પિતા બનવા પહેલા જ સસરાજી સાથે ઘર્ષણમાં ઉતર્યો રણવીર સિંહ?, લક્ષ્યને લઇને થયો વિવાદ

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ ઑલિમ્પિકમાં પુરુષ બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનના સમર્થનમાં સામે આવ્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં લક્ષ્ય સેનને બ્રોન્ઝ મેડલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. લક્ષ્ય સેનની આ હાર બાદ પૂર્વ બેડમિન્ટન ખેલાડી અને દિપીકા પાદુકોણના પિતા અને રણવીર સિંહના સસરાપ્રકાશ પાદુકોણે નામ લીધા વિના તેની ટીકા કરી હતી અને કહ્યું હતું કે ખેલાડીઓએ આત્મમંથન કરવાની જરૂર છે. તેમની આ પોસ્ટ બાદ રણવીર સિંહ લક્ષ્ય સેનના સમર્થનમાં આવ્યો છે. ચાલો આપણે જાણીએ કે આખો મામલો શું છે.
પ્રકાશ પાદુકોણ એક પ્રોફેશનલ કોચ છે અને તેમણે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેનના મેડલ ગુમાવવા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. દરેકને આશા હતી કે લક્ષ્ય પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મેડલ અપાવશે, પરંતુ તે મલેશિયાના લી જી જિયા સામે ટકી શક્યો નહીં અને હારી ગયો. લક્ષ્ય સેનની આ હાર પર કોચ પ્રકાશ પાદુકોણ ગુસ્સે થઈ ગયા અને તેમણે પોતાના નિવેદનમાં તેના પર નિશાન સાધ્યું હતું.
પ્રકાશ પાદુકોણનું કહેવું છે કે હવે સમય આવી ગયો છે કે ખેલાડીઓએ હારની જવાબદારી લેવી જોઈએ. તમે દરેક વખતે ફેડરેશન અથવા સરકારને દોષી ઠેરવી શકતા નથી. ખેલાડીએ પોતાની જાતને પૂછવાની જરૂર છે કે શું તે પૂરતી મહેનત કરી રહ્યો છે કે નહીં. કારણ કે આ ખેલાડીઓ પાસે ફિઝિયો અને તમામ સુવિધાઓ છે, મને નથી લાગતું કે અમેરિકા સહિત અન્ય કોઈ દેશમાં આવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
હવે એક તરફ, જ્યાં પ્રકાશ પાદુકોણ લક્ષ્યને નિશાન બનાવી રહ્યા છે, ત્યારે રણવીર તેને સપોર્ટ કરી રહ્યો છે. રણવીરે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને લક્ષ્યના વખાણ કર્યા છે. અભિનેતાએ લખ્યું છે કે, ‘કેવો ખેલાડી! શું સહનશક્તિ, શું ચપળતા, શું શોટની શ્રેણી, શું ધ્યાન, શું ધીરજ, શું બુદ્ધિ. મહાન બેડમિન્ટન પ્રદર્શન! ઓલિમ્પિકમાં તે કેટલો તેજસ્વી રહ્યો છે તે સમજાવવું મુશ્કેલ છે. એક ગેમમાં ખૂબ જ સાંકડા માર્જિનથી હાર્યો. પરંતુ તે માત્ર 22 વર્ષનો છે અને તેણે હમણાં જ શરૂઆત કરી છે. તારા પર ગર્વ છે, સ્ટારબોય.
વેલ, લોકો કંઇ પણ કહે, પણ એમ લાગે છે કે રણવીર સિંહે આ પોસ્ટ લક્ષ્ય સેનને પ્રોત્સાહિત કરવા માટે જ કરી છે.