સ્પોર્ટસ

‘આપને મેરી બોલતી બંદ કર દી’, એવું શ્રેયસ ઐયરને એક્ટ્રેસ સાહિબા બાલીએ કેમ કહ્યું?

દુબઈ: વન-ડે ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં શ્રેયસ ઐયર સારું રમ્યો છે અને આજે અહીં ન્યૂ ઝીલેન્ડ સામેની ફાઇનલ (બપોરે 2:30 વાગ્યાથી લાઈવ)માં પણ તે મૅચ-વિનિંગ સાબિત થઈ શકે એવું માનીને જાણીતી સ્પોર્ટ્સ ચેનલની પ્રેઝન્ટર તેમ જ અભિનેત્રી સાહિબા બાલીએ શ્રેયસને બે-ત્રણ સવાલ પૂછવાનું નક્કી કર્યું જેમાં તેના એક જવાબ બાદ સાહિબા કંઈ બોલી જ નહોતી શકી.

Also read : શુભમન ગિલના સ્ટેડીયમમાં મેચ જોવા આવેલી આ અભિનેત્રી ડેટ કરી રહ્યો છે! અટકળોએ જોર પકડ્યું

રણજી ટ્રોફી બાદ વન-ડે મૅચોમાં પણ ખૂબ સારું પર્ફોર્મ કર્યું છે. તેની છેલ્લી સાત વન-ડે મૅચમાં સ્કોર આ મુજબ રહ્યા છે:
59, 44, 78, 15, 56, 79 અને 45.
શ્રેયસે સાહિબાને હળવા ટૉનમાં જે જવાબ આપ્યો હતો એ ખુદ શ્રેયસના તેમ જ ટીમ ઇન્ડિયાના ઉમદા અભિગમનો પુરાવો છે.

મૂળ શાંત સ્વભાવના શ્રેયસને સાહિબાએ પૂછ્યું કે ‘ભારત આજે ફાઇનલ જીતી જશે ત્યાર બાદ તમારું સેલિબ્રેશન કેવું રહેશે? કોઈ પ્લાન બનાવ્યો છે?’ આ સાંભળીને શ્રેયસે જવાબમાં કહ્યું કે ‘હું કેવી રીતે સેલિબ્રેટ કરીશ? એ વિશે અત્યારે હું તમને કંઈ જ ન કહી શકું. હું તો હંમેશાં વર્તમાન વિશે જ વિચારું છું.’

Also read : ગાવસકરે રોહિતને સલાહ આપી કે `તું પચીસ ઓવર સુધી બૅટિંગ કરીશ તો…’

શ્રેયસનો સ્પષ્ટ જવાબ સાંભળીને સાહિબાએ તેને હસતાં કહ્યું કે ‘આપને મેરી બોલતી બંદ કર દી.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button