સ્પોર્ટસ

બેંગ્લૂરુનો સેન્ચુરિયન સરફરાઝ ખાન કેમ પ્રેક્ટિસમાં નહોતો? કેમ મુંબઈ આવી ગયો હતો?

પુણે: ન્યૂ ઝીલેન્ડ સામે આવતી કાલે (ગુરુવારે) અહીં શરૂ થનારી બીજી ટેસ્ટ માટે મંગળવારે જે પ્રેક્ટિસ સેશન હતું એમાં મિડલ-ઓર્ડર બૅટર સરફરાઝ ખાન હાજર નહોતો અને બીજી બાજુ કેએલ રાહુલે હેડ-કોચ ગૌતમ ગંભીરની મદદથી ભરપૂર બૅટિંગ પ્રેક્ટિસ કરી હતી. ભારતીય ટીમ બેંગ્લોરની પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવના 46 રનની નામોશી બાદ હારી ગઇ હતી. બીજા દાવમાં સરફરાઝ ખાને 150 રન બનાવીને જબરદસ્ત લડત આપી હતી.

જોકે મંગળવારે પુણેની પ્રેક્ટિસમાં સરફરાઝ હાજર નહોતો એટલે અફવા બજારમાં એવી ચર્ચા હતી કે તે પુણેની બીજી ટેસ્ટમાં કદાચ નહીં રમે. જોકે વાત એવી છે કે સરફરાઝની પત્નીએ બાળકને જન્મ આપ્યો હોવાથી સરફરાજ તેની પડખે રહેવા મુંબઈ આવ્યો હતો અને આજે સવારે પુણે પાછો પહોંચી ગયો હતો.

શુભમન ગિલ ગરદનની ઈજામાંથી મુક્ત થયા બાદ પાછો ફિટ થઈ ગયો છે અને પુણેની બીજી ટેસ્ટમાં રમશે એવી પાકી સંભાવના છે. એ જોતાં, તેને પ્લેઈંગ ઇલેવનમાં સમાવવા માટે કેએલ રાહુલને કદાચ પડતો મૂકવામાં આવશે. ખરેખર તો બેંગ્લોરની ટેસ્ટમાં ગિલના સ્થાને સરફરાઝને લેવામાં આવ્યો હતો અને તેણે એ તકનો ફાયદો ઉઠાવ્યો અને 150 રન બનાવ્યા હતા, જ્યારે કેએલ રાહુલ બંને દાવમાં ફ્લૉપ હતો.

આ બાજુ, મંગળવારે કેએલ રાહુલે ભરપૂર બૅટિંગ પ્રેક્ટિસ કરી હતી. એક તબક્કે તેણે બોલિંગ કરવા માટે સહાયક કોચ મોર્ની મોર્કલને પણ વિનંતી કરી હતી અને તેની મદદથી પ્રેક્ટિસ પૂરી કરી હતી

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker