના નામ પર રમાશે. બંને ખેલાડીઓના ટેસ્ટ ક્રિકેટમાં અસાધારણ યોગદાનને સન્માન આપે છે. સચિને 200 ટેસ્ટમાં 15,921 રન બનાવ્યા, જ્યારે એન્ડરસન 188 ટેસ્ટમાં 704 વિકેટ લઈને ઈંગ્લેન્ડના સૌથી સફળ બોલર છે.
જણાવી દઈએ કે 20 જૂન 2025થી WTCની આ શ્રેણીની શરૂઆત થવા જઈ રહી છે. શ્રેણીના નવા નામને લઈ પણ ક્રિકેટના ફેન્સમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ‘તેંડુલકર-એન્ડરસન ટ્રોફી’ નામકરણ ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીને નવો ઐતિહાસિક રંગ આપે છે. લોર્ડ્સ ખાતે 11 જૂન, 2025ના WTC ફાઈનલ દરમિયાન ટ્રોફીનું અનાવરણ થશે, અને 20 જૂનથી શ્રેણી શરૂ થશે. એન્ડરસનનો ઉત્સાહ અને ચાહકોનો પ્રેમ દર્શાવે છે કે આ શ્રેણી ક્રિકેટ ઈતિહાસમાં ખાસ સ્થાન ધરાવશે.